Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Anand-Kheda : ચરોતર તમાકુ વેપારી એસોસિયેશનનું મોટું એલાન, 1 ફેબ્રુઆરીથી તમાકુ ખરીદ-વેચાણ સંપૂર્ણ બંધ, સરકાર સામે આંદોલન!

Anand-Kheda : આણંદ અને ખેડા જિલ્લાઓ આજથી સુમસામ થઈ ગયા છે. ચરોતર વિસ્તાર, જેને ગુજરાતનું તમાકુનું ગઢ માનવામાં આવે છે, ત્યાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચરોતર તમાકુ વેપારી એસોસિયેશને 1 ફેબ્રુઆરી 2026થી તમાકુનું ખરીદ-વેચાણ, બિલિંગ, લોડિંગ અને નવો વ્યાપાર સંપૂર્ણપણે બંધ કરવાનું એલાન કર્યું છે. આ નિર્ણય એસોસિયેશનના કારોબારી મંડળ અને ઝોન પ્રમુખોની સર્વાનુમતે લેવામાં આવ્યો છે.
anand kheda   ચરોતર તમાકુ વેપારી એસોસિયેશનનું મોટું એલાન  1 ફેબ્રુઆરીથી તમાકુ ખરીદ વેચાણ સંપૂર્ણ બંધ  સરકાર સામે આંદોલન
Advertisement
  • Anand-Kheda : 1 ફેબ્રુઆરીથી તમાકુ વેપાર સંપૂર્ણ બંધ – ચરોતર એસોસિયેશનનું મોટું આંદોલન!
  • ચરોતર તમાકુ વેપારીઓનો બળવો : એક્સાઇઝ-જીએસટી વધારાના વિરોધમાં ખરીદ-વેચાણ ઠપ
  • “વિના સહકાર નહિ ઉદ્ધાર” – તમાકુ ખેડૂતો-વેપારીઓ એકજૂથ, 2 કરોડ લોકો અસરગ્રસ્ત
  • ગુજરાતમાં તમાકુ સંકટ : ચરોતર એસોસિયેશને અચોક્કસ હડતાલનું એલાન, સરકારને ચેતવણી
  • આણંદના તમાકુ ઉદ્યોગ પર કમરતોડ ટેક્સ : વેપાર બંધ, ખેડૂતોની મહેનત પર સંકટ

Anand-Kheda : આણંદ અને ખેડા જિલ્લાઓ આજથી સુમસામ થઈ ગયા છે. ચરોતર વિસ્તાર જેને ગુજરાતનું તમાકુનું ગઢ માનવામાં આવે છે, ત્યાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચરોતર તમાકુ વેપારી એસોસિયેશને 1 ફેબ્રુઆરી 2026થી તમાકુનું ખરીદ-વેચાણ, બિલિંગ, લોડિંગ અને નવો વ્યાપાર સંપૂર્ણપણે બંધ કરવાનું એલાન કર્યું છે. આ નિર્ણય એસોસિયેશનના કારોબારી મંડળ અને ઝોન પ્રમુખોની સર્વાનુમતે લેવામાં આવ્યો છે. આજથી તમાકું ઉપર 18% એક્સાઇઝ ડ્યુટી લાગી રહી છે. તે ઉપરાંત જીએસટી પણ 18 ટકાથી વધીને 40 ટકા કરી દેવામાં આવી છે. આ તમામ ટેક્સના કારણે વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકશાન થવા જઈ રહ્યું હોવાના કારણે ખેડૂત અને વેપારી મંડળો દ્વારા તમાકું ખરીદ-વેચાણ બંધ કરવામાં આવ્યું છે.

બજેટમાં GST વધારવામાં આવ્યો

મુખ્ય કારણ છે કેન્દ્ર સરકાર દ્વારા તમાકુ પર ફરીથી લગાવવામાં આવેલી એક્સાઇઝ ડ્યુટી અને GSTમાં થયેલો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. પહેલાં 28% GST હતો, જે હવે 40% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 18% એક્સાઇઝ ડ્યુટી અને અન્ય સેસના ભારણે ઉત્પાદન અને પ્રોસેસિંગ ખર્ચ ખૂબ વધી ગયો છે. વેપારીઓનું કહેવું છે કે આ કમરતોડ ટેક્સને કારણે તમાકુ ઉદ્યોગ ગંભીર સંકટમાં મુકાઈ ગયો છે.

Advertisement

Anand-Kheda ના ખેડૂતોને સૌથી વધારે અસર

આની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે. ચરોતર વિસ્તારમાં હજારો ખેડૂતો મહેનતથી તમાકુની ખેતી કરે છે, પરંતુ વેપારીઓ પાસે ખરીદવાની ક્ષમતા નથી રહી. ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી અને તેમનું ઉત્પાદન વેચાતું નથી. આણંદ જિલ્લામાં અંદાજે 2.4 લાખ ખેડૂતો આ ઉદ્યોગ પર નિર્ભર છે. એસોસિયેશનના પ્રમુખ પ્રદીપભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું કે આ નિર્ણયથી રાજ્યમાં અંદાજે 2 કરોડ લોકો (ખેડૂતો, વેપારીઓ, શ્રમિકો, પ્રોસેસિંગ યુનિટ્સ) અસરગ્રસ્ત થશે.

Advertisement

એક્સાઈઝ ડ્યુટી રદ થશે નહીં ત્યાર સુધી આંદોલન

એસોસિયેશને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી એક્સાઇઝ ડ્યુટી રદ ન થાય અને ટેક્સના મુદ્દે ચોખવટ ન થાય, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. ખેડૂત સમિતિઓએ પણ આ લડતને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. ચરોતર વેપારી સમિતિએ પણ ગુજરાત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. વેપારીઓ અને ખેડૂતો એકજૂથ થઈને લડી રહ્યા છે અને નારો છે – “વિના સહકાર નહિ ઉદ્ધાર”.

જો સરકારે આ મુદ્દે તાત્કાલિક નિર્ણય ન લીધો તો આ આંદોલન રાજ્યવ્યાપી બની શકે છે અને તમાકુની આખી સપ્લાય ચેઈન ઠપ થઈ શકે છે. ચરોતરના તમાકુ ઉદ્યોગનું ભવિષ્ય હવે સરકારના હાથમાં છે. ખેડૂતો-વેપારીઓની આ લડતને લઈને રાજ્યના રાજકીય અને આર્થિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.

આણંદ-ખેડા વિસ્તારના લોકો માટે આ માત્ર આર્થિક મુદ્દો નથી, પરંતુ જીવન-જીવનનો પ્રશ્ન છે. સરકાર આ તરફ ધ્યાન આપશે કે નહીં, તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો-Union Budget 2026 : સુરતના કાપડ ઉદ્યોગ માટે મોટી રાહત, કાચા માલ પર ડ્યુટી ઘટી!

Tags :
Advertisement

.

×