ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vav-Tharad : માતાને લાફો મારવાના મનદુઃખમાં ભાઈઓ વચ્ચે ખેલાયો ખૂની ખેલ, નાના ભાઈએ કરી મોટા ભાઈની હત્યા

Vav-Tharad : પરિવારોમાં બનતી નાની-નાની ઘટનાઓ આખે આખા પરિવારોનું જીવન ધૂળધાણી કરતી એક ઘટના સામે આવી છે. આ ઘટના વાવ તાલુકાના ભાટવર વાસ ગામમાં પ્રજાપતિ સમાજમાં બની છે. આ ઘટનામાં ભાઈઓ વચ્ચે રહેલો મનદુ:ખ અંતે મર્ડર સુધી પહોંચી ગયો છે. વાત જાણે તેમ છે કે એક ભાઈએ માતાને કોઈ કારણસર લાફો માર્યો તો આને લઈને બીજા ભાઈને ખોટું લાગ્યું અને નાના ભાઈએ બે દિવસ પછી રિસ રાખીને મોટા ભાઈને માથામાં પાઈપનો ઘા માર્યો હતો. આ ઘા એટલો જોરદાર હતો કે,
08:42 PM Oct 31, 2025 IST | Mujahid Tunvar
Vav-Tharad : પરિવારોમાં બનતી નાની-નાની ઘટનાઓ આખે આખા પરિવારોનું જીવન ધૂળધાણી કરતી એક ઘટના સામે આવી છે. આ ઘટના વાવ તાલુકાના ભાટવર વાસ ગામમાં પ્રજાપતિ સમાજમાં બની છે. આ ઘટનામાં ભાઈઓ વચ્ચે રહેલો મનદુ:ખ અંતે મર્ડર સુધી પહોંચી ગયો છે. વાત જાણે તેમ છે કે એક ભાઈએ માતાને કોઈ કારણસર લાફો માર્યો તો આને લઈને બીજા ભાઈને ખોટું લાગ્યું અને નાના ભાઈએ બે દિવસ પછી રિસ રાખીને મોટા ભાઈને માથામાં પાઈપનો ઘા માર્યો હતો. આ ઘા એટલો જોરદાર હતો કે,

Vav-Tharad : વાવ-થરાદ જિલ્લાના વાવ તાલુકાના ભાટવર વાસ ગામમાં માતાને લાફો મારવાની બાબતે થયેલા મનદુ:ખમાં ભાઈઓ વચ્ચે ખુની ખેલ ખેલાયો છે. આ હિચકારી ઘટનામાં નાના ભાઈએ મોટા ભાઈની માથામાં ઈંગલ મારીને હત્યા કરીને પોતાને પોલીસને હવાલે કરી દીધો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. ગત 29 ઓક્ટોબરની રાત્રે 9 વાગ્યે નાના ભાઈ અમરત પ્રજાપતિએ પોતાના મોટા ભાઈ વિક્રમ પ્રજાપતિની લોખંડી ઇંગલ વડે મારી હત્યા કરી દીધી હતી. હત્યા પછી આરોપી અમરત પ્રજાપતિ જાતે વાવ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો, જ્યારે મૃતકના વધુ એક મોટા ભાઈએ અમરત વિરુદ્ધ જાતે ફરિયાદ નોંધાવી છે.

Vav-Tharad જિલ્લામાં ભાઈઓ વચ્ચે ખેલાયો ખૂની ખેલ

ઘટનાની વિગતો અનુસાર, મૃતક વિક્રમ પ્રજાપતિ અને આરોપી અમરત પ્રજાપતિ ગત 25 ઓક્ટોબરના રોજ થરાદ ખાતેની એક હોટેલમાં બર્થ-ડે પાર્ટીમાં હાજર હતા. ત્યાં કોઈ કારણસર વિક્રમે પોતાની માતા સવિતાબેન પ્રજાપતિને લાફો માર્યો હતો. આ ઘટનાના મનદુઃખમાં અમરતને તીવ્ર રોષ ઊભો થયો હતો. પોલીસ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું કે, આ મનદુઃખને કારણે અમરતે 29 ઓક્ટોબરની રાત્રે વિક્રમને માથાના ભાગે ઇંગલ મારી દીધી અને ત્યાંથી ફરાર થઈ વાવ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો.

આરોપી અમરત પ્રજાપતિ

આ પણ વાંચો- Bhavnagar : મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની કમોસમી વરસાદ પર સમીક્ષા બેઠક, જાણો ખેડૂતો માટે શું કહ્યું?

ઈંગલ માર્યા પછી વિક્રમ લોહીથી લુહાણ થઈ જમીન પર પડ્યો હતો. તેના બાજુમાં રહેતા મોટા ભાઈ અને ભાભીએ દોડી આવીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હાજર તબીબીએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના મોટા ભાઈએ વાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને જણાવ્યું કે, અમરતે જ વિક્રમની હત્યા કરી છે. તેઓએ ફરિયાદમાં 25 ઓક્ટોબરની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં વિક્રમે માતાને લાફો માર્યો હતો અને તેના મનદુઃખમાં અમરતે આ કૃત્ય કર્યું હોવાનું કહ્યું છે.

પોલીસના પ્રાથમિક તપાસમાં અન્ય કારણ

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અમરત પ્રજાપતિ પોતાના મોટા ભાઈ વિક્રમની રોજિંદા હેરગત્તી અને ધમકીઓથી તંગ આવ્યો હતો. આ ઉપરાંત, માતાને લાફો મારની ઘટના તો તાત્કાલિક કારણ બની પરંતુ પરિવારમાં ચાલતા જૂના વિવાદો પણ આના પાછળ છુપાયેલા હોવાનું જાણવા મળે છે. પોલીસે આરોપી અમરતને ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે. વાવ પોલીસ તપાસમાં અન્ય કોઈ કારણો કે સામેલ વ્યક્તિઓ વિશે પણ તપાસ કરી રહી છે, જેથી સમગ્ર ઘટનાનો ભેદ ખુલી શકે.

મૃતક વિક્રમ પ્રજાપતિ

આ દુઃખદ ઘટનાએ ગામમાં શોકનો વાતાવરણ ફેલાવી દીધો છે. પરિવારના સભ્યો વચ્ચે તણાવની સ્થિતિ છે, પરંતુ પોલીસે વ્યવસ્થા જાળવી રાખી છે. આવી ઘટનાઓ પર રોક લગાવવા પરિવારોમાં વાતચીત અને સમજણની જરૂર છે.

આ પણ વાંચો-અમદાવાદમાં અંતિમ વિધિ માટે ટાયરો અને ગોદડાના ઉપયોગથી રોષ

Tags :
#AmratPrajapati#BhatvarVas#FratriKilling#MurderCrime#VikramPrajapatiGujaratCrimegujaratnewsVav-TharadVavtharad
Next Article