ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દેવાયત ખવડ તો માસ્ટર માઇન્ડ નિકળ્યા, પોલીસના હાથમાંથી રેતની જેમ સરકી ગયા

દેવાયત ખવડ અને સાથીઓની જેલમુક્તિ; તાલાલા મામલતદારે મંજૂર કર્યા જામીન
06:43 PM Aug 19, 2025 IST | Mujahid Tunvar
દેવાયત ખવડ અને સાથીઓની જેલમુક્તિ; તાલાલા મામલતદારે મંજૂર કર્યા જામીન

તલાલા : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા શાંતિભંગના કેસમાં આરોપી દેવાયત ખવડ અને તેના સાત સાથીઓને જેલમાંથી મુક્તિ મળી છે. વેરાવળ સેશન્સ કોર્ટે ગઈકાલે આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા. આજે તાલાલા મામલતદારે રૂ. 10,000ના જામીન બોન્ડ પર તેમની મુક્તિનો આદેશ આપી દીધો છે. જોકે, તાલાલા પોલીસે આ જામીનના નિર્ણય સામે સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી છે, જે હાલ પેન્ડિંગ છે.

10,000ના જામીન

તાલાલા પોલીસે દેવાયત ખવડ અને તેના સાત સાથીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 151 (સુલેહ-શાંતિ ભંગ) હેઠળ અટકાયતમાં લીધા હતા. આ કેસમાં આરોપીઓ પર શાંતિભંગની શક્યતાના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓને વેરાવળ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં ગઈકાલે (18 ઓગસ્ટ, 2025) કોર્ટે તેમને જામીન મંજૂર કર્યા હતા. આજે, 19 ઓગસ્ટે, આરોપીઓને તાલાલા મામલતદાર સમક્ષ રજૂ કરવામાં આવ્યા, જ્યાં દેવાયત ખવડ અને અન્ય આરોપીઓએ રૂ. 10,000ના જામીન બોન્ડ ભર્યા. મામલતદારે જામીનની શરતોને મંજૂરી આપી અને તમામ આરોપીઓને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-Gondal માં આશરે 10 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું,ફોરેસ્ટ વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ રેસ્કયુ કર્યું

તાલાલા પોલીસની અરજી

જામીનના નિર્ણયની સામે તાલાલા પોલીસે વેરાવળ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની મુક્તિ સ્થાનિક શાંતિ અને કાયદો-વ્યવસ્થા માટે જોખમી બની શકે છે. આ અરજી હજુ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે, અને તેની સુનાવણીની આગામી તારીખ ટૂંક સમયમાં નક્કી થશે.

આ ઘટનાએ તાલાલા અને આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક લોકોમાં આ કેસ અંગે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકોનું માનવું છે કે પોલીસે શાંતિભંગના નામે અયોગ્ય કાર્યવાહી કરી, જ્યારે અન્ય લોકો પોલીસની સાવચેતીના પગલાંને સમર્થન આપે છે. દેવાયત ખવડની મુક્તિ બાદ આ વિસ્તારમાં વધુ તણાવ ન થાય તે માટે પોલીસે સતર્કતા વધારી દીધી છે.

માસ્ટર માઈન્ડ દેવાયત ખવડ

આમ દેવાયત ખવડ પોલીસ કરતાં પણ એક સ્ટેપ આગળ નિકળી ગયા હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે. હાલમાં દેવાયત ખવડે પોલીસને ચકમો આપીને પોતાની આઝાદી મેળવી લીધી છે. જોકે, પોલીસે કરેલી અરજી ઉપર પણ બધાની નજર છે. ઉલ્લેખનિય છે કે, દેવાયત ખવડનું નામ આ પહેલાં પણ તાલાલા અને ગીર સોમનાથ વિસ્તારમાં વિવાદોમાં સામે આવ્યું છે. આવા કેસોમાં પોલીસની કાર્યવાહી અને જામીનના નિર્ણયો ઘણીવાર રાજકીય અને સામાજિક ચર્ચાનો વિષય બનતા હોય છે. આ કેસમાં પણ રિવિઝન અરજીના પરિણામો પર સૌની નજર રહેશે, કારણ કે તેનાથી આગળની કાર્યવાહીની દિશા નક્કી થશે.

આ પણ વાંચો-ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓનો હલ્લાબોલ, જૂની પેન્શન અને ફિક્સ પગાર મુદ્દે 21 ઓગસ્ટે મહાબેઠક

Tags :
#DevayatKhwad#DisturbanceofPeace#RevisionApplication#TalalaPolice#VeravalCourtBailGirSomnathTalala
Next Article