Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શશિ થરૂરની નારાજગી બાદ કોલંબિયાનો સૂર બદલાયો, ભારતને આપ્યું સમર્થન

SHASHI THAROOR : શશિ થરૂરે કહ્યું, જણાવતા આનંદ થાય છે, કોલંબિયાએ અમને નિરાશ કરનારા નિવેદનને પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે.
શશિ થરૂરની નારાજગી બાદ કોલંબિયાનો સૂર બદલાયો  ભારતને આપ્યું સમર્થન
Advertisement
  • ઓપરેશન સિંદૂર બાદ ભારતના સાંસદનું મંડળ દુનિયાના પ્રવાસે છે
  • કોલંબિયાએ પહેલા પાકિસ્તાન તરફે સંવેદના દાખવી બાદમાં ભાન થયું
  • શશિ થરૂરે પોતાની નારાજગી વ્યક્ત કરતા ભારતને કોલંબિયાનું સમર્થન મળ્યું

SHASHI THAROOR : ભારત સતત પાકિસ્તાનનો પર્દાફાશ કરી રહ્યું છે અને આતંકવાદને ઘેરી રહ્યું છે. શુક્રવારે કોંગ્રેસ નેતા શશિ થરૂર (SHASHI THAROOR) ના નેતૃત્વમાં એક સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે પણ કોલંબિયા (COLUMBIA) માં પાકિસ્તાનનો ચહેરો ઉજાગર કર્યો છે અને ત્યાંની સરકારને સત્યથી વાકેફ કરાવી છે. ભારતીય પ્રતિનિધિમંડળે કોલંબિયા સરકાર અને વિપક્ષી પક્ષોના નેતાઓને મળ્યા છે. આ દરમિયાન આતંકવાદીઓ સામે આંતરરાષ્ટ્રીય કાર્યવાહી ઝડપી બનાવવા અને ભારત વિરુદ્ધ સરહદ પારની આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. સાથે જ તેમને પ્રાયોજિત કરનારાઓની વ્યૂહરચનાઓનો નિર્ણાયક રીતે સામનો કરવા પર ભાર મૂક્યો છે.

કોલંબિયાએ પોતાનું વલણ બદલ્યું

તાજેતરમાં ભારતીય પ્રતિનિધિમંડળે કોલંબિયાની રાજધાની બોગોટામાં મહત્વપૂર્ણ રાજકીય અને રાજદ્વારી બેઠકો યોજી છે. દરમિયાન ભારતે કોલંબિયા સરકારના નિવેદન પર નિરાશા વ્યક્ત કરી છે. તે પછી કોલંબિયાએ પોતાનું વલણ બદલ્યું છે અને સત્તાવાર રીતે પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું છે. કોલંબિયાના નાયબ વિદેશ પ્રધાન શ્રીમતી રોઝા યોલાન્ડા વિલાવિસેન્સિયોએ જણાવ્યું હતું કે, અમને વિશ્વાસ છે કે આજે અમને મળેલી સ્પષ્ટતાઓ અને વાસ્તવિક પરિસ્થિતિની માહિતી, ઘર્ષણ અને કાશ્મીરમાં શું બન્યું તે વિશે અમારી પાસે જે વિગતવાર જાણકારી છે. તેના આધારે અમે વાતચીત ચાલુ રાખી શકીશું.

Advertisement

નિવેદનને પાછું ખેંચવાનો નિર્ણય લીધો

અગાઉ કોલંબિયાએ પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. જે બાદ આ અંગે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા શશિ થરૂરે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું - અમે કોલંબિયા સરકારના પ્રતિભાવથી થોડા નિરાશ છીએ. ભારતીય પ્રતિનિધિમંડળે કોલંબિયાના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ નાયબ પ્રધાન સાથે વાતચીત કરી હતી, જે સકારાત્મક રહી હતી. શશિ થરૂરે કહ્યું, અમને જણાવતા આનંદ થાય છે કે, કોલંબિયાએ અમને નિરાશ કરનારા નિવેદનને પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. તેઓ હવે ભારતનો દૃષ્ટિકોણ સમજે છે, અને અમારા પક્ષમાં મજબૂત સમર્થન સાથે એક નવું નિવેદન બહાર પાડશે.

Advertisement

પરિસ્થિતિને ઉંડાણપૂર્વક સમજવામાં મદદ મળી

ભૂતપૂર્વ રાજદૂત અને ભાજપ નેતા તરનજીત સિંહ સંધુએ જણાવ્યું હતું કે, કોલંબિયાના કાર્યકારી વિદેશ મંત્રી સાથેની વાતચીતમાં, ભારતીય પક્ષે તેમને ઘટનાક્રમની યોગ્ય સમયરેખા અને સંદર્ભ સમજાવ્યો હતો. જેનાથી કોલંબિયાને પરિસ્થિતિને ઉંડાણપૂર્વક સમજવામાં મદદ મળી હતી. તેમણે નિવેદન પાછું ખેંચવાની વાત કરી અને આતંકવાદના મુદ્દા પર ભારતને ટેકો આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે, કોલંબિયા ટૂંક સમયમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સભ્ય બનવા જઈ રહ્યું છે, એટલા માટે આ મહત્વનું છે.

આ પણ વાંચો --- ઓપરેશન સિંદૂર પર કોંગ્રેસમાં મતભેદ, રાહુલ ગાંધીના રાષ્ટ્રવાદ પર સવાલો ઉઠ્યા

Tags :
Advertisement

.

×