Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: રાજકોટમાં કોરોનાને કારણે પ્રથમ મોત નિપજ્યું, ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

રાજકોટમાં કોરોનાને કારણે પ્રથમ મોત નિપજ્યું છે. વૃદ્ધને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા.
rajkot  રાજકોટમાં કોરોનાને કારણે પ્રથમ મોત નિપજ્યું  ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ
Advertisement
  • રાજકોટમાં કોરોનાને કારણે નિપજયું પ્રથમ મોત
  • 55 વર્ષીય વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં થયું મોત
  • વૃદ્ધને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા

રાજકોટમાં કોરોનાને કારણે પ્રથમ મોત નિપજ્યું છે. 55 વર્ષીય વૃદ્ધનું સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. વૃદ્ધને છેલ્લા ચાર દિવસથી કોરોનાના લક્ષણો હતા. ગઈકાલે સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધને દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન વૃદ્ધનું મોત નિપજ્યું છે. દર્દી હાયપર ટેન્શનની બિમારીથી પણ પીડાતા હતા.

આજે 175 નવા કોરોના કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં કોરોના કેસમાં વધારો થયો છે. આજે 175 નવા કોરોના કેસ નોંધાયા છે. કોરોનાના 60 જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ મળ્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાના 761 એક્ટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 237 કોરોના એક્ટિવ કેસ છે. મધ્ય ઝોનમાં સૌથી ઓછા 23 એક્ટિવ કેસ છે. ઉત્તર પશ્ચિમ ઝોન 229, દક્ષિણ ઝોન 126 એક્ટિવ કેસ, ઉત્તર ઝોન 30, પૂર્વ ઝોન 34, દક્ષિણ ઝોન 82 એક્ટિવ કેસ નોંધાવા પામ્યા છે.

Advertisement

આ પણ વાંચોઃ Jagannath Rathyatra : જમાલપુર દરવાજાથી ખમાસા ચાર રસ્તાને 19.59 કરોડના ખર્ચે હેરિટેજ લુક અપાશે

Advertisement

ગુજરાતમાં કુલ 1109 કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા

ગત રોજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ માહિતી મુજબ ગુજરાતમાં કુલ 1109 કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા હતા. જેમાંથી 33 હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે 1076 લોકો OPD બેઝ સારવાર હેઠળ છે. જ્યારે 106 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1000 ને પાર પહોંચ્યો છે.

  • આરોગ્ય વિભાગ દ્વારા પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું હતું કે, જો હોમ આઈસોલેશનમાં રહેલ વ્યક્તિઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ-નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું, અને જો તેમને શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, વગેરે જેવા લક્ષણોમાં જણાયે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો.
  • ખાંસી/છીંક દરમિયાન નાકનું મોં ઢાંકવું. જાહેર સ્થળોએ થૂંકવું નહીં, અવારનવાર સાબુથી હાથ ધોવા, સેનેટાઈઝ૨નો ઉપયોગ કરાવવો વગેરે કોવિડ એપ્રોપ્રીયેટ બિહેવિયરનું પાલન કરવું.
  • કો-મોર્બીડ કંડીશન ધરાવતા લોકો અને રોગપ્રતિકારક શક્તિની ઉણપ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અથવા આવી જગ્યાએ માસ્કનો ઉપયોગ કરવો.
  • કોવિડના કેસોમાં દ૨ ૬ થી ૮ માસમાં રાઈજિંગ ટ્રેન્ડ આવતો હોય છે જેથી ગભરાવાની જરૂર નથી. "સાવચેતી એજ સમજદારી છે.
  • કોવિડ પોઝિટિવ દર્દીના જીનોમ સિક્વન્સી ટેસ્ટિંગ GBRC ગાંધીનગર ખાતે ક૨વામાં આવે છે જેમાં મુખ્યત્વે JN. 1, LF.7, LF.7.9 અને XFG Variant જોવા મળેલ છે. WHO ના ધારાધોરણ મુજબ Variant of Interest છે. આમ, આ variant સામાન્ય પ્રકા૨નો છે જેમાં ગભરાવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ Vadodra : 21 જૂન વિશ્વ યોગ દિવસ પહેલા પ્રિ-યોગ શિબિરનું આયોજન, યોગ શિબિરમાં યોગનું મહત્વ સમજાવ્યું

Tags :
Advertisement

.

×