ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સુરતમાં દર્દનાક ઘટના, પિતાએ કર્યો પોતાના બે નાના પુત્રો સાથે સામૂહિક આપઘાત

સુરતના જિલ્લા પંચાયત ક્વોર્ટરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ તેમના 3 વર્ષ અને 8 વર્ષના બે પુત્રો સાથે સામૂહિક આપઘાત કર્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે,
06:16 PM Jul 31, 2025 IST | Mujahid Tunvar
સુરતના જિલ્લા પંચાયત ક્વોર્ટરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ તેમના 3 વર્ષ અને 8 વર્ષના બે પુત્રો સાથે સામૂહિક આપઘાત કર્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે,

સુરતના જિલ્લા પંચાયત ક્વોર્ટરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પિતાએ તેમના 3 વર્ષ અને 8 વર્ષના બે પુત્રો સાથે સામૂહિક આપઘાત કર્યો છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે, અને સ્થાનિક લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉમરા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે, પરંતુ આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

ઘટનાની વિગતો

આપાઘાત કરનાર પરિવાર સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામનું હોવાનું સામે આવ્યું છે. અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી (ઉં.વ. 41) ડિંડોલની મેરીમાતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. જોકે, અચાનક શિક્ષક અલ્પેશ ભાઈએ પોતાના બે બાળકો સાથે આપઘાત કરી લીધો છે. અલ્પેશભાઈએ પુત્ર ક્રીશીવ (ઉ.વ. 8) અને પુત્ર કર્નિશ (ઉ.વ. 2) સાથે આપઘાત કરી લેતા અનેક અવનવા પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. ઘટના સ્થળે બંને બાળકો બેડ પર મૃત હાલતમાં મળી આવ્યા છે, જ્યારે પિતા અલ્પેશ ભાઇ લટકતી સ્થિતિમાં મળી આવ્યો છે.

જિલ્લા પંચાયત ક્વોર્ટરમાં રહેતા આ પરિવારે આ ઘટનાને અંજામ આપ્યો ત્યારે સ્થાનિક લોકો અને પડોશીઓને આ ઘટનાની જાણ થઈ. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી, અને ઉમરા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવારે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની શક્યતા છે, પરંતુ સુસાઈડ નોટ કે અન્ય કોઈ સ્પષ્ટ પુરાવા હજુ મળ્યા નથી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને આસપાસના લોકોના નિવેદનો નોંધી રહી છે.

આપઘાતનું કારણ

આ દુઃખદ ઘટના પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આર્થિક તંગી, કૌટુંબિક કલેશ અથવા માનસિક તણાવ જેવા પરિબળો આપઘાતનું કારણ હોઈ શકે છે. અગાઉ સુરતમાં સમાન પ્રકારની ઘટનાઓ, જેમ કે કામરેજના ગળતેશ્વર વિસ્તારમાં પ્રજાપતિ પરિવારનો સામૂહિક આપઘાત, વ્યાજની લેતીદેતીને કારણે થયો હોવાનું બહાર આવ્યું હતું. આવા કિસ્સાઓ દર્શાવે છે કે આર્થિક દબાણ અને માનસિક તણાવ આ પ્રકારની ઘટનાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.

પોલીસ તપાસ અને સામાજિક ચિંતા

ઉમરા પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, “અમે પરિવારના સભ્યો, પડોશીઓ અને સંબંધીઓના નિવેદનો લઈ રહ્યા છીએ, જેથી આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાય.” આ ઉપરાંત, પોલીસે CCTV ફૂટેજ અને મોબાઈલ રેકોર્ડ્સની પણ તપાસ શરૂ કરી છે, જેથી કોઈ બાહ્ય દબાણ કે ષડયંત્રની શક્યતા નકારી શકાય. આ ઘટનાએ સુરતમાં માનસિક સ્વાસ્થ્ય અને આર્થિક તણાવના મુદ્દાઓ પર ફરી એકવાર ચર્ચા શરૂ કરી છે. સાયકોલોજિસ્ટ કુંજ તેરૈયાના જણાવ્યા મુજબ, “માનસિક તણાવનું સ્તર આજે બાળકો સહિત દરેક વયજૂથમાં વધી રહ્યું છે. આવી ઘટનાઓ સમાજમાં ગંભીર ચિંતાનો વિષય છે.”

ઉલ્લેખનિય છે કે, આજે (31 જૂલાઈ) સવારે જ માતાએ પોતાના એક પુત્રને ઝેરી દવા પીવડાવીને પોતે આત્મહત્યા કરી લીધી હતી. હજું તે આપઘાત વિશેની સંપૂર્ણ માહિતી પણ આવી નથી તો સુરતમાં બીજી સામૂહિક આપઘાતની ઘટના બની ગઈ છે. આમ સમાજ માટે સામૂહિક આપઘાત એક ચિંતાનું વિષય બની ગયું છે.

આ પણ વાંચો- PI to DySP Promotion : તાબડતોબ મેડીકલ કરાવી ચૂકેલા સવાસોથી વધુ PI 16 મહિનાથી પ્રમોશનની રાહમાં

Tags :
District Panchayat Quarterfather-sonmass suicideSurat SuicideUmra police
Next Article