Bagdana સેવકને મળવા પહોંચ્યા મંત્રી કુંવરજી - કહ્યું- ફરિયાદ મોડી થઈ અને કાર્યવાહીમાં પણ કરાયો વિલંબ
- Bagdana સેવક મારમારી કેસમાં રાજકારણ ગરમાયું: મંત્રી કુંવરજી બાવળિયા અને સાંસદ રાજેશ ચુડાસમા પહોંચ્યા નવનીતભાઈને મળવા
- મહુવા હોસ્પિટલમાં કેબિનેટ મંત્રીની મુલાકાત: બગદાણા ઘટના પર પોલીસની કાર્યવાહીમાં વિલંબનો આરોપ
- નવનીતભાઈ પર હુમલો: કુંવરજી બાવળિયાનું નિવેદન - 'ઘટના દુખદ, CCTV અને કોલ ડિટેલ્સની તપાસ જરૂરી'
- બગદાણા વિવાદમાં કોળી સમાજનો આક્રોશ: કોંગ્રેસ-આપ પછી ભાજપના નેતાઓ પણ મેદાને, પોલીસ પર સવાલ
- પોલીસની નિષ્ક્રિયતા પર કુંવરજી બાવળિયાનો પ્રહાર: બગદાણા સરપંચ પર હુમલાના કેસમાં નવો વળાંક
Bagdana : ભાવનગર જિલ્લાના બગદાણા ગામમાં નવનીતભાઈ બાલધિયા પર થયેલા જાનલેવા હુમલાના કેસે રાજ્યમાં રાજકીય તાપમાન વધારી દીધું છે. આ ઘટના એક વ્યક્તિગત વિવાદથી આગળ વધી ગઈ છે. કોળી સમાજના આક્રોશ અને પોલીસની કાર્યવાહીમાં વિલંબ જેવા મુદ્દાઓના કારણે વિવાદમાં વધારો થયો છે. તાજેતરમાં ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે નવનીતભાઈને મળવા પહોંચ્યા હતા. તેમની સાથે સાંસદ રાજેશ ચુડાસમાએ પણ મુલાકાત લીધી છે.
જ્યારે કેબિનેટ મંત્રી અને રાજેશ ચુડાસમા નવનીતભાઈને મળવા પહોંચ્યા ત્યારે તેઓ ભાવૂક થઈ ગયા હતા. આ મુલાકાત દરમિયાન નવનીતભાઈ રડી પડ્યા હતા. ત્યારે મંત્રી કુવરજી અને રાજેશભાઈ ચૂડાસમાએ તેમને આશ્વસન આપતા કહ્યું કે, અમે તમારી સાથે છીએ. હિંમત રાખવાની અને સાજા થઈ જવાનું છે.
Bagdana : હાથ-પગ ઉપર હિંસક હુમલો
આ ઘટના કોળી સમાજના બજરંગદાસ બાપા આશ્રમના સેવક નવનીતભાઈ પર થયેલા ખુલ્લેઆમ હુમલાની છે, જેમાં તેમના હાથ-પગ તોડી નાખવામાં આવ્યા હતા. કુંવરજી બાવળિયાએ મુલાકાત બાદ કહ્યું કે, "નવનીતભાઈ સાથે થયેલી ઘટના અત્યંત દુખદ છે. ફરિયાદ પણ મોડી થઈ અને પોલીસ કાર્યવાહીમાં વિલંબ થયો છે. યોગ્ય રીતે કોલ ડિટેલ્સ અને CCTV ની તપાસ કરીને કાર્યવાહી થવી જોઈએ." તેમણે વધુમાં કહ્યું કે અત્યાર સુધી પોલીસ તરફથી યોગ્ય કાર્યવાહી થઈ નથી, જેનાથી સમાજમાં અસંતોષ વધ્યો છે.
Bhavnagar | કુંવરજી બાવળિયાને જોઈ નવનીતભાઈ રડવા લાગ્યા! | Gujarat First
બગદાણાના સેવકને માર મારવા મામલે રાજકારણ
મંત્રી કુંવરજી બાવળિયા પહોંચ્યા નવનીતભાઈને મળવા
મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે મળવા પહોંચ્યા કેબિનેટ મંત્રી
અગાઉ પણ કોંગ્રેસ અને આપ MLA એ લીધી હતી મુલાકાત#Gujarat… pic.twitter.com/QgupIbnTFm— Gujarat First (@GujaratFirst) January 3, 2026
વિવાદ વધુ ગાઢ બન્યો
આ કેસમાં વિવાદ વધુ ગાઢ બન્યો છે કારણ કે આરોપીઓ પાછળ કેટલાક મોટા માથાઓના હાથ હોવાના આક્ષેપો છે. ખાસ કરીને લોકસાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયદીપનું નામ સામે આવી રહ્યું છે. આ કેસને લઈને એક પીઆઈને લિવ રિઝર્વમાં પણ મૂકી દેવામાં આવ્યા છે. તો આગળ પોલીસ તપાસ યોગ્ય દિશામાં થઈ રહી હોવાની વાત પોલીસ દ્વારા કહેવામાં આવી રહી છે. જોકે, અત્યાર સુધી માયાભાઈ આહિરના પુત્રની કેસ સાથે કોઈ કડી મળી હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.
અમિત ચાવડાનો આકરા પ્રહારો
આ ઘટના પર વિપક્ષ પણ આક્રમક છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, "ગુજરાતમાં ગુંડાઓને સરકારનો કોઈ ડર નથી. આ ભૂપેન્દ્ર પટેલની નહીં, પણ ગુંડાઓની સરકાર છે." તેમણે પોલીસને હુમલો કરાવનારાઓની તપાસ કરવાની માંગ કરી છે. અગાઉ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના MLAઓએ પણ નવનીતભાઈની મુલાકાત લીધી હતી, જેનાથી આ કેસ રાજકીય રંગ પામ્યો છે.
ન્યાય માટે સમાજ મેદાનમાં
બગદાણા વિવાદ કોળી સમાજના આક્રોશને કારણે વધુ ઉગ્ર બન્યો છે. સમાજના લોકો પોલીસની બેવડી નીતિ પર સવાલ ઉઠાવી રહ્યા છે. વીડિયો પુરાવા હોવા છતાં તપાસમાં વિલંબ થઈ રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યાં છે, જેમાં અમુક પોલીસ અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ ગણાવવામાં આવી રહી છે. તો કોળી સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ મુદ્દે મૌન તોડવું જોઈએ, કારણ કે આવા કેસો રાજ્યની કાયદા વ્યવસ્થા પર સવાલ ઉભા કરે છે.
આ પણ વાંચો-Gujarat Police ભરતી અંગે મોટા સમાચાર : LRD અને PSIની શારીરિક કસોટીની તારીખ જાહેર


