ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amreli : વ્યાજખોરોના માનસિક ત્રાસથી યુવકે ટૂંકાવ્યું જીવન, સૂસાઈડ નોટમાં કર્યો ઉલ્લેખ

Amreli : વાવડી ગામે નિલેશ ગમારાની આત્મહત્યા : વ્યાજખોરોના ત્રાસનો આરોપ, સુસાઈડ નોટમાં ખુલાસો
09:39 PM Sep 20, 2025 IST | Mujahid Tunvar
Amreli : વાવડી ગામે નિલેશ ગમારાની આત્મહત્યા : વ્યાજખોરોના ત્રાસનો આરોપ, સુસાઈડ નોટમાં ખુલાસો

અમરેલી : અમરેલી જિલ્લાના (Amreli ) બાબરા તાલુકાના વાવડી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 40 વર્ષીય પરિણીત યુવક નિલેશ ગમારાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. નિલેશે પોતાની વાડીમાં ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. મૃતક પાસેથી મળી આવેલી 6 પાનાની સુસાઈડ નોટમાં વ્યાજખોરોના નામો અને તેમના દ્વારા આપવામાં આવેલા માનસિક ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાબરા પોલીસે સુસાઈડ નોટના આધારે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરી છે.

મળી રહેલી માહિતી અનુસાર, વાવડી ગામના રહેવાસી 40 વર્ષિય નિલેશ ગમારે અચાનક જીવન ટૂંકાવતા ચકચાર મચાવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, તેમણે વ્યાજખોરો પાસેથી લીધેલા વ્યાજવા પૈસાના કારણે તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. આ ત્રાસ સહન ન થતાં અંતે આત્મહત્યાનું પગલું ભર્યું છે. નિલેશે પોતાની વાડીમાં ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાધો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનો અને પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરા હોસ્પિટલ ખસેડ્યો છે.

આ પણ વાંચો- Kheda : કપડવંજના નંદના પ્લાઝા કોમ્પ્લેક્સમાં બે યુવકોના શંકાસ્પદ મૃતદેહ મળ્યા, કરંટ લાગવાની આશંકા

મૃતક પાસેથી મળેલી 6 પાનાની સુસાઈડ નોટમાં નિલેશે વ્યાજખોરોના નામો અને તેમના દ્વારા આપવામાં આવેલા ત્રાસની વિગતો લખી છે. નોટમાં એવો ઉલ્લેખ છે કે, વ્યાજખોરોએ ઊંચા વ્યાજની રકમ ચૂકવવા માટે દબાણ કર્યું હતું અને સતત માનસિક ત્રાસ આપતા હતા, જેના કારણે તેઓ આ પગલું ભરવા મજબૂર બની ગયા છે. પોલીસે આ નોટને પુરાવા તરીકે જપ્ત કરી છે અને તેના આધારે આરોપી વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.

સૂસાઈડ નોટમાં વ્યાજખોરોનો ઉલ્લેખ

બાબરા પોલીસે ઘટનાસ્થળની તપાસ શરૂ કરી છે અને સુસાઈડ નોટમાં ઉલ્લેખાયેલા વ્યાજખોરોની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો અને મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધ્યા છે. આ ઉપરાંત, વ્યાજખોરો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવાની તૈયારી કરવામાં આવી રહી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

અમરેલી જિલ્લામાં વ્યાજખોરીના કારણે આત્મહત્યાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ બરવાળા બાવીસી ગામે એક ખેડૂત પુત્રે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફરિયાદ નોંધાવી હતી, જેમાં ઊંચા વ્યાજની રકમ ચૂકવ્યા છતાં ત્રાસ આપવામાં આવ્યો હતો. આવી ઘટનાઓએ વ્યાજખોરીની સમસ્યા અને તેની સામાજિક અસરો પર ગંભીર ચિંતા ઉભી કરી છે. ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો અને નાના વેપારીઓ ઘણીવાર વ્યાજખોરોના હાથે શોષણનો શિકાર બને છે, જેના કારણે આવી દુ:ખદ ઘટનાઓ બની રહી છે.

આ પણ વાંચો- Gujarati Film Awards 2025 : CM પટેલના હસ્તે એવોર્ડ વિતરણ, ‘ઓપરેશન સિંદૂર’ ગરબાનું લોન્ચિંગ

Tags :
#NileshGamara#Usurosity#VavdiAmrelibabraPoliceInvestigationsuicideSuicidenote
Next Article