પ્રદૂષણમાંથી રાહત મેળવવા દિલ્હીમાં આ તારીખે કૃત્રિમ વરસાદનું આયોજન, બુરાડી વિસ્તારમાં ક્લાઉડ સીડિંગનું સફળ પરીક્ષણ
- Delhi: દિલ્હી સરકારે પ્રદૂષણ નિયંત્રણ માટે લીધો મોટો નિર્ણય
- દિલ્હીના CM રેખા ગુપ્તાએ કરી આ મોટી જાહેરાત
- દિલ્હીમાં કરવામાં આવશે કૃત્રિમ વરસાદ
દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે એક ઐતિહાસિક અને વૈજ્ઞાનિક પહેલ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગુરુવારે જાહેરાત કરી કે દિલ્હીમાં પ્રથમ વખત ક્લાઉડ સીડિંગ (કૃત્રિમ વરસાદ) માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને તેનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે.
Delhi: દિલ્હી સરકારે પ્રદૂષણ નિયંત્રણ માટે લીધો મોટો નિર્ણય
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર માહિતી આપતાં જણાવ્યું કે, નિષ્ણાતોની ટીમે બુરારી વિસ્તારમાં ક્લાઉડ સીડિંગનું સફળ પરીક્ષણ કર્યું છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, 28, 29 અને 30 ઓક્ટોબર દરમિયાન દિલ્હી-એનસીઆરમાં પૂરતા પ્રમાણમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અપેક્ષા છે. જો હવામાન અનુકૂળ રહેશે, તો દિલ્હી 29 ઓક્ટોબરે પોતાનો પહેલો કૃત્રિમ વરસાદ કરવામાં આવશે.મુખ્યમંત્રીએ આ પહેલને દિલ્હીના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ તકનીકી અને વૈજ્ઞાનિક પગલું ગણાવ્યું. રેખા ગુપ્તાએ કહ્યું, "આ પહેલ માત્ર તકનીકી રીતે ઐતિહાસિક નથી, પરંતુ દિલ્હીમાં પ્રદૂષણનો સામનો કરવા માટે એક વૈજ્ઞાનિક પદ્ધતિ પણ સ્થાપિત કરશે." સરકારે જણાવ્યું કે આ નવીનતા દ્વારા રાજધાનીની હવાને શુદ્ધ કરવા અને પર્યાવરણને સંતુલિત કરવાનો હેતુ છે. મુખ્યમંત્રીએ પ્રોજેક્ટને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર કેબિનેટ સાથીદાર મનજિન્દર સિંહ સિરસા અને તમામ સંબંધિત અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
Delhi: ના બુરાડીમાં કરાયું ક્લાઉડ સીડિંગનું સફળ પરીક્ષણ
દિલ્હીના મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું હતું કે IIT કાનપુરથી મેરઠ, ખેકરા, બુરાડી, સદકપુર, ભોજપુર, અલીગઢ, દિલ્હી થઈને IIT કાનપુર પરત ફરીને ટ્રાયલ સીડિંગ ફ્લાઇટ હાથ ધરવામાં આવી હતી. ખેકરા અને બુરારી વચ્ચે તેમજ બાદલી વિસ્તાર ઉપર આતશબાજીનો ઉપયોગ કરીને ક્લાઉડ સીડિંગ ફ્લેર ચલાવવામાં આવ્યા હતા. આ ટેસ્ટ ફ્લાઇટ ક્લાઉડ સીડિંગ ક્ષમતાઓનું પરીક્ષણ કરવા અને તમામ સંબંધિત એજન્સીઓ વચ્ચે સંકલન કરવા માટે કરવામાં આવી હતી.
ક્લાઉડ સીડિંગ એટલે શું?
ક્લાઉડ સીડિંગ એ હવામાન સુધારણાની એક તકનીક છે. આ પદ્ધતિમાં, ભેજવાળા વાદળોમાં ચોક્કસ રસાયણો (જેમ કે સિલ્વર આયોડાઇડ) ઉમેરવામાં આવે છે, જે પાણીના ટીપાંને ભારે બનાવે છે અને કૃત્રિમ રીતે વરસાદ પડે છે. ₹3.21 કરોડના ખર્ચે શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ IIT કાનપુર, ભારતીય હવામાન વિભાગ (IMD) અને દિલ્હી સરકાર દ્વારા સંયુક્ત રીતે ભંડોળ પૂરું પાડવામાં આવતી પહેલ છે.
આ પણ વાંચો: અયોધ્યામાં પાંચ દિવસમાં પાંચ લાખ ભક્તોએ કર્યા રામ લલ્લાના દર્શન, વિદેશથી પણ આવ્યા શ્રદ્વાળુઓ