"ભારત ક્યારે ઝૂકતું નથી, અમને કોઇ રોકી શક્યું નથી" - શાહરૂખ ખાન
- ગ્લોબલ પીસ ઓનર્સ 2025 માં શાહરૂખ ખાન છવાયા
- દેશમાં થયેલા હુમલામાં શહીદ અને મૃતકોને નમ્ર શ્રદ્ધાંજલિ પાઠવી
- ભારત ક્યારે ઝૂકતું નથી. અમને કોઇ રોકી શક્યું નથી - શાહરૂખ ખાન
Shahrukh Khan Pay Tribute to Martyr : આજરોજ મુંબઇમાં ગ્લોબલ પીસ ઓનર્સ 2025 કાર્યક્રમનું (Global Peace Honors - Mumbai) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંબોધન કરતા બોલિવુડના કિંગ ખાન શાહરૂખ ખાને 26/11,પહેલગામ,દિલ્હી વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને મારી નમ્ર શ્રદ્ધાંજલિ પાઠવી છે, અને તમામને આસપાસના જાતિ, ભેદભાવ ભૂલી જઈએ અને માનવતાના માર્ગ પર ચાલવા માટેનું આહ્વાન કર્યું છે (Shahrukh Khan Pay Tribute to Martyr).
View this post on Instagram
હું 1.4 અબજ લોકોના આશીર્વાદ કમાઉ છું
ગ્લોબલ પીસ ઓનર્સ 2025 (Global Peace Honors - Mumbai) માં સુપરસ્ટાર શાહરૂખ ખાને કહ્યું કે, "26/11 ના આતંકવાદી હુમલા, પહેલગામ આતંકવાદી હુમલો અને તાજેતરના દિલ્હી વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અને આ હુમલાઓમાં શહીદ થયેલા આપણા બહાદુર સુરક્ષા કર્મચારીઓને મારી આદરપૂર્ણ સલામ (Shahrukh Khan Pay Tribute to Martyr). આજે, મને દેશના બહાદુર સૈનિકો અને જવાનો માટે આ ચાર સુંદર પંક્તિઓ વાંચવાનું કહેવામાં આવ્યું છે... જ્યારે કોઈ તમને પૂછે કે તમે શું કરો છો, તો ગર્વથી કહો કે હું દેશનું રક્ષણ કરું છું. જો કોઈ તમને પૂછે કે તમે કેટલું કમાઓ છો, તો થોડું સ્મિત કરો અને કહો, હું 1.4 અબજ લોકોના આશીર્વાદ કમાઉ છું. અને જો તેઓ ફરીને તમને પૂછે કે, શું તમને ક્યારેય ડર નથી લાગતો? તેમની આંખોમાં જુઓ અને કહો, જેઓ આપણા પર હુમલો કરે છે, તેઓ ડર અનુભવે છે.
હિંમત અને જાંબાઝી માટે તમને દિલથી સલામ
તેમણે વધુમાં કહ્યું કે, ગ્લોબલ પીસ ઓનર્સના (Global Peace Honors - Mumbai) મોકા પર દેશના શહીદો અને તેમના માતા-પિતાના જુસ્સાને સલામ કરૂં છું (Shahrukh Khan Pay Tribute to Martyr). તેમના સાથીના હોંસલાને સલામ કરવા માંગું છું. કારણકે જંગમાં તેઓ હતા, પરંતુ તમે પણ લડાઇ લડી છે. તમારી હિંમત અને જાંબાઝી માટે તમને દિલથી સલામ, આ દેશ માટે હંમેશા કહેવાય છે કે, ભારત ક્યારે ઝૂકતું નથી. અમને કોઇ રોકી શક્યું નથી, અમને કોઇ હરાવી શક્યું નથી. અમારી શાંતિને કોઇ છીનવી શક્યું નથી. જ્યાં સુધી દેશના સુપરહીરો, યુનિફોર્મમાં ફરજ બજાવતા જવાનો, આપણે રક્ષકો છે, ત્યાં સુધી કોઇ દેશની શાંતિને છીનવવી મુશ્કેલ જ નહીં, પરંતુ અશક્ય છે.
શહાદત વ્યર્થ ના જાય
તેમણે વધુમાં ઉમેર્યું કે, શાંતિ સુંદર વસ્તું છે, આખી દુનિયા તેની પાછળ દોડે છે. શાંતિ જ સારી દુનિયા માટેની ક્રાંતિ છે. ચાલો આપણે બધા સાથે મળીને શાંતિ તરફ પગલાં લઈએ (Shahrukh Khan Pay Tribute to Martyr). ચાલો આપણે આપણી આસપાસના જાતિ, ભેદભાવ ભૂલી જઈએ અને માનવતાના માર્ગ પર ચાલીએ જેથી આપણા દેશની શાંતિ માટે આપણા નાયકોની શહાદત વ્યર્થ ના જાય..."
આ પણ વાંચો ------ દિવ્યા ખોસલા કુમાર અને મુકેશ ભટ્ટનો ઓડિયો વાયરલ, 'ઇન્ડસ્ટ્રી માફિયા' વિરૂદ્ધ મોરચો


