ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

માત્ર હીરોને જ ટાર્ગેટ કરવામાં આવે, તે યોગ્ય નથી : Deputy CM Pawan Kalyan

Pawan Kalyan On Allu Arjun : અર્જુને પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે પોતાનું સ્ટેન્ડ મુક્યું
04:25 PM Dec 31, 2024 IST | Aviraj Bagda
Pawan Kalyan On Allu Arjun : અર્જુને પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે પોતાનું સ્ટેન્ડ મુક્યું
Pawan Kalyan On Allu Arjun

Pawan Kalyan On Allu Arjun : આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ અને અભિનેતા Pawan Kalyan એ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં કહ્યું છે કે કાયદો દરેક માટે સમાન છે. આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે આ સમગ્ર મામલે માત્ર Allu Arjun ને નિશાન બનાવવો યોગ્ય નથી. Pawan Kalyan એ આ બાબતે પોતાનો મત વ્યક્ત કર્યો હતો કે, કેટલાક લોકો કહે છે કે તેલંગાણા સરકારે આ મામલે નરમ વલણ અપનાવવું જોઈતું હતું, પરંતુ કાયદાની નજરમાં કોઈને પ્રાધાન્ય આપી શકાય નહીં. કાયદો આ જ કહે છે.

શું થયું છે કે સમગ્ર દોષ હીરો પર નાખવામાં આવ્યો છે?

નાયાબ મુખ્યમંત્રી Pawan Kalyan એ વધુ કહ્યું કે, મેં વિધાનસભામાં જાહેરાત કરી છે કે જો હું કોઈ ભૂલ કરું તો મને પણ સજા મળવી જોઈએ. પણ શું થયું છે કે સમગ્ર દોષ હીરો પર નાખવામાં આવ્યો છે, તે એકલાને જ નિશાન બનાવવામાં આવ્યો છે. મને આ યોગ્ય ન લાગ્યું. અને પછીથી જે પરિસ્થિતિ ઉભી થઈ, કોઈએ તેને યોગ્ય રીતે માર્ગદર્શન આપ્યું નહીં અને એકવાર કેસ દાખલ થઈ જાય પછી તમે પોલીસને પ્રશ્ન કરી શકતા નથી.

આ પણ વાંચો: કોર્ટે અલ્લુ અર્જુનની જામીન અરજી પર નિર્ણય અનામત રાખ્યો, આ દિવસે થશે આગામી સુનાવણી

નિર્માતાઓએ બીજા જ દિવસે પીડિતાના ઘરે જવું જોઈતું હતું

આ પ્રસંગે Pawan Kalyan એ Pushpa 2 ના નિર્માતાઓની ભૂલ તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું, ફિલ્મ નિર્માતાઓએ બીજા જ દિવસે પીડિતાના ઘરે જવું જોઈતું હતું. અને નિર્માતા, દિગ્દર્શક અથવા ટીમમાંથી કોઈ અન્ય વ્યક્તિ ત્યાં જઈને તેમને સાંત્વના આપે અને કહેશે કે તેઓ તેમના દુઃખમાં તેમની સાથે છે. શું તેઓએ તે કર્યું? આ કારણોથી આ મામલો વધુ ઉગ્ર બન્યો છે.

અર્જુને પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે પોતાનું સ્ટેન્ડ મુક્યું

સંધ્યા થિયેટર કેસમાં Allu Arjun ની પણ ધરપકડ કરવામાં આવી હતી. જોકે બીજા દિવસે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. Allu Arjun એ પ્રેસ કોન્ફરન્સમાં આ મામલે પોતાનું સ્ટેન્ડ મુક્યું હતું અને પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેણે કહ્યું હતું કે મારા પર જે રીતે સવાલો ઉઠાવવામાં આવ્યા છે તેનાથી મને ઘણું દુઃખ થયું છે.

આ પણ વાંચો: Squid Game season 2: એક ચૂક જિંદગીનો ખેલ ખતમ! 93 દેશોમાં નંબર 1 પર ચાલી રહી છે આ લેટેસ્ટ સીરિઝ

Tags :
Allu ArjunAndhra Pradesh Deputy CM Pawan KalyanGujarat FirstPAWAN KALYANPawan Kalyan On Allu Arjunpushpa 2 allu arjunSandhya Theatre case
Next Article