ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi Blast : કાનપુરથી તુર્કી સુધી... NIAના હાથે કેટલા પુરાવા? રેડ ફોર્ડ બ્લાસ્ટમાં અત્યાર સુધી શું-શું થયું?

Delhi Blast : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલો મહાવિસ્ફોટ હવે આંતરરાષ્ટ્રીય આતંકી ષડયંત્ર તરીકે સામે આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલો ‘સ્પેક્ટેક્યુલર સ્ટ્રાઈક’ એટલે કે એકસાથે અનેક શહેરોમાં મોટા ધડાકા કરવાની યોજનાનો ભાગ હતો. આ ભયાનક વિસ્ફોટે આતંકી નેટવર્કની ડૂંગળીની છાલની જેમ પરતો ખુલી રહી છે. ખ્ય ષડયંત્રકાર ડૉ. ઉમર મોહમ્મદ (જેને ડૉ. ઉમર ઉન નબી તરીકે પણ ઓળખવામાં આવે છે) તુર્કીમાં રહેલા હેન્ડલર ‘ઉકાસા’ના સંપર્કમાં હતો.
07:43 PM Nov 13, 2025 IST | Mujahid Tunvar
Delhi Blast : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલો મહાવિસ્ફોટ હવે આંતરરાષ્ટ્રીય આતંકી ષડયંત્ર તરીકે સામે આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલો ‘સ્પેક્ટેક્યુલર સ્ટ્રાઈક’ એટલે કે એકસાથે અનેક શહેરોમાં મોટા ધડાકા કરવાની યોજનાનો ભાગ હતો. આ ભયાનક વિસ્ફોટે આતંકી નેટવર્કની ડૂંગળીની છાલની જેમ પરતો ખુલી રહી છે. ખ્ય ષડયંત્રકાર ડૉ. ઉમર મોહમ્મદ (જેને ડૉ. ઉમર ઉન નબી તરીકે પણ ઓળખવામાં આવે છે) તુર્કીમાં રહેલા હેન્ડલર ‘ઉકાસા’ના સંપર્કમાં હતો.

Delhi Blast : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલો મહાવિસ્ફોટ હવે આંતરરાષ્ટ્રીય આતંકી ષડયંત્ર તરીકે સામે આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલો ‘સ્પેક્ટેક્યુલર સ્ટ્રાઈક’ એટલે કે એકસાથે અનેક શહેરોમાં મોટા ધડાકા કરવાની યોજનાનો ભાગ હતો. આ ભયાનક વિસ્ફોટે આતંકી નેટવર્કની ડૂંગળીની છાલની જેમ પરતો ખુલી રહી છે.

મુખ્ય ષડયંત્રકાર ડૉ. ઉમર મોહમ્મદ (જેને ડૉ. ઉમર ઉન નબી તરીકે પણ ઓળખવામાં આવે છે) તુર્કીમાં રહેલા હેન્ડલર ‘ઉકાસા’ના સંપર્કમાં હતો. હવે તપાસ NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)ના હાથમાં છે. ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી ત્રણ ડૉક્ટરોને હિરાસતમાં લેવાયા છે, જ્યાં ડૉ. ઉમર કામ કરતો હતો. તપાસ ટીમ હવે કારની ખરીદી-વેચાણ અને તેની હિલચાલની સંપૂર્ણ માહિતી ખંગાળી રહી છે.

16 કલાકની ભાગદોડ અને મોતની ડ્રાઈવ

CCTV ફૂટેજથી જાણવા મળ્યું કે ડૉ. ઉમરે દિલ્હી આવતા પહેલા મેવાતથી ફિરોઝપુર અને ઝિરકા સુધીનો સફર કર્યો. રાત્રે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક ઢાબા પર કારમાં જ સૂઈ ગયો. બીજા દિવસે સવારે તેણે દિલ્હીમાં દક્ષિણ-પૂર્વ, પૂર્વ, મધ્ય અને ઉત્તર દિલ્હીના વિસ્તારોમાંથી કાર ચલાવી હતી.

