ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi Blast અંગે સૌથી મોટો ખુલાસો : "લાલ કિલ્લા પાસેનો વિસ્ફોટ આત્મઘાતી હુમલો નહોતો"

નવી દિલ્લી : દિલ્લીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બર, 2025ના રોજ થયેલા ભયાનક કાર બ્લાસ્ટની ( Delhi Blast ) તપાસમાં પ્રાથમિક તારણોમાં મોટો ઘટસ્ફોટ થયો છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રો અનુસાર, આ વિસ્ફોટ આત્મઘાતી હુમલો નહોતો પરંતુ શંકાસ્પદ વ્યક્તિએ ગભરાટ અને ઉતાવળમાં આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. આ ખુલાસાથી પહેલાના અનુમાનોમાં ફેરફાર થયો છે, જેમાં IED (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ) અપરિપક્વ સ્થિતિમાં હોવાથી મર્યાદિત નુકસાન થયું હોવાનું જણાવાયું છે.
11:04 PM Nov 11, 2025 IST | Mujahid Tunvar
નવી દિલ્લી : દિલ્લીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બર, 2025ના રોજ થયેલા ભયાનક કાર બ્લાસ્ટની ( Delhi Blast ) તપાસમાં પ્રાથમિક તારણોમાં મોટો ઘટસ્ફોટ થયો છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રો અનુસાર, આ વિસ્ફોટ આત્મઘાતી હુમલો નહોતો પરંતુ શંકાસ્પદ વ્યક્તિએ ગભરાટ અને ઉતાવળમાં આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. આ ખુલાસાથી પહેલાના અનુમાનોમાં ફેરફાર થયો છે, જેમાં IED (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ) અપરિપક્વ સ્થિતિમાં હોવાથી મર્યાદિત નુકસાન થયું હોવાનું જણાવાયું છે.

નવી દિલ્લી : દિલ્લીના લાલ કિલ્લા પાસે 10 નવેમ્બર, 2025ના રોજ થયેલા ભયાનક કાર બ્લાસ્ટની ( Delhi Blast ) તપાસમાં પ્રાથમિક તારણોમાં મોટો ઘટસ્ફોટ થયો છે. સુરક્ષા એજન્સીઓના સૂત્રો અનુસાર, આ વિસ્ફોટ આત્મઘાતી હુમલો નહોતો પરંતુ શંકાસ્પદ વ્યક્તિએ ગભરાટ અને ઉતાવળમાં આ પગલું ભર્યું હોવાનું માનવામાં આવે છે. આ ખુલાસાથી પહેલાના અનુમાનોમાં ફેરફાર થયો છે, જેમાં IED (ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ) અપરિપક્વ સ્થિતિમાં હોવાથી મર્યાદિત નુકસાન થયું હોવાનું જણાવાયું છે. આ ઘટનામાં 13 લોકોના મોત થયા છે અને 20થી વધુ ઘાયલ થયા છે, જેની તપાસ હવે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ને સોંપાઈ છે.

હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટ

આ ઘટના 10 નવેમ્બરની સાંજે લગભગ 6:50 વાગ્યે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નં. 1 પાસે થઈ, જ્યાં એક હ્યુન્ડાઈ i20 કારમાં વિસ્ફોટ થયો. પહેલા તપાસમાં આને ફિદાયીન (આત્મઘાતી) હુમલાનું સ્વરૂપ લાગ્યું હતું, પરંતુ હવે સુરક્ષા એજન્સીઓના પ્રાથમિક અનુમાન અનુસાર, આતંકીએ કોઈ ચોક્કસ પદ્ધતિ અપનાવી નહોતી. કારને કોઈ ટાર્ગેટ પર ઇરાદાપૂર્વક અથડાવી નહોતી, અને વાહનમાંથી કોઈ જ વાહન કે બીજા કોઈ વસ્તુ સાથે ઇરાદાપૂર્વકની અથડામણ થઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકીએ ગભરાટમાં વિસ્ફોટ કર્યો હોવાનું માનવામાં આવે છે, જેના કારણે IED તૈયાર નહોતું અને તેમાં કોઈ છરા કે ધાતુના ટુકડા જેવી વસ્તુઓ નહોતી. આનાથી નુકસાન મર્યાદિત રહ્યું, અને વિસ્ફોટ પછી પણ કાર ચાલુ સ્થિતિમાં જ મળી આવી હતી.

