Bharuch : ચાલુ કાર્યક્રમમાં સાંસદ Mansukh Vasava એ ગુમાવ્યો પિત્તો! અધિકારીઓ પર વિફર્યા! જુઓ Video
Bharuch નાં સાંસદ મનસુખ વસાવા ફરી લાલઘૂમ કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ જોઈને અધિકારીઓ પર વિફર્યા વસાવા વિકાસની વાત થતી હોય અને લોકો ઉભા થઈને જતા રહે છે : વસાવા ભરૂચનાં (Bharuch) સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. નર્મદા...
Advertisement
- Bharuch નાં સાંસદ મનસુખ વસાવા ફરી લાલઘૂમ
- કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ જોઈને અધિકારીઓ પર વિફર્યા વસાવા
- વિકાસની વાત થતી હોય અને લોકો ઉભા થઈને જતા રહે છે : વસાવા
ભરૂચનાં (Bharuch) સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. નર્મદા વિકાસ સપ્તાહ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા હતા. કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ જોઈ સાંસદે પિત્તો ગુમાવ્યો હતો અને કહ્યું હતું કે, વિકાસની વાતો થતી હોય અને લોકો ઊભા થઈને જતા રહે છે. કાર્યક્રમમાંથી લોકો જતા ન રહે તે કોની જવાબદારી ? અધિકારીઓ પણ સેવાસેતુના કાર્યક્રમમાં જતા નથી.