સાંજે લગભગ 7 વાગ્યે જ્યારે તે લાલ કિલ્લા પાસે લાલ સિગ્નલ પર ઊભો રહ્યો, ત્યારે કારમાં જોરદાર વિસ્ફોટ થયો. i20 કાર આગનો ગોળો બની ગઈ અને 10 લોકોનાં મોત થયાં, જેમાં ઉમર પોતે પણ સામેલ હતો.

તુર્કી કનેક્શન અને 6 ડિસેમ્બરની ષડયંત્ર

NIA અને દિલ્હી પોલીસની તપાસમાં ખુલાસો થયો કે આ ષડયંત્ર 2022માં તુર્કીમાં રચાયું હતું. ડૉ. ઉમર માર્ચ 2022માં અંકારા ગયો હતો, જ્યાં તેને ઉકાસા નામના હેન્ડલરે સૂચનાઓ આપી. ઉકાસા જૈશ-એ-મોહમ્મદ (JeM) અને અંસાર ગઝવત-ઉલ-હિંદ સાથે જોડાયેલો છે. બંને ટેલિગ્રામ અને એન્ક્રિપ્ટેડ એપ્સ દ્વારા સંપર્કમાં હતા.

તેમનો લક્ષ્ય લક્ષ્ય 6 ડિસેમ્બર (બાબરી મસ્જિદ વર્ષગાંઠ) અને 26 જાન્યુઆરી 2026 (ગણતંત્ર દિવસ) પર દિલ્હી અને અયોધ્યામાં મોટા વિસ્ફોટ.

ડૉ. મુઝફ્ફર સામે રેડ કોર્નર નોટિસ

જમ્મુ-કાશ્મીર પોલીસે કાઝીગુંડના ડૉ. મુઝફ્ફર સામે ઈન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેનું નામ 8 ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું, જેમાં તેનો ભાઈ પણ સામેલ છે.

ડૉ. મુઝફ્ફર 2021માં કેટલાક ડૉક્ટરો સાથે તુર્કી ગયો હતો. ઓગસ્ટમાં દુબઈ ભાગી ગયો અને હવે અફઘાનિસ્તાનમાં છુપાયેલો હોવાનું માનવામાં આવે છે.

અલ-ફલાહ યુનિવર્સિટી પર તપાસની તલવાર

ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટી હવે તપાસ એજન્સીઓના નિશાને છે. પોલીસે કેમ્પસમાંથી જમીન અને ઈમારત સંબંધિત ઘણા દસ્તાવેજ જપ્ત કર્યા. યુનિવર્સિટીના ચેરમેન અને વાઈસ ચાન્સેલર જવ્વાદ અહમદ સિદ્દીકી છે.

ચાર ડૉક્ટરો જેમાં ડૉ. મુજમ્મિલ ગનાઈ, ડૉ. અદીલ અહમદ રાઠર, ડૉ. શાહીના શાહિદ અંસારી અને ડૉ. ઉમર નબી પર આરોપ છે કે તેમણે 26 લાખ રૂપિયા એકઠા કરી વિસ્ફોટક ખરીદ્યા. આ રકમની જવાબદારી ડૉ. ઉમર પાસે હતી. ઉમર અલ-ફલાહમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો અને પુલવામાનો રહેવાસી હતો. એ જ વ્યક્તિ જેણે વિસ્ફોટ સમયે i20 કાર ચલાવી હતી.

‘સાંજે 4 વાગ્યા પછી શરૂ થતું હતું અસલી કામ’

મુખ્ય આરોપી ડૉ. શાહીના ફરીદાબાદના અલ-ફલાહ સ્કૂલ ઓફ મેડિકલ સાયન્સમાં કામ કરતી હતી. પૂછપરછમાં તેણે કહ્યું કે તેનું અસલી કામ સાંજે 4 વાગ્યા પછી શરૂ થતું હતું. સૂત્રો અનુસાર, તે જૈશ-એ-મોહમ્મદ (JeM)ની મહિલા વિંગની મુખ્ય છે.

