Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BZ Groups Scam : આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલીઓમાં વધારો, સરકારની મોટી કાર્યવાહી!

માહિતી અનુસાર, હિંમતનગર નાયબ કલેક્ટરે આઠ મામલતદારોને પત્ર લખી પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા જાણ કરી છે.
bz groups scam   આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલીઓમાં વધારો  સરકારની મોટી કાર્યવાહી
Advertisement
  1. BZ Groups Scam માં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની મિલકતો લેવાશે ટાંચમાં
  2. સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં મિલકતોને લઈ થશે કાર્યવાહી
  3. 8 મામલતદારોને હિંમતનગર નાયબ કલેક્ટરે લખ્યો પત્ર
  4. પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા નાયબ કલેક્ટરે કરી જાણ

BZ Groups Scam : રાજ્યમાં પોંઝી સ્કીમો થકી મસમોટું કૌભાંડ આચરનારા BZ ગ્રૂપનાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને (Bhupendrasinh Zala) લઈ મોટા સમાચાર આવ્યા છે. આરોપી ભૂપેન્દ્ર ઝાલાની સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં (Gandhinagar) આવેલી કેટલીક મિલકતો ટાંચમાં લેવાશે. 8 જેટલા મામલતદારોને હિંમતનગર નાયબ કલેક્ટરે (Himmatnagar Deputy Collector) પત્ર લખી આરોપીની મિલકતો સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે. પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા નાયબ કલેક્ટરે જાણ કરી છે. રોકાણકારોના ફસાયેલા નાણા પરત મળે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો - Sabar Dairy : રાજસ્થાનમાંથી દૂધની ખરીદીમાં ડિરેક્ટરો, વહીવટકર્તા 'ભ્રષ્ટાચાર' આચરતા હોવાનો ગંભીર આરોપ

Advertisement

Advertisement

સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં ભૂપેન્દ્ર ઝાલાની મિલકતો ટાંચમાં લેવાશે

રાજ્યમાં હજારો કરોડ રૂપિયાનું સૌથી મોટું કૌભાંડ (BZ Groups Scam) આચરનારા BZ ગ્રૂપનાં કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાની (Bhupendrasinh Zala) મુશ્કેલીઓ વધી છે. આરોપી ભૂપેન્દ્ર ઝાલાની મિલકતોને હવે ટાંચમાં લેવાશે. માહિતી અનુસાર, હિંમતનગર નાયબ કલેક્ટરે આઠ મામલતદારોને પત્ર લખી પ્રોપર્ટી કાર્ડમાં વિગત નોંધ કરવા જાણ કરી છે. આથી, આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સાબરકાંઠા (Sabarkantha), અરવલ્લી (Aravalli) અને ગાંધીનગરમાં આવેલી મિલકતોને લઈ હવે કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો - Chhota Udepur : ધો.10ની વિદ્યાર્થીનીને મળ્યો ન્યાય, યોગ્ય તપાસ બાદ ઉત્તીર્ણ જાહેર કરાઈ

રોકાણકારોનાં ફસાયેલા નાણા પરત મળી શકે તે માટે કાર્યવાહી

માહિતી અનુસાર, રોકાણકારોનાં ફસાયેલા નાણા પરત મળી શકે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. GPID એક્ટ હેઠળ રોકાણકારોને રકમ પરત અપાવવા કાર્યવાહી કરવામાં આવશે. નાયબ કલેક્ટર દ્વારા હિંમતનગર, તલોદ (Talod), માલપુર, માણસા, મોડાસા (Modasa) સહિતનાં મામલતદારોને પત્ર લખીને સૂચન કરાયું છે. આ કાર્યવાહી આગામી થોડા દિવસમાં જ શરૂ થશે એવી માહિતી છે.

આ પણ વાંચો - Bhavnagar: સોમનાથ નેશનલ હાઈવે બન્યો રક્તરંજિત, ટ્રિપલ એક્સિડન્ટમાં 3નાં મોત

Tags :
Advertisement

.

×