Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

જાતિની દીવાલો vs પ્રેમ : આરતી સાંગાણીના Love Marriage વિવાદ વચ્ચે વાલ્મિકી સમાજના નિવેદને ફરી ખોલ્યું જૂનું પ્રકરણ

રાજકોટ/ગોંડલ : ગુજરાતી સંગીત જગતમાં જાણીતું નામ આરતી સાંગાણીના તાજેતરના પ્રેમલગ્ને (Love Marriage) સમગ્ર રાજ્યમાં વિવાદનું વાવાઝોડું ઊભું કર્યું છે. 16 ડિસેમ્બર 2025ના રોજ આરતીએ તબલા વાદક દેવાંગ ગોહેલ સાથે લગ્ન કર્યા, જે આંતરજ્ઞાતિ હોવાને કારણે પાટીદાર સમાજમાં તીવ્ર વિરોધને જન્મ આપ્યો છે. આરતી પાટીદાર સમાજની છે, જ્યારે દેવાંગ ગોહેલ વાલ્મિકી સમાજના છે અને મૂળ ગોંડલના વતની છે.
જાતિની દીવાલો vs પ્રેમ   આરતી સાંગાણીના love marriage વિવાદ વચ્ચે વાલ્મિકી સમાજના નિવેદને ફરી ખોલ્યું જૂનું પ્રકરણ
Advertisement
  • આરતી સાંગાણી Love Marriage : પાટીદાર-વાલ્મિકી વિવાદમાં ડબલ સ્ટાન્ડર્ડનો સવાલ
  • પ્રેમલગ્નથી વકર્યો વિવાદ : હવે સામે આવ્યું વાલ્મિકી સમાજનું નિવેદન, ગોહિલને આપ્યો ટેકો
  • જાતિની દીવાલો vs પ્રેમ : આરતી સાંગાણીના લગ્ને ફરી ખોલ્યું જૂનું પ્રકરણ
  • "દીકરી સ્વીકારો છો તો દીકરાને કેમ નહીં?" – વાલ્મિકી સમાજનો પાટીદારોને સીધો સવાલ
  • આરતી-દેવાંગ Love Marage : ગુજરાતી સમાજમાં આંતરજ્ઞાતિ વિવાદનો નવો વળાંક

રાજકોટ/ગોંડલ : ગુજરાતી સંગીત જગતમાં જાણીતું નામ આરતી સાંગાણીના તાજેતરના પ્રેમલગ્ને (Love Marriage) સમગ્ર રાજ્યમાં વિવાદનું વાવાઝોડું ઊભું કર્યું છે. 16 ડિસેમ્બર 2025ના રોજ આરતીએ તબલા વાદક દેવાંગ ગોહેલ સાથે લગ્ન કર્યા, જે આંતરજ્ઞાતિ હોવાને કારણે પાટીદાર સમાજમાં તીવ્ર વિરોધને જન્મ આપ્યો છે. આરતી પાટીદાર સમાજની છે, જ્યારે દેવાંગ ગોહેલ વાલ્મિકી સમાજના છે અને મૂળ ગોંડલના વતની છે. આ વિવાદમાં પાટીદાર સમાજના આગેવાનો અને અલ્પેશ કથીરિયા જેવા નેતાઓએ તીખા પ્રતિસાદ આપ્યા છે, જ્યાં કેટલાકે આરતીને સમાજમાંથી બહિષ્કૃત કરવા અને તેના કાર્યક્રમોમાં નહીં બોલાવવાની વાત કરી છે.

Love Marriage વિવાદમાં વાલ્મિકી સમાજનું નિવેદન

પરંતુ આ વિવાદમાં માત્ર એક પક્ષની વાત નથી. હવે વાલ્મિકી સમાજ પણ મેદાને આવ્યો છે અને ગોંડલના વાલ્મિકી સમાજે દેવાંગ ગોહેલને જાહેરમાં ટેકો આપ્યો છે. વાલ્મિકી સમાજના આગેવાન ઉમંગ વાઘેલાએ આ અંગે વિગતવાર નિવેદન આપ્યું છે, જેમાં તેમણે પાટીદાર સમાજની ચિંતાને સ્વીકારી છે પરંતુ એક મહત્વનો સવાલ ઉઠાવ્યો છે.

Advertisement

Advertisement

ઉમંગ વાઘેલાએ આરતી-દેવાંગને આપ્યો ટેક

ઉમંગ વાઘેલાએ કહ્યું કે, “પટેલ સમાજ એક રીતે એમની જગ્યાએ સાચો છે. દરેક માતા-પિતાને પોતાની દીકરીની ચિંતા થાય તે સ્વાભાવિક છે. પરંતુ પાટીદાર દીકરાના વાલ્મિકી સમાજની દીકરી સાથે લગ્ન થયા હતા. અમરેલીમાં દોઢ વર્ષ પહેલા આવા લગ્ન થયા અને ત્યાં રોટી-બેટીનો વહેવાર ચાલુ છે. પાટીદાર સમાજ દીકરીને સ્વીકારતો હોય તો દીકરાને કેમ નહીં?”

ઉમંગ વાઘેલાની અપીલ

ઉમંગ વાઘેલાએ વધુમાં કહ્યું કે આ વાતથી રાજકારણને દૂર રાખવું જોઈએ અને તેને વ્યક્તિગત અને સામાજિક મુદ્દા તરીકે જ જોવો જોઈએ.

આ નિવેદનથી વિવાદમાં નવો વળાંક આવ્યો છે. હવે મુદ્દો માત્ર એક લગ્નનો નથી રહ્યો, પરંતુ આંતરજ્ઞાતિ લગ્નોમાં અપનાવાતા ડબલ સ્ટાન્ડર્ડનો બની ગયો છે. સોશિયલ મીડિયા પર ઘણા લોકો પૂછી રહ્યા છે કે જો વાલ્મિકી સમાજની દીકરીને પાટીદાર સમાજમાં સ્વીકારવામાં કોઈ વાંધો નથી, તો વાલ્મિકી સમાજના દીકરાને કેમ વાંધો છે? આ વિવાદ કિંજલ દવેના કેસ જેવો જ છે, જ્યાં પણ જ્ઞાતિની દીવાલો અને વ્યક્તિગત પસંદગી વચ્ચેના સંઘર્ષની ચર્ચા થઈ હતી.

આજના યુગમાં જ્યારે યુવાનો પ્રેમ અને વ્યક્તિગત સ્વતંત્રતાને પ્રાધાન્ય આપે છે, ત્યારે આવા વિવાદો એક મોટો સવાલ ઉઠાવે છે. શું જ્ઞાતિની સીમાઓ હજુ પણ આટલી મજબૂત છે કે તે પ્રેમને પણ પરાજિત કરી શકે? અને જો તેમ છે તો તેની કિંમત કોણ ચૂકવે – પ્રેમી યુગલ કે સમાજના જૂના નિયમો?

આ પણ વાંચો- જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં Gujarat BJP ની નવી ટીમ : 10 ઉપપ્રમુખો સહિત મહામંત્રીઓની જાહેરાત

Tags :
Advertisement

.

×