Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anupamaa:TV એક્ટ્રેસને મળી જાનથી મારી નાખવાની ધમકી! જાણો સમગ્ર મામલો

એક્ટ્રેસ ચાંદની ભગવાનાની(Chandni Bhagwanani)એ ચોંકાવનારો ખુલાસો કર્યો છે
anupamaa tv એક્ટ્રેસને મળી જાનથી મારી નાખવાની ધમકી  જાણો સમગ્ર મામલો
Advertisement
  • TV એક્ટ્રેસને મળી જાનથી મારી નાખવાની ધમકી
  • ચાંદની ભગવાનાનીને મળી ખતરનાક ધમકીઓ
  • એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો ગુસ્સો

Anupamaa:બોલીવુડ અને ટીવી કલાકારોને જેટલો પ્રેમ મળે છે, ક્યારેક તેમના માટે એટલી જ મુશ્કેલીઓ ઊભી થાય છે. એક્ટિંગ એ એક એવું પ્રોફેશન છે જે ક્યારેક કોઈને સિંહાસન પર લઈ જાય છે તો ક્યારેક ફ્લોર પર. ફેન્સને પાત્ર ગમે તો એક્ટર રાતોરાત સુપરસ્ટાર બની જાય છે અને દર્શકો તેને ભગવાનનો દરજ્જો પણ આપી દે છે.પરંતુ જો તેને કોઈ પાત્ર ન ગમતું હોય તો તે તમામ હદો પાર કરી દે છે. 'અનુપમા(Anupamaa)' ફેમ એક્ટ્રેસ સાથે પણ કંઈક આવું જ થયું છે.

ચાંદની ભગવાનાનીને મળી ખતરનાક ધમકીઓ

એક્ટ્રેસ ચાંદની ભગવાનાનીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે જણાવ્યું કે કેવી રીતે એક સમયે તેને લોકો તરફથી ખતરનાક ધમકી(Actress Received Death Threats)ઓ મળતી હતી. તમને જણાવી દઈએ કે, હાલમાં ચાંદની ભગવાનાની શો 'અનુપમા'માં પાખીનો રોલ કરી રહી છે. તેણે મુસ્કાન બામનેનું સ્થાન લીધું છે. તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ પર ખુલીને વાત કરી છે. એક્ટ્રેસ ચાંદની ભગવાનાનીએ ખુલાસો કર્યો હતો કે જ્યારે તે શો 'સંજીવની'માં કામ કરી રહી હતી ત્યારે તેને માત્ર બોડી શેમડ જ નહીં પરંતુ એવી કોમેન્ટ કરવામાં આવતી હતી જે ખૂબ જ દુઃખદ હતી.

Advertisement

Advertisement

મારવાના પણ આવ્યા મેસેજ

ચાંદની ભગવાનાનીએ કહ્યું, 'હું બોડી શેમ્ડ હતી. મારા પર્સનલ પાત્ર વિશે કોમેન્ટ કરવામાં આવી હતી, જેમ કે હું કેવા પ્રકારની છોકરી છું. મારા માતા-પિતાને પણ મેસેજ મળ્યા અને મને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી. તે સમયે હું તેની આ પ્રોસેસને સમજી ન શકી. મેં વિચાર્યું કે હું ડિપ્રેશનમાં જઈશ કારણ કે હું તેને સંભાળી શકતી નથી. કેટલાકે તેને સ્લટ તો કેટલાકે બિચ કહ્યું.

આ પણ  વાંચો -Salman khan: ધમકીઓ વચ્ચે સલમાન ખાને કેમ શરૂ કર્યું ફિલ્મનું શૂટિંગ

એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યો ગુસ્સો

ચાંદની ભગવાનાનીએ કહ્યું કે તે આ બધું સંભાળવામાં નિષ્ફળ ગઈ છે. આવી પરિસ્થિતિમાં, એકવાર તેણે ગુસ્સો આવ્યો તો તેણે તેના ઈન્સ્ટાગ્રામ લાઈવ પર લાઈવ થઈને બધા પર ગુસ્સો વ્યક્ત કર્યો. તમને જણાવી દઈએ કે, એક્ટ્રેસને એટલી બધી નફરતનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તે શો 'સંજીવની'માં નેગેટિવ રોલ કરી રહી હતી. પરંતુ હવે એક્ટ્રેસ આ બધું ભૂલીને આગળ વધી ગયા છે.

Tags :
Advertisement

.

×