બાનાખત તૈયાર કરી જમીન વેચવાનો વિશ્વાસ અપાવી મોટી રકમ પડાવાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે દાંતાવાડા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
દાંતીવાડા નાયબ મામલતદારની સંડોવણી ?
જમીનના દસ્તાવેજ કરવાનો સમય આવતાં વેચનાર પક્ષ હાજર ન રહેતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને કરોડો રૂપિયા ચૂકવ્યા બાદ પણ ખેડૂતને ન તો જમીન આપવામાં આવી, ન તો ચૂકવેલી રકમ પરત કરવામાં આવી જેને લઈ અરજી કરવામાં આવી છે.
પીડિત ખેડૂત સુરેશભાઈ સાંખલાએ દલાલો, જમીન માલિક અને અન્ય સંકળાયેલા લોકો વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે અને તપાસ થાય અને સત્ય સામે આવે તેને લઈ ન્યાયની ગુહાર કરી છે.
દસ્તાવેજ સમયે ગાયબ થયા જમીન વેચનારા!
સમગ્ર પ્રકરણમાં દાંતીવાડા નાયબ મામલતદારની ભૂમિકા શંકાસ્પદ હોવાનું અને તેમની સંડોવણી હોવાનો પીડિતનો ગંભીર દાવો છે. તો ખેડૂતે જે રીતે આક્ષેપ કર્યો છે કે, 1 કરોડ લીધા છે તેને લઈ રૂપિયા પણ પરત કરવામાં આવ્યા નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ત્યારે આ કેસમાં પોલીસ ફરિયાદ નોંધે તો કોણે શું છેતરપિંડી કરી છે અને કોણ-કોણ આ કૌંભાડમાં સામેલ છે તે સત્યતા સામે આવશે, ખેડૂતનો આક્ષેપ છે કે, જો પોલીસ ફરિયાદ નહી નોંધે તો કલેકટરને પણ રજૂઆત કરવામાં આવશે.
આ પણ વાંચો : Petrol-Diesel Price : વૈશ્વિક સ્તર પર ક્રૂડ ઓઈલના ભાવમાં બેરલ દીઠ $80 નો ઘટાડો, ભારતમાં શું થશે અસર?