ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Birthday special : અમિત શાહ કેવી રીતે બન્યા રાજકારણની દુનિયાના ચાણક્ય? સંઘર્ષથી ભરેલી છે રાજકીય યાત્રા

Birthday special : દેશની રાજનીતિને ધરમૂળથી બદલી નાંખનારા એવા અમિત શાહનો આજે 61મો જન્મ દિવસ છે. આજે આપણે તેમની રાજકીય સફર પર એક નજર મારતા પહેલા કહી દઈએ કે, એક સમયે દેશને એવું લાગતું હતુ કે, કોંગ્રેસને હરાવવી મુશ્કેલ છે પરંતુ જ્યારથી અમિત શાહ રાજકીય મેદાનમાં ઉતર્યા છે, ત્યારથી રાજકારણની દશાને એક નવી દિશા આપી દીધી છે. પીએમ મોદી અને અમિત શાહની જોડીએ ભારતીય રાજકારણમાં આમૂલ પરિવર્તન લાવી દીધા છે. ભારતીય જનતા પાર્ટીને દેશની સૌથી મોટી પાર્ટી બનાવવામાં બંને નેતાઓની મહેનત લાગેલી છે. તો આવો આજે જાણીએ તેમના વિશે વિસ્તારપૂર્વક
11:26 AM Oct 22, 2025 IST | Mujahid Tunvar
Birthday special : દેશની રાજનીતિને ધરમૂળથી બદલી નાંખનારા એવા અમિત શાહનો આજે 61મો જન્મ દિવસ છે. આજે આપણે તેમની રાજકીય સફર પર એક નજર મારતા પહેલા કહી દઈએ કે, એક સમયે દેશને એવું લાગતું હતુ કે, કોંગ્રેસને હરાવવી મુશ્કેલ છે પરંતુ જ્યારથી અમિત શાહ રાજકીય મેદાનમાં ઉતર્યા છે, ત્યારથી રાજકારણની દશાને એક નવી દિશા આપી દીધી છે. પીએમ મોદી અને અમિત શાહની જોડીએ ભારતીય રાજકારણમાં આમૂલ પરિવર્તન લાવી દીધા છે. ભારતીય જનતા પાર્ટીને દેશની સૌથી મોટી પાર્ટી બનાવવામાં બંને નેતાઓની મહેનત લાગેલી છે. તો આવો આજે જાણીએ તેમના વિશે વિસ્તારપૂર્વક

Birthday special  : દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964ના રોજ મુંબઈમાં રહેતા એક ગુજરાતી દંપતી કુસુમ બેન અને અનિલચંદ્ર શાહના ઘરે થયો હતો. અમિત શાહના દાદા ગાયકવાડના વડોદરા રાજ્યની એક નાની રિયાસત માણસામાં ધનિક વેપારી (નગર સેઠ) હતા. આજે અમે તમને જણાવીએ કે કેવી રીતે એક વેપારી વર્ગના છોકરાએ રાજકારણની દુનિયામાં પોતાનું એક આગવું નામ બનાવ્યું છે.

તેઓ દેશના ગૃહમંત્રી બનતા પહેલાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતના ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ભાજપના મહાસચિવ રહી ચૂક્યા છે. 2019ની લોકસભા ચૂંટણીઓમાં તેઓ ગાંધીનગરથી લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા.

16 વર્ષ સુધી ગામમાં રહ્યા

16 વર્ષની ઉંમર સુધી અમિત શાહ ગુજરાતમાં પોતાના પૈતૃક ગામ માણસામાં રહ્યા અને અહીં જ તેમની પ્રારંભિક શિક્ષણ થયું. તેમની પ્રાથમિક શિક્ષા પૂરી થયા પછી પરિવાર અમદાવાદ આવી ગયો. તેમની માતાનો તેમના જીવન પર ઊંડો પ્રભાવ હતો. તેઓ એક કટ્ટર ગાંધીવાદી હતાં અને તેમણે તેમને ખાદી પહેરવા માટે પ્રેરિત કર્યા હતા.

