ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લાલ ચંદ્રની ભયાવહ કાળી રાત,7 સપ્ટે.શું કરવું અને શું ન કરવું?જાણો Chandra Grahanની અસર...!

Chandra Grahan: આ વર્ષે 2025નું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ થવાનું છે, હિન્દુ પંચાંગ અનુસાર આ ગ્રહણ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થશે.
06:28 PM Sep 03, 2025 IST | Mustak Malek
Chandra Grahan: આ વર્ષે 2025નું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ થવાનું છે, હિન્દુ પંચાંગ અનુસાર આ ગ્રહણ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થશે.
Chandra Grahan

આ વર્ષે 2025નું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરના રોજ થવાનું છે. હિન્દુ પંચાંગ અનુસાર આ ગ્રહણ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે થશે. આ ચંદ્રગ્રહણ ભારત, પ્રશાંત મહાસાગર, હિંદ મહાસાગર, ઓસ્ટ્રેલિયા અને પશ્ચિમી દેશોમાં દેખાશે. હિન્દુ ધર્મમાં ચંદ્રગ્રહણને ધાર્મિક દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.7 સપ્ટેમ્બર 2025ની રાત અને દિવસ ભારે અને નકારાત્મક ઉર્જા લઈને આવશે, કારણ કે આ દિવસે લાલ ચંદ્ર સાથે ચંદ્રગ્રહણ થશે અને સાથે જ પિતૃપક્ષનો પ્રારંભ થશે. આ દિવસે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ શકે છે. આવો જાણીએ આ દિવસની મહત્વની બાબતો અને શું કરવું, શું ન કરવું.

Chandra Grahan ક્યારે થશે?

ભારતીય સમય મુજબ, ગ્રહણ રાત્રે 09:57 વાગ્યે શરૂ થશે
ગ્રહણનો મધ્યકાળ: 11:41 વાગ્યે
ગ્રહણનો સમાપ્તી : 01:27 વાગ્યે
આ સમય દરમિયાન, ગ્રહણની સંપૂર્ણ અસર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે.

Chandra Grahan અને સૂતક કાળનો પ્રભાવ

7 સપ્ટેમ્બરે થનારું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, જેના કારણે સાંજથી સૂતક કાળ શરૂ થશે. સૂતક દરમિયાન ધાર્મિક કાર્યો જેમ કે ધૂપ-દીવો કરવો ટાળવું જોઈએ. સૂર્યાસ્ત પછી ભોજન ન કરવું અને રાત્રે ઘરની બહાર નીકળવું નહીં. આ સમયે નકારાત્મક ઉર્જા વધુ પ્રબળ હોય છે, જેની અસરથી બચવું જરૂરી છે.

 

 

 

 

Chandra Grahan દરમિયાન શું ન કરવું?

ચંદ્રગ્રહણ સમયે ચંદ્રના દર્શન ન કરવા, કાળા કપડાં ન પહેરવા અને કોઈની સાથે વાદ-વિવાદ કે ઝઘડામાં ન પડવું. આ સમયે શાંત રહેવું અને નકારાત્મક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જરૂરી છે, કારણ કે આ રાત ભારે અને પડકારજનક હોઈ શકે છે.

Chandra Grahan   શું કરવું જોઈએ?

આ દિવસે શાંતિથી પોતાના ઇષ્ટ દેવનું સ્મરણ કરો. મંત્રજાપ, ધ્યાન અને દાન-પુણ્યના કાર્યો કરવાથી નકારાત્મક ઉર્જાની અસર ઓછી થઈ શકે છે. ખાસ કરીને, ગરીબોને અન્ન, વસ્ત્ર કે ધનનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

Chandra Grahan  સાવધાની રાખવી જરૂરી

ચંદ્રગ્રહણ અને પિતૃપક્ષનો સંયોગ આ દિવસને વધુ સંવેદનશીલ બનાવે છે. આથી, આ દિવસે શાંત રહીને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. નકારાત્મક વિચારો અને પ્રવૃત્તિઓથી દૂર રહીને આ રાતને સુરક્ષિત રીતે પસાર કરો.

Chandra Grahan કઈ રાશિઓ પર અસર થશે?

આ ચંદ્રગ્રહણ ખાસ કરીને મકર, કુંભ અને મીન રાશિના લોકો પર નકારાત્મક અસર કરશે. આ રાશિના લોકોને માનસિક અશાંતિ, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને નાણાકીય પડકારોનો સામનો કરવો પડી શકે

 

 

આ પણ વાંચો:  સપ્ટેમ્બર 2025માં બે ગ્રહણ: 21મી સપ્ટેમ્બરે સૂર્ય ગ્રહણ, જાણો ભારતમાં તેની શું અસર થશે?

Tags :
Chandra GrahanChandraGrahan2025lunar eclipselunar eclipse september 2025NegativeEnergyRedMoonReligion NewsSpiritualCaution
Next Article