Mahisagar : કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં સ્થાનિકોની ભયંકર રજૂઆત, જળ-જમીન અને હવા પ્રદૂષિત
- Mahisagar માં જન આક્રોશ યાત્રા : જમિયતપુરા ડમ્પિંગ સાઇટના દૂષિત પાણી પર સ્થાનિકોનો આક્રોશ, અમિત ચાવડાએ સાંભળી રજૂઆત
- કોંગ્રેસની યાત્રા લુણાવાડામાં: ડમ્પિંગ સાઇટ પ્રદૂષણની ફરિયાદો, તુષાર ચૌધરી સહિત નેતાઓએ આશ્વાસન આપ્યું
- મહિસાગરમાં પર્યાવરણીય આક્રોશ: જન આક્રોશ યાત્રામાં ડમ્પિંગ સાઇટના પ્રદૂષણ પર મોટી રજૂઆત
- અમિત ચાવડાની આગેવાનીમાં યાત્રા: જમિયતપુરા ડમ્પિંગ સાઇટના કારણે દૂષિત પાણીની સમસ્યા ઉજાગર
- લુણાવાડામાં કોંગ્રેસ યાત્રાનું ભવ્ય સ્વાગત: ડમ્પિંગ સાઇટ પ્રદૂષણ પર સ્થાનિકોની માંગ
લુણાવાડા : ગુજરાત કોંગ્રેસની (Congress) રાજ્યવ્યાપી જન આક્રોશ યાત્રા (Jan Akrosh Yatra) મહિસાગર જિલ્લામાં (Mahisagar ) પહોંચી ત્યારે સ્થાનિક લોકોએ ડમ્પિંગ સાઇટના કારણે થતા પાણીના પ્રદૂષણની સમસ્યા ઉજાગર કરી. યાત્રા જમિયતપુરા (Jamiyatpura) ડમ્પિંગ સાઇટ (Dumping site) ખાતે પહોંચતાં જ સ્થાનિક રહેવાસીઓએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) સહિત અન્ય નેતાઓને આ અંગે વિગતવાર રજૂઆત કરી અને તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી.
આ દરમિયાન અમિત ચાવડાએ કહ્યું કે, આ જન આક્રોશ યાત્રા દરમિયાન તમામ જગ્યાએ લોકો મુશ્કેલીમાં હોવાનું દેખાયું છે. તેમણે કહ્યું કે, આ ડમ્પિંગ સાઈડના કારણે લોકો ખુબ જ દુ:ખી જોવા મળ્યા છે. બાલાસિનોરમાં બે-બે મહિના સુધી કમરાના કારણે લોકો પીડાઈ રહ્યાં છે, મરી રહ્યાં છે પરંતુ સરકારના પેટનું પાણી હલતું નથી. રાજ્યભરનો ખતરનાક કચરો બાલાસિનોરની બહારની સાઈડ આવેલી ડમ્પિંગ સાઈડમાં નાંખવામાં આવી રહ્યો છે. આ સમસ્યાને દૂર કરવા માટે સ્થાનિક લોકો વર્ષોથી સરકાર સામે કોર્ટ-કચેરીમાં લડી રહ્યાં છે. આ ખતરનાક કચરાના કારણે જમીન પ્રદૂષિત થઈ ગઈ છે. પાણીનું જળસ્તર પણ પ્રદૂષિત થઈ ગયું છે. હવામાં પ્રદૂષણ છે. વધુમાં ત્યારે કહ્યું કે, આસપાસના ખેતરોમાં બોરવેલમાંથી પણ લાલ પાણી આવતું થઈ ગયું છે.
આ જન આક્રોશ રેલી દરમિયાન અમિત ચાવડાને ખેડૂતો દ્વારા કરવામાં આવેલી રજૂઆતોને તેમણે મીડિયા સમક્ષ મૂકી હતી. જેમાં સૌથી મોટો મુદ્દો બાલાસિનોર પાસે આવેલા ડમ્પિંગ સાઈડનો છે. જેને લઈને આસપાસ રહેતા હજારો લોકોના જીવન ઉપર નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. આ બાબતે અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ ડમ્પિંગ સાઈટને ખસેડવા માટે હુંકાર કર્યો હતો. તેમણે સરકાર અને જવાબદાર લોકો પોતાની જવાબદારી વહન ન કરતાં હોવાનો આરોપ લગાવ્યો હતો.
આ ડમ્પિંગ સાઈટના કારણે લોકોમાં કમળા સહિતના રોગો ફેલાઈ રહ્યાં છે, જેથી લોકોના મોત પણ થઈ રહ્યાં હોવાની વાત અમિત ચાવડાએ કહી છે.
જન આક્રોશ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત
યાત્રા લુણાવાડા (Lunavada) શહેરના મુખ્ય હાઇવે ચાર રસ્તા ખાતે પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકોએ તેનું ઉત્સાહભેર સ્વાગત કર્યું. આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી, લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ, મોડાસાના પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ ઠાકોર, સંતરામપુરના પૂર્વ ધારાસભ્ય ગેંદાલ ડામોર અને મહિસાગર કોંગ્રેસ પ્રમુખ હર્ષદ પટેલ સહિત પાર્ટીના અનેક હોદ્દેદારો, પૂર્વ પ્રમુખો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા. યાત્રા દરમિયાન લોકોએ સરકારની વિવિધ નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કર્યો અને પર્યાવરણીય સમસ્યાઓને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો.
દૂષિત પાણી અને ડ્રસ્ટના કારણે ગંભીર રોગોનો ડર
જમિયતપુરા ડમ્પિંગ સાઇટની મુલાકાત દરમિયાન સ્થાનિકોએ જણાવ્યું કે આ સાઇટથી નીકળતું દૂષિત પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે, જેનાથી પીવાના પાણીના સ્ત્રોતો પ્રદૂષિત થઈ રહ્યા છે અને આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે. તેમણે કોંગ્રેસ નેતાઓને આ અંગે સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહી કરાવવા વિનંતી કરી અને સરકાર પાસે ડમ્પિંગ સાઇટના વૈજ્ઞાનિક વ્યવસ્થાપનની માંગ કરી હતી. અમિત ચાવડા અને અન્ય નેતાઓએ સ્થાનિકોની વાત સાંભળી અને આ મુદ્દાને યાત્રા દરમિયાન ઉજાગર કરવાનું તેમજ વિધાનસભામાં ઉઠાવવાનું આશ્વાસન આપ્યું છે.
આ યાત્રા ગુજરાતમાં ભાજપ સરકારની કથિત નિષ્ફળતાઓ સામે લોકોના આક્રોશને વાચા આપવા માટે શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોના પ્રશ્નો, બેરોજગારી, મોંઘવારી અને પર્યાવરણીય સમસ્યાઓ મુખ્ય મુદ્દા છે. મહિસાગર જિલ્લામાં આ યાત્રાને મોટો પ્રતિસાદ મળ્યો અને તે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં ચાલુ રહેશે.
આ પણ વાંચો- ગુજરાત પરિવહનમાં નવો અધ્યાય, 4742 યુવાનોને એક ક્લિકે સરકારી નોકરીનો નિમણૂક પત્ર


