Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

NCERTના પુસ્તકોમાં ઇન્ડિયાને બદલે ભારત લખવામાં આવશે

હવે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERTના પુસ્તકોમાં ઇન્ડિયાને બદલે ભારત લખવામાં આવશે. NCERT એ પુસ્તકોમાં જરૂરી ફેરફારો અંગે પેનલના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પેનલના સભ્યોમાંથી એક સીઆઈ આઈઝેકે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ થોડા...
ncertના પુસ્તકોમાં ઇન્ડિયાને બદલે ભારત લખવામાં આવશે
Advertisement

હવે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERTના પુસ્તકોમાં ઇન્ડિયાને બદલે ભારત લખવામાં આવશે. NCERT એ પુસ્તકોમાં જરૂરી ફેરફારો અંગે પેનલના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પેનલના સભ્યોમાંથી એક સીઆઈ આઈઝેકે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ થોડા મહિના પહેલા મુકવામાં આવ્યો હતો અને હવે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

'પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા'ને બદલે 'ભારતના રાષ્ટ્રપતિ' લખવામાં આવ્યું હતું

Advertisement

NCERT પેનલની ભલામણ એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાજકીય વર્તુળોમાં ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવાની અફવાઓ સાંભળવા મળી રહી છે. ઇન્ડિયાનું નામ બદલીને ભારત કરવાની વાત ગયા મહિને સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી જ્યારે G20 ઈવેન્ટ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિના નામે મોકલવામાં આવેલા આમંત્રણ પત્રમાં 'પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા'ને બદલે 'ભારતના રાષ્ટ્રપતિ' લખવામાં આવ્યું હતું.

Advertisement

ઇન્ડિયા અને ભારત વિશે બંધારણ શું કહે છે?

ઇન્ડિયાનું નામ ભારત રાખવું જોઈએ કે નહીં અથવા શા માટે એવું હોવું જોઈએ તેની ચર્ચા વચ્ચે ભારતનું બંધારણ શું કહે છે? બંધારણના અનુચ્છેદ 1(1)માં આપણા દેશનું નામ 'ઇન્ડિયા એટલે કે ભારત જે રાજ્યોનું સંઘ હશે' એવું જણાવવામાં આવ્યું છે. અગાઉ સપ્ટેમ્બરમાં આ ચર્ચાને વધુ વેગ મળ્યો હતો જ્યારે G20 બેઠક દરમિયાન PM મોદીએ રાઉન્ડ ટેબલમાં તેમના નામની આગળ ઇન્ડિયાના બદલે ભારત લખેલું હતું.

ઇન્ડિયા નામ પશ્ચિમના શાસકોએ આપ્યું

જોકે, આ અંગે પૂછવામાં આવતા ભારત સરકાર તરફથી કોઈએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. આ પહેલા રાષ્ટ્રીય સેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે ઇન્ડિયા નામ પશ્ચિમના શાસકોએ આપ્યું છે. તમામ ભારતીયોએ ભારત નામનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે પ્રાચીન સમયથી આ દેશનું નામ ભારત છે. આ રીતે આપણે આપણી સંસ્કૃતિ વિશે જાણીએ છીએ.

આ પણ વાંચો----વડાપ્રધાન મોદી દિવાળીની આસપાસ કેદારનાથની મુલાકાત લે તેવી સંભાવના

Tags :
Advertisement

.

×