બાબા સિદ્દીકી હત્યાકાંડના આરોપી અનમોલ બિશ્નોઈને અમેરિકાથી લવાઈ રહ્યો છે ભારત, IGI એરપોર્ટ પર વિશેષ ટીમો તૈનાત
- Anmol Bishnoi : એનસીપીના નેતા બાબા સિદ્દીકીના હત્યા કેસમાં મોટી કાર્યવાહી
- મુખ્ય આરોપી ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત લવાશે
- અમેરિકાથી ભારત લાવવાની પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના દિવંગત નેતા બાબા સિદ્દીકી હત્યા કેસના મુખ્ય કાવતરાખોર માનવામાં આવતા ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. અનમોલ બિશ્નોઈ બુધવારે સવારે લગભગ 10 વાગ્યે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચશે. આ હાઇ-પ્રોફાઇલ પ્રત્યાર્પણ પ્રવાસ પર સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે, અને એરપોર્ટ પર તેને રિસીવ કરવા માટે ઘણી વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે.
લોરેન્સ બિશ્નોઈનો ભાઇ Anmol Bishnoi ને અમેરિકાથી લવાઇ રહ્યો છે ભારત
અનમોલ બિશ્નોઈ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે અને તેના પર અનેક રાજ્યોમાં ગંભીર ગુનાહિત આરોપો છે. એક વરિષ્ઠ અધિકારીએ પુષ્ટિ કરી છે કે યુનાઇટેડ સ્ટેટ્સથી તેનું પ્રસ્થાન અને દિલ્હી આગમન હવે અંતિમ તબક્કામાં છે. દિલ્હી પહોંચ્યા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. જોકે, કોર્ટમાં હાજર થયા પછી તેને કઈ એજન્સી (દા.ત., મુંબઈ પોલીસ અથવા NIA) ને સોંપવામાં આવશે, તે અંગે હાલમાં ચર્ચા ચાલી રહી છે.
#WATCH | Mumbai, Maharashtra: On reports of extradition of Anmol Bishnoi, brother of gangster Lawrence Bishnoi, NCP leader and son of Baba Siddique, Zeeshan Siddique, says, "My family has registered as a victim family in the United States. From the victim notification, we get… pic.twitter.com/rZPUsZ7zpo
— ANI (@ANI) November 18, 2025
Anmol Bishnoi : મૃતકના પુત્રને US તરફથી મળ્યો ઇમેઇલ
મૃતક નેતા બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન સિદ્દીકીને પણ યુએસ અધિકારીઓ તરફથી એક ઇમેઇલ મળ્યો છે, જેમાં તેમને અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણ વિશે જાણ કરવામાં આવી છે. ઝીશાને જણાવ્યું કે તેમને આ ઇમેઇલનો અર્થ કેવી રીતે કાઢવો તે ખબર નથી, પરંતુ તે સ્પષ્ટ હતું કે અનમોલને હવે ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો છે. પીડિત પરિવારના ઇમેઇલ સરનામાં તરીકે તેમનું સરનામું યુએસ અધિકારીઓ સાથે નોંધાયેલું હોવાથી તેમને અપડેટ્સ મળી રહ્યા છે.
Anmol Bishnoi હત્યાનો છે મુખ્ય આરોપી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની 12 ઓક્ટોબર, 2024 ના રોજ મુંબઈના બાંદ્રામાં તેમની ઓફિસની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 26 આરોપીઓની ધરપકડ કરી છે. ચાર્જશીટમાં અનમોલને "મુખ્ય કાવતરાખોર" તરીકે દર્શાવવામાં આવ્યો છે અને વોન્ટેડ આરોપી તરીકે સૂચિબદ્ધ છે.
તપાસમાં બહાર આવ્યું છે કે અનમોલે વિદેશમાં બેસીને હત્યાનું સંપૂર્ણ આયોજન કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા ઘણા આરોપીઓના ફોનમાંથી મળેલી વોઇસ ક્લિપ્સ અનમોલના વોઇસ રેકોર્ડિંગ સાથે મેળ ખાય છે. આ ઓડિયો ક્લિપ્સમાં તે તેના સહયોગીઓને હત્યાને અંજામ આપવા માટે સૂચનાઓ આપતો સાંભળવા મળે છે. તપાસ એજન્સીઓ માને છે કે તેણે વિદેશથી સમગ્ર કાવતરાને નિયંત્રિત કર્યું હતું, અને પોલીસે આ પુરાવાઓને ચાર્જશીટમાં સામેલ કર્યા છે.
આ પણ વાંચો: X અને ChatGPT સહિત અનેક વેબસાઇ ઠપ, વિશ્વભરના લાખો ઇન્ટરનેટ યુઝર્સને ભારે હાલાકી


