ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિપાવલી - પ્રકાશમય રાત્રિનો તહેવાર : ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર : આપણી પ્રાચીન પરંપરાઓ અને અનુષ્ઠાનોમાં ગાઢ જ્ઞાન અને અંતર્દૃષ્ટિ સમાયેલ છે. આપણે કાર્તિક મહિનામાં પ્રકાશનો તહેવાર - દિવાળી ઉજવીએ છીએ. કાર્તિક મહિનામાં લોકો દરરોજ પોતાના ઘરના આંગણે દીવો પ્રગટાવે છે
04:25 PM Oct 19, 2025 IST | Mujahid Tunvar
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર : આપણી પ્રાચીન પરંપરાઓ અને અનુષ્ઠાનોમાં ગાઢ જ્ઞાન અને અંતર્દૃષ્ટિ સમાયેલ છે. આપણે કાર્તિક મહિનામાં પ્રકાશનો તહેવાર - દિવાળી ઉજવીએ છીએ. કાર્તિક મહિનામાં લોકો દરરોજ પોતાના ઘરના આંગણે દીવો પ્રગટાવે છે

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર : આપણી પ્રાચીન પરંપરાઓ અને અનુષ્ઠાનોમાં ગાઢ જ્ઞાન અને અંતર્દૃષ્ટિ સમાયેલ છે. આપણે કાર્તિક મહિનામાં પ્રકાશનો તહેવાર - દિવાળી ઉજવીએ છીએ. કાર્તિક મહિનામાં લોકો દરરોજ પોતાના ઘરના આંગણે દીવો પ્રગટાવે છે; તેનું એક કારણ એ છે કે પૃથ્વીના આ ભાગમાં કાર્તિક વર્ષના સૌથી અંધારા મહિનાઓમાંથી એક છે. તે દક્ષિણાયનના અંતનું પ્રતિક છે, જ્યારે સૂર્ય દક્ષિણ તરફ ગતિ કરે છે અને પ્રકાશ ધીમે ધીમે ઓછો થવા લાગે છે.

દીવો પ્રગટાવાનો એક વધુ પ્રતિકાત્મક અર્થ પણ છે. ભગવાન બુદ્ધએ કહ્યું છે - “અપ્પ દીપો ભવ” - એટલે કે સ્વયં માટે પ્રકાશ બનો. પરંતુ અંધકાર દૂર કરવા માટે માત્ર એક દીવો પૂરતો નથી. જગતમાં દરેકને તેજસ્વી બનવું જોઈએ. ભગવાન બુદ્ધએ સંઘ શા માટે રચ્યો? તેમણે એવું એ માટે કર્યું, કારણ કે તેઓ જાણતા હતા કે દરેક વ્યક્તિમાં જ્ઞાનનું પ્રકાશન થવું જરૂરી છે. જ્યારે વધુ અને વધુ લોકો જાગૃત બનશે, ત્યારે જ એક સુખી સમાજનું નિર્માણ થશે. જ્યારે તેઓ કહે છે કે પોતાના માટે અને પોતાના આસપાસના લોકો માટે પ્રકાશ બનો, તેનો અર્થ છે કે જ્ઞાનમાં રહો અને એ જાગૃતિ અને જ્ઞાનને આસપાસના લોકો સુધી પહોંચાડો.

દેશના અનેક ભાગોમાં દિવાળી કાળી ચૌદસ તરીકે પણ ઉજવાય છે. દેવી કાલીની પૂજાને સમર્પિત આ તહેવાર રાત્રિની ભવ્યતા અને મહિમાની સુંદર યાદ અપાવે છે. જો રાત ન હોત, અંધકાર ન હોત, તો આપણે કદી બ્રહ્માંડની વિશાલતા જાણી શકતા નહીં. આપણે કદી જાણતા નહીં કે સૃષ્ટિમાં અન્ય ગ્રહો પણ છે. એવું લાગે છે કે આપણે દિવસે વધુ જોઈએ છીએ અને રાત્રે ઓછું, પરંતુ જે આપણે રાત્રે જોઈએ છીએ, તે આખું બ્રહ્માંડ છે - બ્રહ્માંડનો અનંત વિસ્તાર છે. જ્યારે આપણે નકામી વસ્તુઓ માટે આંખો બંધ કરીએ છીએ, ત્યારે આપણે કોઈ મહાન વસ્તુ માટે તેને ખોલીએ છીએ. જો તમે ધ્યાન આપો તો તમારી આંખોની પોપટીઓ કૃષ્ણ રંગની હોય છે, જેને “કાળી” પણ કહે છે. જો આપણી આંખોમાં કાળી પોપટીઓ ન હોત, તો આપણે કંઈ જોઈ શકતા ન હોત.

