ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dwarka : ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે વીજ કરંટથી બે ખેડૂતના મોત, PGVCLની બેદરકારીનો આરોપ

દ્વારકામાં વીજ કરંટનો કરૂણ કિસ્સો : સોનારડી ગામે બે ખેડૂત ભાઈઓનું મોત, PGVCL પર બેદરકારીનો આરોપ
07:47 PM Sep 19, 2025 IST | Mujahid Tunvar
દ્વારકામાં વીજ કરંટનો કરૂણ કિસ્સો : સોનારડી ગામે બે ખેડૂત ભાઈઓનું મોત, PGVCL પર બેદરકારીનો આરોપ

Dwarka :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે એક દુ:ખદ ઘટના સામે આવી છે, જેમાં 11 કેવી (KV)ના જીવતા વીજ વાયર પડવાથી બે ખેડૂત ભાઈઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનામાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL)ની બેદરકારીને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. બંને મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ સ્થાનિક ખેડૂતોમાં રોષ ફેલાવ્યો છે. PGVCLની બેદરકારી સામે તપાસની માંગ ઉઠી રહી છે.

Dwarka :  11 KV વાયર તૂટી પડતા ખેતરમાં કામ કરતાં બે ભાઈઓના મોત

આ ઘટના સોનારડી ગામના વાડી વિસ્તારમાં બની છે, જ્યાં બે ભાઈઓ પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. અચાનક 11 કેવીનો જીવતો વીજ વાયર તૂટીને તેમના પર પડવાના કારણે બંનેને જોરદાર વીજ કરંટ લાગ્યો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. સ્થાનિક લોકો અને પરિવારજનોનો આરોપ છે કે PGVCLની જાળવણીની બેદરકારીને કારણે આ દુર્ઘટના બની હતી. વીજ લાઈનોની નિયમિત તપાસ અને જાળવણીનો અભાવ આવી ઘટનાઓનું મુખ્ય કારણ હોવાનું જણાવાયું છે.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને PGVCLના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બંને મૃતકોના મૃતદેહોને ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. PGVCLની બેદરકારીના આરોપોની પણ તપાસ કરવામાં આવશે.

Dwarka ના સ્થાનિકોમાં રોષ

આ ઘટનાથી સોનારડી ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકોના પરિવારજનો અને સ્થાનિક ખેડૂતોએ PGVCLની લાપરવાહી પર આકરો રોષ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે વીજ લાઈનોની જાળવણી અને સમારકામનું કામ નિયમિત રીતે થતું નથી, જેના કારણે આવી દુર્ઘટનાઓ વધી રહી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. વળી, મૃતકોના પરિવારોને યોગ્ય વળતર આપવાની પણ માંગ ઉઠી છે.

રાજ્યમાં કરંટ લાગવાની ઘટનાઓમાં થયો વધારો

ગુજરાતમાં તાજેતરના સમયમાં વીજ કરંટને કારણે થતી દુર્ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદના નારોલમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી એક દંપતીનું મોત થયું હતું, જેમાં AMC અને વીજ કંપનીની બેદરકારીનો આરોપ લાગ્યો હતો. એ જ રીતે મહેસાણામાં 14 સપ્ટેમ્બરે ફેબ હિન્દ કંપનીમાં ક્રેનના 11,000 વોલ્ટની વીજ લાઈનને અડવાથી બે કામદારોના મોત થયા હતા. આ ઘટનાઓ વીજ કંપનીઓની જાળવણી અને સલામતીના ધોરણો પર ગંભીર સવાલો ઉભા કરે છે.

આ ઘટના બાદ ખંભાળિયા અને દ્વારકા જિલ્લામાં વીજ લાઈનોની સ્થિતિ અને જાળવણીની તપાસની માંગ વધી છે. PGVCLને આ મામલે જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે, અને સ્થાનિક વહીવટને આવી ઘટનાઓ અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- Gandhinagar : GUDAના કર્મચારીઓ લાંચ લેતા પકડાયા : મકાન ફાળવણીની લાલચે 70 હજારની માંગ

Tags :
Dwarka KhambhaliaElectricityFarmers DeathGujarat FirstGujarat NewsPGVCL NegligenceSonardi Village
Next Article