ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં કાવતરું ? CBIની તપાસ શરુ 

ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ટ્રેન દુર્ઘટનાની તપાસ CBIએ પોતાના હાથમાં લીધી છે. મંગળવારે (6 જૂન) CBIએ આ મામલે કેસ નોંધ્યો છે. સીબીઆઈ અધિકારીએ જણાવ્યું કે એક ટીમ બાલાસોર પહોંચી છે અને ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં...
05:05 PM Jun 06, 2023 IST | Vipul Pandya
ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ટ્રેન દુર્ઘટનાની તપાસ CBIએ પોતાના હાથમાં લીધી છે. મંગળવારે (6 જૂન) CBIએ આ મામલે કેસ નોંધ્યો છે. સીબીઆઈ અધિકારીએ જણાવ્યું કે એક ટીમ બાલાસોર પહોંચી છે અને ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં...
ઓડિશાના બાલાસોર જિલ્લામાં થયેલા ટ્રેન દુર્ઘટનાની તપાસ CBIએ પોતાના હાથમાં લીધી છે. મંગળવારે (6 જૂન) CBIએ આ મામલે કેસ નોંધ્યો છે. સીબીઆઈ અધિકારીએ જણાવ્યું કે એક ટીમ બાલાસોર પહોંચી છે અને ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. આ ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 278 લોકોના મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ થયા છે.
અધિકારીએ જણાવ્યું કે સીબીઆઈએ રેલવે મંત્રાલયની વિનંતી, ઓડિશા સરકારની સંમતિ અને કેન્દ્ર સરકારના આદેશો પર કોરોમંડલ એક્સપ્રેસ, યશવંતપુર-હાવડા એક્સપ્રેસ અને એક માલસામાન ટ્રેનને સંડોવતા ટ્રેન અકસ્માતના સંબંધમાં કેસ નોંધ્યો છે. આ ઘટના 2 જૂને ઓડિશાના બહંગા બજાર સ્ટેશન પાસે બની હતી.
બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં CBI તપાસ શરૂ
CBIની ટીમે મંગળવારે સિગ્નલ રૂમ અને રેલવે ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું. બહાનગા બજાર રેલવે સ્ટેશન પર તૈનાત રેલવે અધિકારીઓની પણ પૂછપરછ કરી હતી. સીબીઆઈ અધિકારીઓની સાથે ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેન્સિક ટીમે સિગ્નલ રૂપના કર્મચારીઓ સાથે પણ વાત કરી અને સાધનોના ઉપયોગ અને તેમની કામ કરવાની પદ્ધતિઓ વિશે પૂછપરછ કરી.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શું કહ્યું?
સીબીઆઈ અકસ્માતની ગુનાહિત એંગલથી તપાસ કરશે કારણ કે રેલવેએ અકસ્માત પાછળ તોડફોડ કે બાહ્ય હસ્તક્ષેપની શક્યતા વ્યક્ત કરી છે. આ અકસ્માત બાદ 3 જૂને ઓડિશા પોલીસે બાલાસોર સરકારી રેલવે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો હતો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં ફેરફારને કારણે આ દુર્ઘટના થઈ છે.
આ અકસ્માત બહાનાગા બજાર સ્ટેશન પાસે થયો હતો
આ ભયાનક અકસ્માત ઓડિશાના બાલાસોર જિલ્લાના બહંગા બજાર રેલ્વે સ્ટેશન પર 2 જૂનની સાંજે લગભગ સાત વાગ્યે થયો હતો. ત્યારબાદ ચેન્નાઈ જઈ રહેલી કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા માલગાડી સાથે અથડાઈને પાટા પરથી ઉતરી ગયા. તે જ સમયે ત્યાંથી બેંગ્લોર-હાવડા એક્સપ્રેસ પણ પસાર થઈ રહી હતી. કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક કોચ બેંગલુરુ-હાવડા સાથે પણ અથડાઈ ગયા હતા.
આ પણ વાંચો---NCBને મોટી સફળતા, 15,000 એલએસડી ડ્રગ્સ સાથે 6 પકડાયા
Tags :
Balasore Train AccidentCBIconspiracyInvestigationOdisha
Next Article