બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીત નિશ્ચિત, PM મોદી આજે સાંજે કાર્યકરોને સંબોધશે
- બિહારમાં NDAની ઐતિહાસિક જીત નિશ્ચિત
- બિહારમાં ભવ્ય જીત બદલ PM મોદી કાર્યકરોને સંબોધશે
- દિલ્હીની ભાજપના કાર્યાલયથી કાર્યકરોને સંબોધશે
બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ફરી એકવાર ઐતિહાસિક અને પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. વલણો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે NDA બહુમતીના આંકડાને મોટા માર્જિનથી પાર કરી જશે. આ વિજયના માહોલ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 6 વાગ્યે દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય ખાતે પક્ષના કાર્યકરોને સંબોધિત કરશે. બિહાર ચૂંટણીના શરૂઆતી વલણો પછી, જ્યાં ભાજપ અને જેડી(યુ) ગઠબંધનનું નેતૃત્વ હતું, બંને પક્ષોના કાર્યાલયોમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. કાર્યકરોએ ઢોલના તાલે નાચીને, મીઠાઈઓ વહેંચીને અને ફટાકડા ફોડીને વિજયની ઉજવણી શરૂ કરી દીધી હતી. NDAની આ પ્રભાવશાળી જીતમાં મુખ્યમંત્રી નીતિશ કુમારની સુશાસનની છબી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય લોકપ્રિયતાની જોડીએ મુખ્ય ભૂમિકા ભજવી છે. એનડીએની જીત પર PM મોદીએ ટ્વિટ કરીને કાર્યકર્તાઓનો આભાર માન્યો છે.
Bihar Results : બિહારમાં NDAની ઐતિહાસિક જીત નિશ્ચિત
નીતીશ કુમાર છેલ્લા બે દાયકાથી બિહારનું નેતૃત્વ કરી રહ્યા છે અને તેમને 'સુશાસન બાબુ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચૂંટણી તેમના માટે જનતાના વિશ્વાસ અને રાજકીય સ્થિરતાની કસોટી માનવામાં આવતી હતી. PM મોદી અને નીતિશ કુમારની જોડીએ આ ચૂંટણીમાં મજબૂત અને સંકલિત ગઠબંધન દર્શાવ્યું. તેમના સંયુક્ત પ્રચારમાં વિકાસ, માળખાગત સુવિધાઓ, સામાજિક યોજનાઓ અને વહીવટી સ્થિરતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વર્તમાન વલણો અનુસાર, નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના NDAએ કુલ 197 બેઠકો પર લીડ મેળવી છે. જેમાં ભાજપ 90 બેઠકો, જેડીયુ 80 બેઠકો, એલજેપી 20 બેઠકો, એચએએમ 3 બેઠકો અને આરએલએમ 4 બેઠકો પર આગળ છે. વિપક્ષી ગઠબંધનમાં, આરજેડી 28 બેઠકો, કોંગ્રેસ 4 બેઠકો, સીપીઆઈ(એમએલ) 4 બેઠકો અને સીપીઆઈ-એમ 1બેઠક પર આગળ છે. વધુમાં, બીએસપી 1 બેઠક અને એઆઈએમઆઈએમ ૫ બેઠકો પર આગળ છે.
પ્રજાએ નીતિશકુમાર પર કર્યો ફરી વિશ્વાસ
બિહારમાં 2025ની ચૂંટણીઓ શાંતિપૂર્ણ રહી હતી અને કોઈ પુનઃ મતદાનની જરૂર પડી ન હતી, જે અગાઉની ચૂંટણીઓ (1985, 1990 અને 1995) કરતાં નોંધપાત્ર ફેરફાર છે. NDAએ આને કાયદો અને વ્યવસ્થામાં સુધારાના પુરાવા તરીકે ટાંક્યું છે. બિહાર લગભગ 89% ગ્રામીણ વસ્તી ધરાવતું રાજ્ય હોવાથી, NDAને ગ્રામીણ વિસ્તારોમાં મજબૂત સમર્થન મળ્યું છે. નીતિશ કુમારની યોજનાઓ અને વડા પ્રધાન મોદીની લોકપ્રિયતાએ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં મતદારોનો વિશ્વાસ જીત્યો. નીતીશ કુમારે તેમની ચાર દાયકાથી વધુની રાજકીય સફરમાં રાજકીય સ્થિરતા અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે ગ્રામીણ માળખાગત સુવિધાઓમાં સુધારો કર્યો અને સીધી આર્થિક સહાય યોજનાઓ દ્વારા લોકોનો વિશ્વાસ બનાવ્યો. તેમની રાજકીય કારકિર્દી 1970ના દાયકાના જેપી ચળવળથી શરૂ થઈ હતી, અને તેમણે પછાત વર્ગો અને બિનસાંપ્રદાયિક રાજકારણમાં મજબૂત હાજરી સ્થાપિત કરી છે.
આ પણ વાંચો: બિહાર ચૂંટણી પરિણામો પર Akhilesh Yadav નો આક્રોશ, જાણો શું કહ્યું