ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આપી એક Special offer

અમિતભાઈ ચાવડાની Special offer : ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠુંથી ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રીને એક તીખો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાજ્યના તમામ પીડિત ખેડૂતોના બેંક દેવા માફ કરવાની જોરદાર માગ કરી છે. ચાવડાએ જણાવ્યું કે, "રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે અને તેમની સ્થિતિ હાલના તબક્કે કફોડી બની ગઈ છે."
04:42 PM Nov 05, 2025 IST | Mujahid Tunvar
અમિતભાઈ ચાવડાની Special offer : ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠુંથી ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રીને એક તીખો પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાજ્યના તમામ પીડિત ખેડૂતોના બેંક દેવા માફ કરવાની જોરદાર માગ કરી છે. ચાવડાએ જણાવ્યું કે, "રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે અને તેમની સ્થિતિ હાલના તબક્કે કફોડી બની ગઈ છે."

અમિતભાઈ ચાવડા Special offer : ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠુંથી ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને ઓફર આપીને ખેડૂતોના દેવા માફી કરવાની એક વખત ફરીથી માગ કરી છે. આ પત્રમાં તેમણે રાજ્યના તમામ પીડિત ખેડૂતોના બેંક દેવા માફ કરવાની જોરદાર માગ કરી છે. ચાવડાએ જણાવ્યું કે, "રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે અને તેમની સ્થિતિ હાલના તબક્કે કફોડી બની ગઈ છે."

પત્રમાં અમિતભાઈ ચાવડાએ કહ્યું કે, "અગાઉ અમે ખેડૂતોના દેવા માફીની માગ કરી ચૂક્યા છીએ." તેમણે વધુમાં ઉમેર્યું કે ખેડૂતોએ ખેતી માટે બેંકમાંથી ધિરાણ લીધું છે, પરંતુ વરસાદના કારણે થયેલા નુકસાનને કારણે તેઓ તેની ભરપાઈ કરી શકે તેમ નથી. "ખેડૂતોની આત્મહત્યાઓ વધી રહી છે તે ગંભીર બાબત છે," એમ તેમણે ચિંતા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો-Gujarat: રાજ્યમાં ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા

કોંગ્રેસ પાર્ટી તરફથી એક વિશેષ ઓફર કરતા ચાવડાએ જણાવ્યું કે, "રાજ્ય સરકાર દેવા માફી કરશે અને સરકાર પર બોજો આવે તો સહયોગ રૂપે કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોના પગાર અમે સરકારને સહયોગ માટે આપીશું." આ પગલું સરકારને આર્થિક બોજો ઘટાડવામાં મદદરૂપ થશે તેમ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ પત્રને લઈને કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોના મુદ્દે સરકાર પર દબાણ વધાર્યું છે. રાજ્યમાં ખેડૂતોની સમસ્યાઓને લઈને વિપક્ષ તરફથી આ પ્રકારની માગ અગાઉ પણ કરવામાં આવી છે, પરંતુ આ વખતે MLA પગારની ઓફરને કારણે તે વધુ ચર્ચાસ્પદ બની છે. સરકાર તરફથી હજુ આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે. તેથી આપ અને કોંગ્રેસ સરકારને ઘેરીને ખેડૂતોને યોગ્ય સહાય આપવા માટે દબાણ કરી રહ્યાં છે. તો બીજી તરફ સરકાર પોતે પણ ખેડૂતોને સહાય આપવા માટે પાછલા બે દિવસથી મેરેથોન બેઠકો યોજી રહ્યું છે ગઈકાલે આખો દિવસ ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાતની ચર્ચા કરવામાં જતો રહ્યો હતો. જોકે, આ વચ્ચે સરકારે ખેડૂતોના અનાજને ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી દીધી છે.

આ અંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને તમામ પાકોના ટેકાના ભાવોની જાહેરાત કરી હતી. જે નીચે પ્રમાણે તમે ગુજરાત ફર્સ્ટના વીડિયોમાં જોઈ શકો છો.

આ પણ વાંચો- CM Bhupendra Patel ની મોટી જાહેરાતઃ 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ

Tags :
Amit ChavdaChief Minister's LetterCongress Partycrop damagedebt waiverFarmer Suicidegujarat farmersMLA salary assistanceSPECIAL OFFERstate governmentunseasonal rains
Next Article