Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Bharuch : હોનારતની રાહે તંત્ર- બાદલપુરનો જર્જરિત બ્રિજ ધસી પડવાની આશંકા, નવો બ્રિજ 14 મહિને પણ અધૂરો

Bharuch : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા એક્રોસ બાદલપુર ખાડી પરનો જૂનો બ્રિજ અત્યંત જર્જરિત થઈ ગયો છે અને તેના લોખંડના ટેકા ખસી ગયા હોવાથી બ્રિજ ધસી પડવાનો ગંભીર ભય સર્જાયો છે. આ બ્રિજ ચાચવેલથી મુલેર, રોઝાટંકારીયા, દહેજ જેવા વિસ્તારોને જોડે છે અને તેના ઉપરથી દિવસ-રાત ભારે અને ઓવરલોડેડ વાહનો પસાર થતાં સ્થાનિક હજારો ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છે.
bharuch   હોનારતની રાહે તંત્ર  બાદલપુરનો જર્જરિત બ્રિજ ધસી પડવાની આશંકા  નવો બ્રિજ 14 મહિને પણ અધૂરો
Advertisement
  • ભરૂચ-વાગરા એક્રોસ બાદલપુર ખાડી બ્રિજ જર્જરિત : લોખંડના ટેકા ખસી ગયા, ધસી પડવાનો ભય – નવો બ્રિજ 14 મહિના પછી પણ અધૂરો
  • વાગરા તાલુકામાં જર્જરિત બ્રિજ પર ઓવરલોડેડ વાહનોનું જોખમ : નવા બ્રિજનું કામ 14 મહિના મોડું, સ્થાનિકોમાં આક્રોશ
  • એક્રોસ બાદલપુર બ્રિજ ધસી પડવાની આશંકા : ટેકા ખસી ગયા, પોપડા ખર્યા, નવા બ્રિજની કામગીરી ગોકુળગતિએ
  • ભરૂચ જિલ્લામાં જર્જરિત બ્રિજનું સંકટ : 7 કરોડનું કામ 14 મહિના પછી પણ 50% અધૂરું, ભારે વાહનો પર પ્રતિબંધની માંગ
  • વાગરા-મુલેર રોડ પર જર્જરિત બ્રિજ જોખમી : નવા બ્રિજનું કામ ઢીલું, સ્થાનિકો દ્વારા તાત્કાલિક કાર્યવાહીની માંગ

Bharuch : ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા એક્રોસ બાદલપુર ખાડી પરનો જૂનો બ્રિજ અત્યંત જર્જરિત થઈ ગયો છે અને તેના લોખંડના ટેકા ખસી ગયા હોવાથી બ્રિજ ધસી પડવાનો ગંભીર ભય સર્જાયો છે. આ બ્રિજ ચાચવેલથી મુલેર, રોઝાટંકારીયા, દહેજ જેવા વિસ્તારોને જોડે છે અને તેના ઉપરથી દિવસ-રાત ભારે અને ઓવરલોડેડ વાહનો પસાર થતાં સ્થાનિક હજારો ગ્રામજનોમાં ભયનું વાતાવરણ છે.

Bharuch : જર્જરિત બ્રિજ ઉપર ઓવરલોડેડ વાહનો

સ્થળની તપાસમાં જાણવા મળ્યું છે કે બ્રિજની નીચે ટેકવેલા લોખંડના ટેકા ખસી ગયા છે, બ્રિજના પીલરો અને ડેકના પોપડા ખરી રહ્યા છે, લોખંડના સળિયા કટાઈને ડોકિયા થઈ ગયા છે અને બ્રિજ પરથી ભારે વાહનો પસાર થતાં બ્રિજ જમ્પિંગ કરતો જોવા મળે છે. તંત્ર દ્વારા બ્રિજ પર 20 મેટ્રિક ટનથી વધુ વજનના વાહનો માટે પ્રતિબંધનું બોર્ડ લગાવવામાં આવ્યું છે, પરંતુ કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી અને પોલીસ દ્વારા તેનું કડક પાલન કરાવવામાં આવતું નથી. આ કારણે રોજિંદા હજારો ટન ઓવરલોડેડ ભારે વાહનો આ જર્જરિત બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે.

Advertisement

Advertisement

હોનારત સર્જાવવાની રાહે તંત્ર- નવા બ્રિજનું કામ ગોકળગતિએ

આ જર્જરિત બ્રિજની બાજુમાં જ સમાંતરે નવા બ્રિજનું નિર્માણ કાર્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાધે એસોસિએટ કંપનીને સોંપવામાં આવ્યું હતું. આ કામનું કોન્ટ્રાક્ટ 7 કરોડ 49 લાખ 48 હજાર 613.24 રૂપિયાનું હતું અને તેની શરૂઆત તા. 7 ડિસેમ્બર 2023થી થઈ હતી. કામ તા. 8 ડિસેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ આજે એટલે કે 14 મહિના પછી પણ નવા બ્રિજની કામગીરી 50% પણ પૂર્ણ થઈ નથી. કોન્ટ્રાક્ટર દ્વારા ગોકુળગતિએ કામ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો તરફથી કરવામાં આવી રહ્યો છે.

હજારો લોકો અને ઉદ્યોગો સંપર્ક-વિહોણા થઈ જશે

આ સ્થિતિને કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોમાં ભારે આક્રોશ છે. તેઓનું કહેવું છે કે જો જર્જરિત બ્રિજ ગમે ત્યારે ધસી પડશે તો ચાચવેલ, મુલેર, રોઝાટંકારીયા, દહેજ સહિતના વિસ્તારોના હજારો લોકો અને ઉદ્યોગો સંપર્ક-વિહોણા થઈ જશે. આ ઘટના ગીરનારના બ્રિજ જેવી દુઘટનાનું પુનરાવર્તન બની શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Bharuch ના સ્થાનિક લોકોની માંગ છે કે,

  • જર્જરિત બ્રિજ પર ભારે વાહનોનું તાત્કાલિક પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે
  • પોલીસ દ્વારા તેનું કડક અમલીકરણ કરવામાં આવે
  • નવા બ્રિજનું કામ તાત્કાલિક ઝડપી બનાવવામાં આવે અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે

આ મુદ્દે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેથી કોઈ મોટી દુઘટના ન બને અને હજારો લોકોના જીવન-જીવિકાને બચાવી શકાય.

આ પણ વાંચો-Naswadi : 4 ગામના આદિવાસી ખેડૂતોની ‘શ્રીમંત સરકાર’ નામ હટાવવાની માંગ, યોજનાઓ-લોન-વળતરથી વંચિત

અહેવાલ- દિનેશ મકવાણા, ભરૂચ

Tags :
Advertisement

.

×