Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bhavnagar : કમોસમી વરસાદ-માવઠાએ ડુંગળીના ખેડૂતોને પાયમાલ કર્યા

ડુંગળીની મોટા પાયે ખેતી કરનાર ખેડૂતો પોતાનો પાક લઇને મહુવા માર્કેટ યાર્ડમાં ગુણો-ગુણો ભરીને પહોંચ્યા હતા. જો કે, ત્યાં જઇને તેમના નિરાશા જ સાંપડી હતી. ખેડૂતોનો પ્રતિ કિલોના રૂ. 3.50 ભાવ આપવામાં આવ્યા હતા. જેને પગલે ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા હતા (Bhavnagar Farmer Onion Low Price Issue). આ ખેડૂતોએ એક સુરે, સરકાર તેમની મદદ કરે તેવો અવાજ ઉઠાવ્યો છે.
bhavnagar   કમોસમી વરસાદ માવઠાએ ડુંગળીના ખેડૂતોને પાયમાલ કર્યા
Advertisement
  • માવઠાનો માર હજી પણ વેઠતા ખેડૂતો
  • માર્કેટ યાર્ડમાં ડુંગળીના તળિયાના ભાવે ખેડૂતોનો રડાવ્યા
  • ખેડૂતે કહ્યું, આમાં, અમને શું મળે

Bhavnagar : રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ભાવનગર-મહુવાના ખેડૂતોને ડુંગળીએ રડાવ્યા હોય (Bhavnagar Farmer Onion Low Price Issue) તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ડુંગળીના ભાવ તળિયે પહોંચતા જગતનો તાત નારાજ અને નિરાશ છે. મહુવા યાર્ડમાં લાલ ડુંગળીના પ્રતિ કિલો રૂ. 3.55 રૂપિયા ભાવ મળ્યા છે. જેને પગલે ગુણો ભરીને માર્કેટ યાર્ડમાં જતા ખેડૂતોના નિરાશા સાંપડી છે. અને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. જો કે, સરકાર દ્વારા માવઠાની સ્થિતીને ધ્યાને રાખીને ખેડૂતો માટે ઐતિહાસીક મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ જગતનો તાત તેનાથી ખુશ નહીં હોવાના સુર પણ ઉઠી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Gujarat First (@gujaratfirst)

પાકને ભારે નુકશાન પહોંચ્યું

વિતેલા કેટલાય દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદનો માર પડ્યો હતો. જેને પગલે પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. જગતનો તાત પાયમાલ થતા રાજ્ય સરકારે મંત્રીઓને દોડાવ્યા હતા. અને નુકશાનની સમીક્ષા કરી હતી. એટલું જ નહીં, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ખુદ લોકોની વચ્ચે ગયા હતા. અને સ્થિતીનો તાગ મેળવ્યો હતો. ત્યાર બાદ રાજ્યમાં ઇતિહાસનું સૌથી મોટું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. આ બાદ પણ ભાવનગર-મહુવાના ખેડૂતોની હાલત કફોડી બની હોવાનું સામે આવ્યું છે (Bhavnagar Farmer Onion Low Price Issue).

Advertisement

સરકાર મદદ કરે

આ વિસ્તારમાં ડુંગળીની મોટા પાયે ખેતી કરનાર ખેડૂતો પોતાનો પાક લઇને મહુવા માર્કેટ યાર્ડમાં ગુણો-ગુણો ભરીને પહોંચ્યા હતા. જો કે, ત્યાં જઇને તેમના નિરાશા જ સાંપડી હતી. ખેડૂતોનો પ્રતિ કિલોના રૂ. 3.50 ભાવ આપવામાં આવ્યા હતા. જેને પગલે ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા હતા (Bhavnagar Farmer Onion Low Price Issue). આ ખેડૂતોએ એક સુરે, સરકાર તેમની મદદ કરે તેવો અવાજ ઉઠાવ્યો છે. પીડિત ખેડૂતનું કહેવું છે કે, આમાં, અમને શું મળે, આ લોકો અમને એમનેએમ રૂ. 90 નો ભાવ આપતા હતા. સરકારે એકરે રૂ. 22 હજારની જાહેરાત કરી છે. તેનાથી અમારૂ કંઇ ના થાય, વિઘે અમારે રૂ. 40 હજારનો ખર્ચ લાગે છે.

Advertisement

આ પણ વાંચો ------  Bhavnagar : પત્ની અને બે બાળકોની હત્યા કરનારા ફોરેસ્ટ અધિકારીને 7 દિવસના રિમાન્ડ

Tags :
Advertisement

.

×