1980માં શરૂ થયું જાહેર જીવન

અમિત શાહનું જાહેર જીવન 1980માં શરૂ થયું. આ દરમિયાન તેઓ 16 વર્ષના હતા અને તેઓ યુવા સ્વયંસેવક તરીકે સંઘમાં જોડાયા હતા. આ દરમિયાન તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે પણ જોડાયેલા રહ્યા.

1982માં શાહને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ગુજરાત એકમના સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા. તેમણે 1984માં નારાયણપુર વોર્ડના સંઘવી બુથ પર મતદાન એજન્ટ તરીકે ભાજપ માટે કામ કર્યું. 1987માં અમિત શાહ ભાજપના યુવા મોર્ચામાં જોડાયા. અમિત શાહને સમાજ સુધારક નાનાજી દેશમુખની નજીક રહીને તેમની કાર્યશૈલી જોવા અને શીખવાનો અવસર મળ્યો.

1989માં બન્યા ભાજપની અમદાવાદ એકમના સચિવ

1989માં અમિત શાહ ભાજપની અમદાવાદ એકમના સચિવ બન્યા. આ દરમિયાન આખા દેશમાં શ્રી રામ જન્મભૂમિ આંદોલનની હવા ચાલી રહી હતી. તેમણે શ્રી રામ જન્મભૂમિ આંદોલન અને પછી એકતા યાત્રામાં પાર્ટી દ્વારા આપેલી પોતાની જવાબદારી ખુબ જ સારી રીતે નિભાવી હતી. જ્યારે પણ લાલકૃષ્ણ આડવાણી અને અટલ બિહારી વાજપેયી ગાંધીનગર લોકસભામાંથી ચૂંટણી લડ્યા, ત્યારે અમિત શાહે તેમના ચૂંટણી વ્યવસ્થાપનની જવાબદારી ખુબ જ સારી રીતે સંભાળી હતી.

90ના દાયકામાં નરેન્દ્ર મોદીના સંપર્કમાં આવ્યા

90ના દાયકામાં ગુજરાતમાં ભાજપનો ઝડપથી ઉદય થયો. આ દરમિયાન વર્તમાન PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં ભાજપના સંગઠન સચિવના પદ પર કાર્યરત હતા. આ જ સમય હતો જ્યારે અમિત શાહ અને નરેન્દ્ર મોદી સંપર્કમાં આવ્યા હતા. શાહ ગુજરાતમાં પાર્ટી દ્વારા શરૂ કરાયેલા સભ્યતા અભિયાનને વ્યાપક બનાવવા અને તેના દસ્તાવેજીકરણમાં પાર્ટી નેતૃત્વ સાથે જોડાયેલા રહ્યા હતા.

1997માં બન્યા ધારાસભ્ય, પછી 2012 સુધી સતત જીત્યા

વર્ષ 1997માં અમિત શાહ ભાજપના યુવા મોર્ચાના રાષ્ટ્રીય કોષાધ્યક્ષ બન્યા હતા. આ જ વર્ષે સરખેજ વિધાનસભા ઉપચૂંટણીમાં પાર્ટીએ તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા અને તેઓ 25,000 મતોના અંતરથી જીતીને પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા.

ત્યારથી અમિત શાહ 2012 સુધી દરેક વિધાનસભા ચૂંટણી જીતતા રહ્યા અને દર વખતે તેમની જીતનું અંતર વધતું જ ગયું. જ્યારે તેમણે નારણપુરાથી પાંચમી વખત વિધાનસભા ચૂંટણી લડી ત્યારે તેમની જીતનું અંતર 63,235 મતોનું હતું. 1998માં તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ સચિવ બન્યા અને એક વર્ષની અંદર જ તેમને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી દેવામાં આવી.