પોલીસે કારના માલિકની પણ અટકાયત

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વિસ્ફોટમાં અમોનિયમ નાઇટ્રેટ, ફ્યુઅલ ઓઇલ અને ડિટોનેટર્સનો ઉપયોગ થયો હોઈ શકે છે, જે દિલ્હી-NCR, પુલવામા સહિત અનેક સ્થળોથી મળેલા વિસ્ફોટકો સાથે મેચ થઈ રહ્યા છે. પોલીસે કારના માલિકને અટકાયતમાં લીધા છે, અને તેમના પિતાને પણ પુલવામામાંથી ધરપકડ કરાઈ છે. CCTV ફૂટેજ અનુસાર, કાર હરિયાણામાંથી દિલ્હી આવી હતી અને લાલ કિલ્લા પાસેના કાર પાર્કિંગમાં 3 કલાકથી વધુ સમય સુધી રોકાયેલી હતી, જ્યાં ડ્રાઇવર માસ્ક પહેરીને વાહનમાં જ બેઠો હતો. આ બધું દર્શાવે છે કે આ સ્થળ આતંકીનું ઇરાદાપૂર્વકનું ટાર્ગેટ નહોતું, અને તપાસમાં એવું માનવામાં આવે છે કે સુરક્ષા એજન્સીઓની તાજેતરની રેડ પછી ગભરાટમાં આ પગલું ભરવામાં આવ્યું હશે.

આ ઘટના પછી દેશભરમાં હાઈ અલર્ટ જારી કરાયો છે, અને એરપોર્ટ, રેલવે સ્ટેશન, સરકારી ઇમારતો તેમજ હેરિટેજ સાઇટ્સ પર સુરક્ષા વધારાઈ છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન 12 નવેમ્બર સુધી બંધ રહેશે, અને આસપાસની દુકાનો પણ બંધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરીને તપાસનું માર્ગદર્શન આપ્યું છે અને કહ્યું કે, "આ હુમલાના પાછળના કાવતરુઓને છોડવામાં આવશે નહીં." રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, તપાસના તારણો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

દેશની આંતરિક સુરક્ષાને લઈને ચિંતામાં વધારો

આ પ્રારંભિક તારણોમાંથી સ્પષ્ટ થાય છે કે આ હુમલો આયોજિત કરતાં વધુ અણધાર્યો હતો, જે તપાસને નવી દિશા આપી રહ્યો છે. NIA અને ફોરેન્સિક ટીમોના નિવેદનો, CCTV અને ફોરેન્સિક રિપોર્ટ્સ પર કામ કરી રહી છે, જેમાં શરીરના અંગોના સેમ્પલ્સની મેચિંગ પણ શામેલ છે. આ ઘટના દેશની આંતરિક સુરક્ષાને લઈને ચિંતા વધારી છે, અને તપાસમાં આતંકવાદી મોડ્યુલ્સ સાથે જોડાણની તપાસ ચાલુ છે.

ઉલ્લેખનિય છે કે, આ કેસ ભારતની સુરક્ષા વ્યવસ્થાને નવા પડકારો આપે છે, અને આગામી તારણોમાં વધુ વિગતો સામે આવશે. દેશભરમાં સુરક્ષા વધારવાથી લોકોમાં થોડી રાહત છે, પરંતુ આવી ઘટનાઓને રોકવા માટે વધુ કડક પગલાંની જરૂર છે.

Tags :
delhi blastGujarat NewsNIA investigationPulwama BlastRed Fort BlastSuicide HallTerror Rush
Next Article