ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વિરમગામમાં રાજકારણ ગરમાયું, Hardik Patel ને બદનામ કરતી કોમેન્ટ બાબતે પોલીસ ફરિયાદ

Hardik Patel ના નામે ખોટી કોમેન્ટ કરનારા અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે હવે પોલીસ આગળની તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાના અવસાન પછી હાર્દિક પટેલના નામે કોઈ અસામાજિક તત્વોએ ગેરવાજબી કોમેન્ટ કરવાના કારણે હાર્દિક પટેલની ચારેતરફથી ટીકા થવા લાગી હતી. આમ હાર્દિક પટેલની બદનામી થઈ હતી. આ અંગે હાર્દિક પટેલને પોતે સ્પષ્ટતા આપવી પડી હતી કે આ કોમેન્ટ મારા દ્વારા કરવામાં આવી નથી. હવે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
11:35 PM Oct 24, 2025 IST | Mujahid Tunvar
Hardik Patel ના નામે ખોટી કોમેન્ટ કરનારા અસામાજિક તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અંગે હવે પોલીસ આગળની તપાસ કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે. પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયાના અવસાન પછી હાર્દિક પટેલના નામે કોઈ અસામાજિક તત્વોએ ગેરવાજબી કોમેન્ટ કરવાના કારણે હાર્દિક પટેલની ચારેતરફથી ટીકા થવા લાગી હતી. આમ હાર્દિક પટેલની બદનામી થઈ હતી. આ અંગે હાર્દિક પટેલને પોતે સ્પષ્ટતા આપવી પડી હતી કે આ કોમેન્ટ મારા દ્વારા કરવામાં આવી નથી. હવે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે

Hardik Patel Comment :  વિરમગામ વિધાનસભા ક્ષેત્રમાં ત્રણ દિવસ પહેલા પૂર્વ ધારાસભ્ય અને સહકારી અગ્રણી વજુભાઈ ડોડીયાના અવસાન પછી ભાજપના વર્તમાન ધારાસભ્ય હાર્દિક પટેલને ખોટી રીતે બદનામ કરતી કોમેન્ટને કારણે સામાજિક વૈમનસ્ય ઉભું કરવાના આરોપમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે વિરમગામના અમુક અસામાજિક તત્વો જાણી જોઈને હાર્દિક પટેલની શ્રદ્ધાંજલિ પોસ્ટમાં છેડછાડ કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. આ મામલામાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. હાર્દિક પટેલે પોતાની તરફથી ખુલાસો કરતા કહ્યું કે, "મારા હિતશત્રુઓએ મને બદનામ કરવા આવા કૃત્યો કર્યા છે. હવે કાયદેસરની કાર્યવાહી થશે."

પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડીયા (ઉં. 68), જે વિરમગામ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર અને કોંગ્રેસના જૂના અગ્રણી હતા, તેમનું ત્રણ દિવસ પહેલા હૃદયરોગને કારણે અવસાન થયું. તેમના અવસાન પછી હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ કરી, પરંતુ તેમાં કથિત રીતે "બેંકના ડિરેક્ટરના મૃત્યુ બાદ કેટલા સમયમાં જગ્યા ભરાય છે?" જેવી કોમેન્ટ ઉમેરાઈને વાયરલ થઈ, જેને કારણે હાર્દિક પર રાજનીતિના આરોપો લાગ્યા હતા. આ કોમેન્ટે લોકોને વિચારમાં મુકી દીધા, અને વિરમગામમાં રાજકારણમાં તીખી ચર્ચા શરૂ થઈ હતી.

હાર્દિક પટેલે તાત્કાલિક ખુલાસો કરતા કહ્યું કે આ કોમેન્ટ તેમની પોસ્ટમાં નથી, અને તેમના હિતશત્રુઓએ છેડછાડ કરીને તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે તેમની ઓરિજિનલ પોસ્ટના સ્ક્રીનશોટ્સ શેર કર્યા અને કહ્યું કે, "મેં વજુભાઈના નિધન પર શ્રદ્ધાંજલિ આપી અને તેમાં કોઈ બીજું કંઈ લખ્યું નથી." આજે આ ઘટના પર પોલીસ ફરિયાદ નોંધાઈ,જેમાં જણાવાયું કે અમુક અસામાજિક તત્વો જાણી જોઈને આ કોમેન્ટ ઉમેરીને સામાજિક વૈમનસ્ય ઉભું કરવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે આ ફરિયાદ પર તપાસ શરૂ કરી અને સોશિયલ મીડિયા પોસ્ટના આધારોની તપાસ કરાશે.

હાર્દિક પટેલે કહ્યું કે, "આવા અસામાજિક કાર્યોથી રાજકારણને ગંદો કરવાનો પ્રયાસ કરતા લોકોને કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવો પડશે. વજુભાઈના નિધન પર મને દુઃખ છે." આ ફરિયાદથી વિરમગામમાં રાજકારણમાં કોઈ નવા ખુલાસાઓ પણ થઈ શકે છે. આ મામલામાં સાયબર ક્રાઇમ યુનિટની તપાસની માંગ પણ થઈ છે.

આ પણ વાંચો- Gandhinagar ઇન્ફોસિટીમાં અકસ્માતના મામલે નવો વળાંક, માતાએ પુત્રને બચાવવા બનાવી સ્ટોરી

Tags :
#InsultingPost#SocialHate#VajubhaiDodiya#ViramgaamPolitics#WrongCommentgujaratnewsHardikPatelpolicecomplaint
Next Article