Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

કોંગ્રેસની જન આક્રોશ યાત્રા Chhota Udepur પહોંચી : ઠેર ઠેર સ્વાગત, સરકાર વિરુદ્ધ પ્રહારો

Chhota Udepur : ગુજરાત કોંગ્રેસની બીજા તબક્કાની જન આક્રોશ યાત્રા 20 ડિસેમ્બરે ડાકોરથી નીકળી હતી અને આજે આઠમા દિવસે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પ્રવેશ કર્યો છે. યાત્રાને જિલ્લામાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યુ છે અને લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. આ યાત્રા જિલ્લામાં બે દિવસ ફરશે અને આદિવાસી બહુલ વિસ્તારમાં સરકારની નીતિઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરશે.
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા chhota udepur પહોંચી   ઠેર ઠેર સ્વાગત  સરકાર વિરુદ્ધ પ્રહારો
Advertisement
  • કોંગ્રેસની જન આક્રોશ યાત્રા Chhota Udepur માં પ્રવેશી: અમિત ચાવડાએ સરકાર પર ખનન અને આદિવાસી વિરોધી નીતિઓના આરોપ લગાવ્યા
  • જન આક્રોશ યાત્રાના આઠમા દિવસે છોટાઉદેપુરમાં ભવ્ય સ્વાગત: રોડ, ખનન અને વળતરના મુદ્દે આક્રોશ
  • છોટાઉદેપુરમાં કોંગ્રેસ યાત્રા: અમિત ચાવડાએ દારૂબંધી અને આદિવાસી અધિકારો પર સરકારને ઘેરી
  • બીજા તબક્કાની જન આક્રોશ યાત્રા છોટાઉદેપુર પહોંચી: ઠેર ઠેર સ્વાગત, સરકાર વિરુદ્ધ પ્રહારો
  • અમિત ચાવડા: છોટાઉદેપુરમાં ખાડા, ખનન લૂંટ અને આદિવાસીઓને બેઘર કરવાના આરોપ

Chhota Udepur : ગુજરાત કોંગ્રેસની બીજા તબક્કાની જન આક્રોશ યાત્રા 20 ડિસેમ્બરે ડાકોરથી નીકળી હતી અને આજે આઠમા દિવસે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં પ્રવેશ કર્યો છે. યાત્રાને જિલ્લામાં ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યુ છે અને લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. આ યાત્રા જિલ્લામાં બે દિવસ ફરશે અને આદિવાસી બહુલ વિસ્તારમાં સરકારની નીતિઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરશે.

 

Advertisement

Chhota Udepur માં જન આક્રોશ રેલી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિધાનસભા વિપક્ષ નેતા તુષારભાઈ ચૌધરીની આગેવાનીમાં ચાલી રહેલી આ યાત્રા ભાજપ સરકારની નિષ્ફળતાઓને ઉજાગર કરી રહી છે. અમિતભાઈ ચાવડાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, છોટાઉદેપુર જિલ્લાના સંખેડા અને નસવાડીના લોકો પાસેથી જાણવા મળ્યું છે કે જિલ્લાના માર્ગોમાં ખાડા પડ્યા છે અને તેનું રિપેરિંગ થતું નથી. ભાજપના મળતિયાઓ દ્વારા બેફામ ખનન થઈ રહ્યું છે જેથી કરોડો રૂપિયાની લૂંટ ચાલી રહી છે.

Advertisement

અમિતભાઈ ચાવડાના સરકાર પર પ્રહાર

તેમણે વધુમાં કહ્યું કે નસવાડી તાલુકામાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે આદિવાસીઓને બેઘર કરવામાં આવી રહ્યા છે. રાસાયણિક ખાતર મળતું નથી, કમોસમી વરસાદથી થયેલા નુકસાનનું પૂરતું વળતર મળ્યું નથી. કપાસના પાકને ટેકાનો ભાવ મળતો નથી. કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે અને દારૂની બદીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આદિવાસીઓને જળ, જંગલ અને જમીનથી વંચિત કરવામાં આવી રહ્યા છે. આ તમામ મુદ્દાઓ પર અમિતભાઈએ સરકાર પર આકરા પ્રહાર કર્યા.

આ યાત્રા આદિવાસી બહુલ જિલ્લામાં સરકારની આદિવાસી વિરોધી નીતિઓને ઉજાગર કરી રહી છે અને લોકોમાંથી મોટો પ્રતિસાદ મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા દરમિયાન ખેડૂતો, આદિવાસીઓ અને યુવાનોના પ્રશ્નોને વાચા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો- પાંચ મહિના બાદ દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહે ભૂલાવી જૂની દુશ્મનાવટ, કરાવ્યું એકબીજાનું મોં મીઠું

Tags :
Advertisement

.

×