ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bihar Politics : નીતિશ કુમારના નામ પર ન લાગી મહોર! અમિત શાહે મુખ્યમંત્રીના ચહેરા અંગે આપ્યું મોટું નિવેદન

Bihar Politics : બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુરૂવારે ત્રણ દિવસના બિહાર પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે એક ટીવી ચેનલની ફોરમમાં મહત્વપૂર્ણ ટીપ્પણીઓ કરી હતી. આ દરમિયાન અમિત શાહે બિહારમાં આગામી સીએમ પદના ચહેરા માટે રહસ્યમય નિવેદન આપ્યું છે. આ અંગે તેમને સીએમ પદના ચહેરાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, સીએમ પદ પર કોણ બેસશે તે હું નક્કી કરીશ નહીં. તે માટે વિધાયક દળ નક્કી કરશે કે કોણ બનશે સીએમ..
01:15 AM Oct 17, 2025 IST | Mujahid Tunvar
Bihar Politics : બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુરૂવારે ત્રણ દિવસના બિહાર પ્રવાસે પહોંચ્યા છે. આ દરમિયાન તેમણે એક ટીવી ચેનલની ફોરમમાં મહત્વપૂર્ણ ટીપ્પણીઓ કરી હતી. આ દરમિયાન અમિત શાહે બિહારમાં આગામી સીએમ પદના ચહેરા માટે રહસ્યમય નિવેદન આપ્યું છે. આ અંગે તેમને સીએમ પદના ચહેરાને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, સીએમ પદ પર કોણ બેસશે તે હું નક્કી કરીશ નહીં. તે માટે વિધાયક દળ નક્કી કરશે કે કોણ બનશે સીએમ..

પટના / Bihar Politics  : વિધાનસભા ચૂંટણી પ્રચારની સાથે એનડીએના ચૂંટણી સમીકરણોને સાધવા માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ ગુરુવારે ત્રણ દિવસીય બિહાર પ્રવાસે પટના પહોંચ્યા. શાહ પટના પહોંચ્યા બાદ એક ટીવી ચેનલના ફોરમમાં સામેલ થયા. શાહે કાર્યક્રમમાં નીતીશ કુમારને ચૂંટણી બાદ મુખ્યમંત્રી બનાવવા અંગે પૂછાયેલા પ્રશ્ન પર કહ્યું કે હું કોણ છું કોઈને મુખ્યમંત્રી બનાવનારો. એનડીએમાં ઘણા બધા દળો છે. ચૂંટણી બાદ એનડીએ વિધાનમંડળ દળ નક્કી કરશે કે કોણ મુખ્યમંત્રી હશે.

શાહે કહ્યું કે ભાજપ ગઠબંધન અને તેના સહયોગીઓનું સન્માન કરે છે અને અંતિમ નિર્ણય ચૂંટણીના પરિણામો પર આધારિત હશે.

તેમણે સ્પષ્ટ કર્યું કે એનડીએ નીતીશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડી રહ્યું છે. આ પ્રશ્ન પર કે શું ઓછી બેઠકો આવે તો પણ નીતીશ મુખ્યમંત્રી બનશે? શાહનો જવાબ હતો- આજે પણ ભાજપની બેઠકો વધુ છે. આ સાચું છે કે 2020ની વિધાનસભા ચૂંટણીમાં ઓછી બેઠકો આવવાને કારણે નીતીશ કુમારે મુખ્યમંત્રી બનવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહ પર તેઓ રાજી થયા હતા.


આ પણ વાંચો- અમેરિકી ગુપ્તચર એજન્સી CIA વેનેઝુએલામાં મોટું ઓપરેશન પાર પાડવા સજ્જ

તેમણે નીતીશ કુમારની પ્રશંસા કરી. કહ્યું કે તેઓ દેશના મહત્વના સમાજવાદી નેતા છે. તેઓ ક્યારેય કોંગ્રેસમાં રહ્યા નથી. કોંગ્રેસ સાથે તેમનો સંબંધ મહત્તમ અઢી વર્ષનો રહ્યો છે. શું બિહારમાં ભાજપની સરકાર બનાવવાનું સ્વપ્ન નથી? શાહે કહ્યું- હું સ્વપ્ન નથી જોતો. આરામથી ઊંઘું છું.

હાલમાં, બિહારમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ) સરકારનું નેતૃત્વ કરી રહ્યું છે. ભાજપ 84 બેઠકો સાથે ગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી છે, જ્યારે તેના સહયોગી જેડીયુ પાસે 48 બેઠકો છે, જે તેના સહયોગી દળની અડધી સંખ્યા છે.

આ પછી શાહે ભાજપ પ્રદેશ મુખ્યાલયમાં પાર્ટીના પ્રદેશ અધિકારીઓ અને ચૂંટણી સમિતિની અલગ-અલગમાં ભાગ લીધો હતો. ટિકિટ વહેંચણી અને બેઠકોની વહેંચણી બાદ ભાજપ તેમજ એનડીએમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓની વિસ્તારપૂર્વક જાણકારી મેળવી હતી.

શુક્રવારે શાહ સારણ જિલ્લાના તરૈયા અને અમનૌરમાં આયોજિત નામાંકન સભામાં સામેલ થશે. આ પછી ભાજપ તરફથી પટનામાં જ્ઞાન ભવનમાં આયોજિત બુદ્ધિજીવી સંમેલનને સંબોધશે.

આ પણ વાંચો- Bihar Elections : કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, શકીલ અહમદ અને રાજેશ રામ સહિત 48 નામ

Tags :
AMITSHAHBihar politicsBiharAssemblyElections2025BiharPoliticsBJPChiefMinisterJDUNDAnitishkumar
Next Article