કાલી જ્ઞાનનું પ્રતિક છે. તે જ્ઞાનની માતા છે. તે એવી દેવી નથી કે જે જીભ બહાર કાઢીને તમને ડરાવવાનો પ્રયત્ન કરે છે - તે બધા માત્ર સાંકેતિક છે. તે એવી ઊર્જા છે જેનું વર્ણન આપણે બુદ્ધિથી કરી શકતા નથી કે સમજી શકતા નથી - તેને માત્ર અનુભવી શકાય છે.

માં કાલી ભગવાન શિવના ઉપર પણ ઉભા છે - તેનો અર્થ શું? શિવનો અર્થ છે અનંત મૌન. જ્યારે આપણે શિવના અદ્વૈત, ગાઢ મૌનનો અનુભવ કરીએ છીએ, ત્યારે આપણે સમજીએ છીએ કે એ આપણું સ્વરૂપ જ છે. ત્યાં આપણે માં કાલીની ઊર્જાનો અનુભવ કરીએ છીએ, જ્યાં આપણે પોતાના અંતરને ઉચ્ચ જ્ઞાન માટે ખોલી દઈએ છીએ.

આપણે દિવાળી પર સંપત્તિની દેવી - દેવી લક્ષ્મી નું આહ્વાન કરીએ છીએ અને તેમનો આશીર્વાદ માગીએ છીએ. તે પોતાના સાથે સાહસ અને રોમાંચની ભાવના લાવે છે. તમે જાણો છો, ધન પ્રાપ્ત કરવાનો વિચાર ઘણા લોકોમાં રોમાંચ જગાવે છે. એટલે સંપત્તિની દેવીનો બીજો સંકેત છે રોમાંચની ભાવના. દેવી લક્ષ્મીનું ત્રીજું લક્ષણ છે સૌંદર્ય અને પ્રકાશ. તેમને એકાગ્ર ભક્તિ ગમે છે. તેનો એક સુંદર ઉદાહરણ છે - જ્યારે આદી શંકરાચાર્ય માત્ર ૮ વર્ષના હતા, ત્યારે તેમણે કનકધારા સ્તોત્ર રચ્યું હતું, જે ખૂબ જ લયબદ્ધ, શક્તિશાળી અને અર્થપૂર્ણ છંદ છે. વાર્તા મુજબ, એક દિવસ આદી શંકરાચાર્ય ભિક્ષા માગવા માટે એક ગરીબ સ્ત્રીના ઘરના બારણે ગયા. તે સ્ત્રી એટલી ગરીબ હતી કે તેના પાસે અર્પણ કરવા માટે માત્ર એક કરૌંદો (આમળું) હતું. તેણે તે તેમની ભિક્ષાપાત્રમાં મૂકી દીધું. એવું કહેવાય છે કે તેની નિષ્ઠાભરી ભક્તિથી પ્રસન્ન થઈને આદી શંકરાચાર્યે દેવી લક્ષ્મીની સ્તુતિમાં કનકધારા સ્તોત્ર ગાયું, અને દેવી લક્ષ્મીએ તેના ઘરમાં સુવર્ણ આમળાની વર્ષા કરી દીધી.

આ પણ વાંચો- JITO ના સભ્યોએ બલ્ક ડીલથી 186 લક્ઝરી કારની ખરીદી : 149 કરોડમાં કરી ખરીદી, 21 કરોડનું મેળવ્યું ડિસ્કાઉન્ટ

Tags :
Gurudev Sri Sri Ravi Shankarગુરુદેવ શ્રી શ્રી રવિશંકર
Next Article