ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Indus Water Treaty : પાકના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ખોખલી ધમકી!

પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીએ ભારતને આપી ધમકી (Indus Water Treaty) 'જો ભારતે સિંધુ નદી પર ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે: બિલાવલ ભુટ્ટો બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાનના લોકોને સમર્થન માટે અપીલ કરી Indus Water Treaty: પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીર બાદ...
11:29 PM Aug 11, 2025 IST | Hiren Dave
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીએ ભારતને આપી ધમકી (Indus Water Treaty) 'જો ભારતે સિંધુ નદી પર ડેમ બનાવ્યો તો યુદ્ધ થશે: બિલાવલ ભુટ્ટો બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાનના લોકોને સમર્થન માટે અપીલ કરી Indus Water Treaty: પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીર બાદ...
Bilawal Bhutto

Indus Water Treaty: પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીર બાદ હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ પણ ભારતને યુદ્ધની ધમકી આપી છે . ભુટ્ટોએ કહ્યું છે કે જો ભારત સિંધુ જળ સંધિ(Indus Water Treaty) રદ કરે છે અને ડેમ બનાવે છે તો ભારત સામે યુદ્ધ થશે . બિલાવલ ભુટ્ટોએ પાકિસ્તાનના લોકોને સમર્થન માટે અપીલ કરી છે . બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે આપણને પાકિસ્તાનના લોકોની જરૂર છે, આપણે મોદી સામે અવાજ ઉઠાવવો પડશે જેથી આપણે આ જુલમ રોકી શકીએ.

 

પાકિસ્તાન શાંતિની વાત કરે છે :બિલાવલ ભુટ્ટો (Indus Water Treaty)

બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે આ દેશના લોકોમાં એટલી શક્તિ છે કે આપણે યુદ્ધમાં પણ તેમની સામે લડી શકીએ છીએ અને આપણે બધી 6 નદીઓ પરત મેળવી શકીએ છીએ. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે પાકિસ્તાને ક્યારેય યુદ્ધ નથી કર્યું, અમે શાંતિની વાત કરીએ છીએ, પાકિસ્તાનના સર્વોચ્ચ નેતા જ્યાં પણ ગયા, તેમણે શાંતિની વાત કરી અને ભારતે યુદ્ધની વાત કરી, પરંતુ જો યુદ્ધ થાય છે તો અમે શાહ અબ્દુલની ભૂમિ પરથી મોદી સરકારને કહેવા માગીએ છીએ કે અમે પીછેહઠ કરતા નથી, અમે ઝૂકતા નથી. અમે કહેવા માગીએ છીએ કે જો ભારત આવા હુમલા વિશે વિચારે છે તો પાકિસ્તાનના દરેક પ્રાંતના લોકો લડવા માટે તૈયાર છે, આ એક એવું યુદ્ધ છે જે ભારત ચોક્કસપણે હારી જશે.

આ પણ  વાંચો -Asim Munir: PAK આર્મી ચીફ મુનીરના નિવેદન પર કોંગ્રેસે કરી ટીકા

આસીમ મુનીરે આપી હતી પરમાણુ યુદ્ધની ધમકી (Indus Water Treaty)

અમેરિકાના પ્રવાસે ગયેલા પાકિસ્તાનના આર્મી ચીફે ત્યાં એક કાર્યક્રમ દરમિયાન ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી. સિંધુ જળ સંધિનો ઉલ્લેખ કરતા અસીમ મુનીરે કહ્યું હતું કે આપણે પરમાણુ સમૃદ્ધ દેશ છીએ. જો આપણને ડૂબાડવાનો પ્રયાસ કરવામાં આવશે તો આપણે અડધી દુનિયાને પોતાની સાથે લઈ જઈશું. મુનીર અહીં જ અટક્યા નહીં, તેમણે તો એમ પણ કહ્યું કે ભારત સિંધુ નદી પર બંધ બનાવવા જઈ રહ્યું છે. તેને બનવા દો, આપણે તેને મિસાઈલથી નષ્ટ કરીશું.

Tags :
Bilawal BhuttoDamIndiaIndia Pakistan WarIndus Water Treaty
Next Article