સુરતમાં વેપારીના આપઘાત મામલો, પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ
- વેપારી આપઘાત મામલો
- પોલીસે 2 આરોપીઓની ધરપકડ
- વેપારીએ માનસિક ત્રાસથી અંતિમ પગલું ભર્યું
Surat : ટેક્સટાઇલ ઉદ્યોગમાં એક કાપડ વેપારી પાસેથી ચાર જેટલા વ્યક્તિઓએ માલ ખરીદ્યા બાદ છેલ્લા લાંબા સમયથી રૂપિયા નહીં આપી જે રૂપિયા લેવાના હતા તેના બીલો પર રૂપિયા અપાઈ ગયા છે એવું સેટલમેન્ટ લખી આપવા માટે દબાણ કરતા હતા જેને લઈને વેપારી દ્વારા 23 તારીખે ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેવામાં આવ્યો હતો આ ઘટના માં પોલીસે તપાસ કરતા વેપારી આપઘાત પહેલા એક સુસાઈટ નોટ લખી હતી જે પોલીસના હાથે લાગી હતી જેને લઇને પોલીસે આ ઘટના માં ચાર જેટલા વેપારી વિરુદ્ધ આપઘાત ની દુસ્પ્રેરના ગુનો દાખલ કરી ચારમાંથી બે વેપારીઓની ધરપકડ કરી છે
વેપારીએ 23 ડિસેમ્બરના ઘરે જીવન ટુકાવ્યું
સુરત ટેક્સટાઇલ સીટી તરીકે ઓળખાતા સુરતમાં કાપડનો સૌથી મોટો વેપાર ચાલી આવ્યો છે..આ વેપારમાં કેટલાક તત્વો માલ ખરીદ્યા બાદ રૂપિયા નહીં આપી છેતરપિંડી કરતા હોય છે અને આવી ફરિયાદો સુરત પોલીસ ચોપડે દરરોજ નોંધાતી હોય છે. ત્યારે સલાબતપુરા વિસ્તારમાં આવેલ ટેક્સટાઇલ્સ માર્કેટમાં દુકાન ધરાવતા કમલ અગ્રવાલ નામના વેપારીએ તારીખ 23 ડિસેમ્બરના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતા સલાબતપુરા પોલીસ વેપારીના ઘરે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.
પોલીસને વેપારીના ઘરમાં થી મળી સુસાઈટ નોટ
ત્યારે વેપારીના ઘરમાં થી સુસાઈટ નોટ પોલીસના હાથે લાગી હતી. જેમાં આદિલ સૈયદ રાહુલ વિક્રમ અને તુષાર ગોયલ નામના ચાર વેપારીઓને તેઓ દ્વારા ૭૦ થી ૮૦ લાખ રૂપિયાનો માલ આપવામાં આવ્યો હતો અને આ માલના પૈસા લાંબા સમયથી નહીં આપી તેમની સાથે ગલ્લા તલ્લા કરતા હતા. જોકે આ વેપારીઓ પૈસા તો નહીં આપ્યા પણ જે માલના બિલ આપ્યા હતા તેમાં પૈસા આપી દીધા છે તેવું લખાણ કરી આપવા માટે સતત દબાણ કરતા હતા. જેને લઈને આ વેપારીને ડરાવા ધમકાવવામાં આવતો હતો.આ કારણસર વેપારીએ આપઘાત કરી લીધા હોવાનું સુસાઇડ નોટમાં સામે આવ્યું હતું.
આ પણ વાંચો -Surat: એક્સિસ બેંકના કર્મચારીઓ સાથે કરી હતી કરોડોની લૂંટ, પોલીસે આરોપીને દબોચ્યો
રાહુલ આદિલ સૈયદ કપડાની દલાલીનું કામ કરતો
પોલીસે આ ઘટનાની ગંભીરતા રાખી તાત્કાલિક આ ચાર વેપારી વિરુદ્ધ આપઘાતની દુસ્પ્રેરનાનો ગુનો દાખલ કરી પોલીસે આ ગુનામાં આદિલ સૈયદ અને રાહુલ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી આદિલ સૈયદ પાસેથી મરનાર કમલ અગ્રવાલ એ 12 લાખ રૂપિયા લેવાના હતા જ્યારે રાહુલ આદિલ સૈયદ ને ત્યાં કામ કરતો હતો અને કપડાની દલાલીનું કામ પણ જોડે કરતો હતો તેની પાસેથી પણ રૂપિયા લેવાના હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્યારે આ ગુનામાં વિક્રમ અને તુષાર ગોયલ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
આ પણ વાંચો -સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા,ચીખલીઘર ગેંગના બે આરોપીની કરી ધરપકડ
વેપારીએ અંતિમ પગલું ભર્યું
મહત્વનું છે કે આરોપીઓએ વેપારીનો વિશ્વાસ અને ભરોસો કેળવી લાખોની કિંમતનો કાપડનો માલ ઉધાર ખરીદ્યો હતો. જે માલનું પેમેન્ટ ચૂકવી આપવાનો વાયદો કરી હાથ અધ્ધર કરી દીધા હતા. વારંવાર ઉઘરાની કરવા છતાં માલ નું પેમેન્ટ કરાયું નહોતું. માલુ પેમેન્ટો પરત કરવામાં આવતું નતું પરંતુ જે પેમેન્ટ વેપારીએ લેવાનું નીકળતું હતું તે ચૂકવી દેવામાં આવ્યું છે તેમ બિલ પર લખી આપવા દબાણ કરાતું હતું. જ્યાં અંતે માનસિક ત્રાસથી કંટાળેલા વેપારીએ અંતિમ પગલું ભરી લીધું હતું. જ્યાં આવા લેભાગુ તત્વોથી સાવચેત રહેવા ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓએ પણ હવે જરૂર છે.
અહેવાલ -રાકેશ ભ્રમભટ્ટ -સૂરત