ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Amritpal ને શા માટે અસમ જેલમાં રખાશે? રાસુકા હેઠળ નોંધાયા અનેક ગુના

Amritpal Arrest: પંજાબ પોલીસે મોગાના રોડે ગામના ગુરુદ્વારામાંથી અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે. વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલસિંહ પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) સાથે અન્ય છ કેસ પણ નોંધવામાં આવ્યા છે. જેમાં હત્યા, અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાની...
08:06 PM Apr 23, 2023 IST | Viral Joshi
Amritpal Arrest: પંજાબ પોલીસે મોગાના રોડે ગામના ગુરુદ્વારામાંથી અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે. વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલસિંહ પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) સાથે અન્ય છ કેસ પણ નોંધવામાં આવ્યા છે. જેમાં હત્યા, અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાની...

Amritpal Arrest: પંજાબ પોલીસે મોગાના રોડે ગામના ગુરુદ્વારામાંથી અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે. વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલસિંહ પર રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) સાથે અન્ય છ કેસ પણ નોંધવામાં આવ્યા છે. જેમાં હત્યા, અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાની કલમો લાગી છે. બીજી તરફ ધરપકડ બાદ અમૃતપાલ સિંહને આસામની ડિબ્રુગઢ જેલમાં લઈ જવામાં આવ્યા છે. સુરક્ષાના કારણોસર અમૃતપાલને પંજાબ કે નજીકની જેલમાં ન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમૃતપાલને પંજાબની જેલમાં રાખવાથી રાજ્યમાં તણાવ વધવાની આશંકાને જોતા અમૃતપાલને પંજાબ કે તેની આસપાસની કોઈ જેલમાં બંધ રાખવા પર અજનાલા પોલીસ સ્ટેશન જેવી ઘટના થવાની પણ આશંકા હોવથી અમૃતપાલને પંજાબથી દુર અસમની ડિબ્રુગઢ જેલમાં મોકલવાનો નિર્ણય કરાયો છે જેથી પંજાબમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. અમૃતપાલના સાથીઓને પણ ડિબ્રુગઢ જેલમાં રાખવામાં આવ્યા છે.

ડિબ્રુગઢ જેલ આસપાસ કિલ્લેબંધી
અસમ પોલીસને ડિબ્રુગઢ જેલ આસપાસ ચુસ્ત સુરક્ષા ગોઠવવા અને જેલમાં આવતા-જતાં લોકોની સંપૂર્ણ તપાસ અને તેમનું વિવરણ રેકોર્ડમાં રાખવા જણાવ્યું છે. રાજ્ય પોલીસ સિવાય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળને પણ જેલની આજુબીજુના વિસ્તારમાં તૈનાત કરાયા છે.

મળતી મહિતી અનુસાર અમૃતપાલને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ અને પંજાબ પોલીસના સંયુક્ત પ્રયાસથી ઝડપવામાં આવ્યો છે. પંજાબ પોલીસની એક ટીમ સાથે ભટિંડા એરપોર્ટથી એક વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ સવારે 8.25 વાગ્યે ઉપડી અને બપોરે 2.20 વાગ્યે ડિબ્રુગઢ એરપોર્ટ પહોંચી જ્યાંથી તેમને તાત્કાલિક ડિબ્રુગઢ જેલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબી તપાસ બાદ તેમને સેલમાં રાખવામાં આવ્યા હતા.

અમૃતપાલ પર રાસુકા સહિત આ કેસો નોંધાયેલા છે

રાસુકા કાયદો શું છે? અને શું છે તેની જોગવાઈ?

રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (National Security Act) રાસુકાના ટુંકા નામથી ઓળખાય છે. જો કેન્દ્ર અને રાજ્ય સરકારને લાગે કે કોઈ વ્યક્તિ કાનુન વ્યવસ્થા ચલાવવામાં અડચણરૂપ બને છે કે આવશ્યક સેવાની આપૂર્તિમાં વિક્ષેપ બને છે તો સંબંધિત સરકાર દ્વારા તેની ધરપકડ કરવામાં આવી શકે છે. ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન 23 સપ્ટેમ્બર 1980ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો અમલમાં આવ્યો હતો. રાસુકાની શંકાસ્પદ વ્યક્તિને 12 મહિના સુધી કોઈ આરોપ વિના કેદ થઈ શકે છે.

IB અને RAW અમૃતપાલની પુછપરછ કરશે

સમાચાર એજન્સી અનુસાર ઈન્ટેલિજેન્સ બ્યૂરો (IB), રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW) તથા અન્ય ગુપ્તચર એજન્સીઓની એક ટીમ અમૃતપાલની પુછપરછ કરશે. તેમના ફંડિંગ વિશે પુછપરછ કરવામાં આવશે કારણ કે એજન્સીઓને પાકિસ્તાન અને અન્ય દેશમાં તેમના આકાઓ સાથેના કનેક્શનની અનેક જાણકારીઓ મળી છે.

આ પણ વાંચો : 19 વર્ષની ઉંમરે ગામ છોડ્યું, જાણો અમૃતપાલ સાથે જોડાયેલી 10 મોટી વાતો

Tags :
AmritpalAmritpal ArrestDibrugarh JailIBPunjab PoliceRAW
Next Article