2002, 2009 અને 2013માં પણ મળી મહત્વની જવાબદારીઓ

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં 2002માં પહેલી વખત થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં આયોજિત ‘ગૌરવ-યાત્રા’માં પાર્ટી દ્વારા શાહને એક મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી હતી. ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતી અને અમિત શાહ સરકારમાં મંત્રી બન્યા હતા. તેઓ 2010 સુધી ગુજરાત સરકારમાં મહત્વપૂર્ણ વિભાગોના મંત્રી રહ્યા. તેમને ગૃહ, પરિવહન, દારૂ નિષેધ, સંસદીય કાર્ય, કાયદો અને આબકારી જેવા વિભાગોની જવાબદારી સોંપવામાં આવી હતી.

2009માં તેમને નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપાધ્યક્ષ બનવાનો પણ અવસર મળ્યો હતો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી અમિત શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ બન્યા હતા. 2013માં ભાજપે તેમને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ બનાવીને એક મોટી જવાબદારી આપી દેવામાં આવી હતી.

2014ની ચૂંટણીઓમાં પોતાની રણનીતિથી બધાને બનાવ્યા મુરીદ

2014ની ચૂંટણીઓમાં જ્યારે ભાજપે નરેન્દ્ર મોદીને પોતાના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવ્યા, ત્યારે અમિત શાહને રાજકીય રીતે મહત્વપૂર્ણ રાજ્ય ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવીને મોકલવામાં આવ્યા હતા.

દેશે નરેન્દ્ર મોદીના પક્ષમાં જનાદેશ આપ્યો અને ભાજપને ઉત્તર પ્રદેશમાંથી 73 બેઠકો મળી અને તેનો વોટ પર્સન્ટેજ 42% સુધી પહોંચી ગયો. આ પાર્ટી માટે એક શાનદાર સફળતા હતી અને સાથે જ શાહની રણનીતિક કુશળતાનો પણ પુરાવો હતો.

અમિત શાહને 9 જુલાઈ 2014ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેઓ 2020 સુધી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા. વર્ષ 2017માં અમિત શાહ ગુજરાતમાંથી રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટાયા. 2019ની લોકસભા ચૂંટણીમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તેલંગાણામાં ભાજપના વિસ્તારનો શ્રેય શાહને આપવામાં આવે છે.

1997થી 2017 સુધી ગુજરાત વિધાનસભાના સભ્ય રહેલા અમિત શાહે 2019માં પહેલી વખત ગાંધીનગરથી લોકસભા ચૂંટણી લડી અને ગાંધીનગરથી શાનદાર જીત હાંસલ કરી. તેમણે 70 ટકા વોટ મેળવીને પોતાના નજીકના પ્રતિસ્પર્ધીને 5 લાખ 57 હજાર વોટના અંતરથી હરાવ્યા હતા.

2019માં બનાવવામાં આવ્યા દેશના ગૃહમંત્રી

2019માં અમિત શાહ દેશના ગૃહમંત્રી બન્યા હતા. ગૃહમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન કેન્દ્રની મોદી સરકારે દેશની આંતરિક સુરક્ષાને અભેદ્ય બનાવવા સંબંધિત અનેક ઐતિહાસિક નિર્ણયો લીધા છે. તેઓ પોતાની અનુશાસિત કાર્યશૈલી માટે જાણીતા છે. ઇતિહાસના અભ્યાસ અને આધ્યાત્મમાં તેમની વિશેષ રુચિ છે. ત્યારથી અત્યાર સુધી તેઓ દેશના ગૃહમંત્રી છે અને આજે પણ પાર્ટી માટે સમર્પિત કાર્યકર્તા જેવું કામ કરે છે.

આ પણ વાંચો- અમિત શાહનો આજે 61મો જન્મદિવસ, PM મોદીએ આગવા અંદાજમાં પાઠવી જન્મદિવસની શુભેચ્છા

Tags :
#AmitShahBirthday#AmitShahTravel#BJPChanakya#GandhinagarMP#GujaratCricket#HomeMinisterShah#ModiShahJodi#RamMandirAndolan#RSSSwayanSevak#SuccessfulConflict#UPElection2014BirthdaySpecialgujaratpoliticsIndianPoliticsPoliticalStrategy
Next Article