તેની પાસેથી મિસબાહા (તસ્બીહ) અને હદીસની કિતાબ મળી છે. સહકર્મીઓના જણાવ્યા મુજબ, તે અજીબ સ્વભાવની હતી અને બિનજરૂરી કેમ્પસમાંથી નીકળી જતી. યુનિવર્સિટીએ નિવેદન જારી કર્યું કે તેનો આતંકી પ્રવૃત્તિઓ સાથે કોઈ સંબંધ નથી અને તપાસમાં સંપૂર્ણ સહયોગ આપી રહી છે.

પંજાબ પોલીસની મોટી કાર્યવાહી

પંજાબ પોલીસે ગુરુવારે પાકિસ્તાનની ISI સાથે જોડાયેલા ગ્રેનેડ હુમલાની ષડયંત્ર રચનારા ગેંગનો ભંડાફોડ કર્યો. 10 આરોપીઓને ધરપકડ કરાઈ. ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે લુધિયાણા પોલીસે વિદેશી હેન્ડલરો સાથે જોડાયેલા આ નેટવર્કને પકડ્યું, જે પંજાબમાં અશાંતિ ફેલાવવાની યોજના બનાવી રહ્યું હતું.

સહારનપુરના ડૉક્ટરના ઘરેથી ફ્લાઈટ ટિકિટ મળી

સહારનપુરમાં ધરપકડ કરાયેલા ડૉ. અદીલ અહમદના ઘરેથી શ્રીનગરથી દિલ્હીની ફ્લાઈટ ટિકિટ મળી છે. 31 ઓક્ટોબરની તારીખની ટિકિટ તેના અંબાલા રોડ, અમન વિહાર કોલોનીના ભાડાના ઘરેથી કચરામાંથી મળી. ઘરને પોલીસે સીલ કરી દીધું અને ટિકિટ ફોરેન્સિક તપાસ માટે જપ્ત કરી.

ધરપકડ ડૉક્ટરની પૂર્વ પત્નીએ આપી પ્રતિક્રિયા

ડૉ. શાહીન શાહિદ અંસારીના પૂર્વ પતિ ડૉ. જાફર હયાતએ કહ્યું કે 2013માં તલાક પછી શાહીન સાથે કોઈ સંપર્ક નથી. ડૉ. હયાત કાનપુરમાં નેત્ર રોગ વિશેષજ્ઞ છે. તેમણે જણાવ્યું કે લગ્ન દરમિયાન કોઈ શંકાસ્પદ વર્તન નહોતું. જોકે, શાહીન ઓસ્ટ્રેલિયા કે યુરોપ જવાની વાત કરતી, પરંતુ ભારતમાં જ રહેવાનો નિર્ણય કર્યો. તલાક પછી તેણે બે પુત્રો છોડીને ચાલ્યા ગયા.

દિલ્હી બ્લાસ્ટનું કાનપુર કનેક્શન

દિલ્હી બ્લાસ્ટ કેસમાં UP ATSએ કાનપુરથી એક ડૉક્ટરને ઉઠાવ્યો. ડૉ. આરિફ મીર કાનપુરના કાર્ડિયોલોજી હોસ્પિટલમાં રેસિડન્ટ ડૉક્ટર હતા અને ધરપકડ ડૉ. શાહીન સાથે સંપર્કમાં હોવાનો આરોપ છે. બીજી તરફ, હાપુડના પિલખુવાના જીએસ મેડિકલ કોલેજના પ્રસૂતિ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ફારૂખ અહમદ ડારને દિલ્હી પોલીસે ઉઠાવ્યા.

આ પણ વાંચો-Delhi Blast : વિસ્ફોટક સામગ્રી સાથે સંખ્યાબંધ કાર બ્લાસ્ટનો હતો પ્લાન!

Tags :
Al-Falah Universityconspiracydelhi blastDoctor TerroristJeMNIAred corner noticeRed FortTurkey Connection
Next Article