ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિલ્હી બ્લાસ્ટ કેસમાં ગૃહમંત્રી અમિતભાઇ શાહનું મોટું નિવેદન, 'દિલ્હી બ્લાસ્ટના ગુનેગારોને પાતાળમાંથી પણ શોધીને આપીશું સજા'

લાલ કિલ્લા પાસેના વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 15 પર પહોંચ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગુનેગારોને "પાતાળમાંથી પણ શોધીને" કડક સજા આપવામાં આવશે. NIA એ તપાસનો વ્યાપ વધારતા, આત્મઘાતી બોમ્બરને ટેકનિકલ સહાય પૂરી પાડનાર જમ્મુ-કાશ્મીરના જાસીર બિલાલ વાનીની ધરપકડ કરી છે. NIA આ હુમલાના સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે વ્યાપક તપાસ કરી રહી છે. હાલ પક્ડાયેલા ડોકટર આતંકીઓની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.
09:13 PM Nov 17, 2025 IST | Mustak Malek
લાલ કિલ્લા પાસેના વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 15 પર પહોંચ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ગુનેગારોને "પાતાળમાંથી પણ શોધીને" કડક સજા આપવામાં આવશે. NIA એ તપાસનો વ્યાપ વધારતા, આત્મઘાતી બોમ્બરને ટેકનિકલ સહાય પૂરી પાડનાર જમ્મુ-કાશ્મીરના જાસીર બિલાલ વાનીની ધરપકડ કરી છે. NIA આ હુમલાના સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે વ્યાપક તપાસ કરી રહી છે. હાલ પક્ડાયેલા ડોકટર આતંકીઓની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે.
Delhi blast Amit shah statement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહે દિલ્હી વિસ્ફોટોના ગુનેગારોને કડક સજા આપવાની ખાતરી આપી છે. પ્રાદેશિક પરિષદની બેઠકમાં બોલતા અમિતભાઇ શાહે આક્રોશપૂર્ણ નિવેદન આપ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આતંકવાદને નાબૂદ કરવાની અમારી સામૂહિક પ્રતિબદ્ધતા છે અને અમે ગુનેગારોને "પાતાળ"માંથી પણ શોધીશું અને તેમને સૌથી કડક સજા આપીશું.

 Delhi blast Amit shah statement :   મૃત્યુઆંક 15 પર પહોંચી ગયો

નોંધનીય છે કે 10 નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં મૃત્યુઆંક 15 પર પહોંચી ગયો છે. સોમવારે વિસ્ફોટમાં ઘાયલ થયેલા વધુ બે લોકો, વિનય પાઠક (55) અને લુકમાન (50), ના મોત થયા. મૃતક વિનય પાઠક વિસ્ફોટના દિવસે કરિયાણા ખરીદવા માટે ઓલ્ડ લાજપત રાય માર્કેટમાં આવ્યા હતા અને રસ્તો ક્રોસ કરતી વખતે વિસ્ફોટનો ભોગ બન્યા હતા. ગંભીર રીતે ઘાયલ વિનય પાઠક સાત દિવસ સુધી ICUમાં જીવન માટે લડ્યા બાદ આખરે મોતને ભેટ્યા. NIA ટીમે તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપ્યો હતો.

Delhi blast Amit shah statement :  દિલ્હી બ્લાસ્ટમાં NIA સઘન તપાસ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ વિસ્ફોટના સંદર્ભમાં તપાસનો વ્યાપ વધારતા જમ્મુ અને કાશ્મીરના વધુ એક રહેવાસી જાસીર બિલાલ વાનીની ધરપકડ કરી છે. અનંતનાગ જિલ્લાના વાની પર આત્મઘાતી બોમ્બર ઉમર ઉન નબીને ટેકનિકલ સહાય પૂરી પાડવાનો આરોપ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાનીએ હુમલાના આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી અને વિસ્ફોટ પહેલા ડ્રોનમાં ફેરફાર કર્યો હતો તેમજ રોકેટ બનાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેને વધુ પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવ્યો છે. આ શક્તિશાળી વિસ્ફોટ 10 નવેમ્બરની સાંજે, લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક ધીમી ગતિએ ચાલતી હ્યુન્ડાઇ i20 કારમાં થયો હતો, જેમાં વ્યાપક નુકસાન થયું હતું. પ્રાથમિક તપાસમાં આ વિસ્ફોટને ફરીદાબાદમાં તાજેતરમાં ધરપકડ કરાયેલા આતંકવાદી મોડ્યુલ સાથે જોડવામાં આવ્યો છે. ઘણા શંકાસ્પદોની પહેલાથી જ અટકાયત કરવામાં આવી છે અને અધિકારીઓ હુમલા પાછળના સમગ્ર કાવતરાનો પર્દાફાશ કરવા માટે વ્યાપક તપાસ કરી રહ્યા છે.

 

આ પણ વાંચો:  દિલ્હી બ્લાસ્ટના હાઈ-પ્રોફાઇલ વ્હાઇટ કોલર આતંકી ડૉક્ટરોના બિરયાની અને દાવતના કોડવર્ડના પર્દાફાશ

Tags :
Amit ShahCentral governmentDeath Tolldelhi blastGujarat FirstJasir Bilal WaniNIARed FortSecurityterror attack
Next Article