Dahod સબજેલમાં અનોખી પહેલ, કેદીઓના માનસિક તણાવને દૂર કરવા યોજાઈ 'લાફીંગ શિબિર'
Dahod ના ડોકી ખાતે આવેલી સબજેલમાં અલગ-અલગ ગુનામાં કાચા કામના અને પાકા કામના કેદીઓ સજા ભોગવી રહ્યા છે ત્યારે બંદીવાનોમાં નકારાત્મક વલણ ન આવે અને હકારાત્મક વિચારો અપનાવે, સ્વાસ્થ્ય જળવાય અને માનસિક તણાવમાંથી મુક્તિ મળે અને તમામ બંદીવાનો વચ્ચે સુમેળભર્યું વાતાવરણ સર્જાય તે માટે જેલ અધિક્ષક દ્રારા લાફીંગ શિબીરનું આયોજન કરાયું હતુ.
Advertisement
Dahod ના ડોકી ખાતે આવેલી સબજેલમાં જેલ પ્રશાસન દ્વારા એક પ્રશંસનીય અને માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. જેલમાં સજા ભોગવી રહેલા કાચા કામના અને પાકા કામના તમામ કેદીઓ માનસિક તણાવ અને નકારાત્મકતાથી દૂર રહે તેવા ઉમદા હેતુ સાથે જેલ અધિક્ષક દ્વારા 'લાફીંગ શિબિર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જેલના કર્મચારીઓ અને બંદીવાનોએ સાથે મળીને ઉત્સાહભેર ભાગ લીધો હતો.

