Dahod: બે જૂથ આમને-સામને, અંધાધૂંધ ફાયરિંગ, બે વ્યક્તિઓને વાગી ગોળી, આખરે દાહોદમાં શું થયું?
- Dahod ના કસ્બા વિસ્તારમાં બે જૂથ વચ્ચે બબાલ
- ઝઘડામાં ફાયરિંગ થતાં બે લોકો થયા ઘાયલ
- જૂની અદાવતને લઈ બોલાચાલી બાદ મામલો ગરમાયો
- અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરતાં બે લોકો ઈજાગ્રસ્ત
- ડીવાયએસપી સહિત LCB અને SOGની ટીમ દોડી આવી
Dahod Firing Case: રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક સનસનાટીભરી ઘટના દાહોદ (Dahod) શહેરમાંથી સામે આવી છે. દાહોદ (Dahod) ના ગીચ વસ્તી ધરાવતા કસબા વિસ્તારમાં આજે બપોરના સમયે એક જ કોમના બે જૂથો વચ્ચે જૂની અદાવતને લઈ લોહિયાળ સંઘર્ષ ખેલાયો છે. આ ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કે, એક પક્ષ દ્વારા અંધાધૂંધ ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું હતું, જેમાં બે વ્યક્તિઓને ગોળી વાગતા ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાને પગલે સમગ્ર દાહોદ શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
Dahod Firing Case: જૂની અદાવતનો વિવાદ
મળતી માહિતી મુજબ દાહોદના કસ્બા વિસ્તાર (Kasbah Area) માં રહેતા એક જ કોમના બે પક્ષો વચ્ચે લાંબા સમયથી કોઈ બાબતે વૈમનસ્ય ચાલતું હતું. અગાઉની આ જ અદાવતને રાખીને આજે ફરી બંને પક્ષો સામસામે આવી ગયા હતા. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે ઉશ્કેરાયેલા ટોળાએ એકબીજા પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન એક પક્ષના શખ્સોએ પોતાની પાસે રહેલા હથિયારો વડે હવામાં અને લોકોની દિશામાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
Dahod : દાહોદના કસબા વિસ્તારમાં બે જૂથ વચ્ચે બબાલ
ઝઘડામાં ફાયરિંગ થતાં બે લોકો થયા ઘાયલ
જૂની અદાવતને લઈ બોલાચાલી બાદ મામલો ગરમાયો
અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરતાં બે લોકો ઈજાગ્રસ્ત
ડીવાયએસપી સહિત LCB અને SOGની ટીમ દોડી આવી#Dahod #FiringIncident #PoliceAction #PublicSafety… pic.twitter.com/6QwX08ThE5— Gujarat First (@GujaratFirst) December 23, 2025
બે લોકો ગંભીર ઈજાઓનો ભોગ બન્યા
અચાનક થયેલા આ ગોળીબારને કારણે કસબા વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આસપાસના દુકાનદારો અને રહીશો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળે દોડી ગયા હતા. ફાયરિંગની આ ઘટનામાં બે યુવાનોને ગોળી વાગતા તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાને અંજામ આપી હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે
ફાયરિંગની ઘટનાની જાણ થતા જ દાહોદ પોલીસ વિભાગ હરકતમાં આવી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી (DYSP), એલસીબી (LCB), એસઓજી (SOG) અને એ-ડિવિઝન પોલીસનો મસમોટો કાફલો તુરંત કસ્બા વિસ્તારમાં ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને પંચનામું કરવાની સાથે પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Surat Firing Case: 48 દિવસ બાદ RFO સોનલ સોલંકીનું અવસાન, જાણો સમગ્ર મામલો!


