ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જમ્મુ-કાશ્મીરમાં સેનાના વાહન પર હુમલો, રાજૌરીમાં આતંકવાદીઓએ ગોળીબાર કર્યો

આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો
02:40 PM Feb 26, 2025 IST | SANJAY
આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો
JammuKashmir @ Gujarat First

જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સેનાના વાહન પર હુમલો થયો છે. આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો છે. આ હુમલો સુંદરબની વિસ્તારમાં થયો હતો. સુંદરબનીના એક ગામમાં બપોરે 1 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે. શરૂઆતના અહેવાલો પ્રમાણે, આતંકવાદીઓએ સેનાના વાહન પર એકથી બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.

હુમલો થયો ત્યારે સેનાનું વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું

હુમલો થયો ત્યારે સેનાનું વાહન પેટ્રોલિંગ કરી રહ્યું હતું. આ હુમલામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આ પહેલા 7 ફેબ્રુઆરીએ ભારતીય સેનાએ સાત પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા હતા. આ પહેલા પણ આતંકવાદીઓએ ઘણી વખત ઓચિંતો હુમલો કર્યો છે અને દરેક વખતે સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે.

સર્ચ ઓપરેશન શરૂ કરાયુ

શંકાસ્પદ આતંકવાદીઓએ ગાઢ જંગલમાંથી સેનાની ગાડી પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુંદરબનીમાં સીઆરપીએફ બટાલિયનના હેડક્વાર્ટર્સથી આશરે પાંચ-છ કિમી દૂર આ ઘટના બની છે.

આ પણ વાંચો: Gujarat : ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ભેળસેળીયું ઘી વેચતા વેપારીઓ સામે કરી કાર્યવાહી

Tags :
ArmyGujaratFirstIndiaJammuKashmirRajouriSunderbani
Next Article