ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gandhinagar : ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિર, ‘સામુહિક ચિંતનથી સામુહિક વિકાસ ગુજરાત’ થીમ પર મંથન

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં આગામી ત્રણ દિવસની રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ચિંતન શિબિર અંગે વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ 12મી ચિંતન શિબિર 27, 28 અને 29 નવેમ્બરે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે યોજાશે.“સામુહિક ચિંતનથી સામુહિક વિકાસ ગુજરાત” થીમ હેઠળ યોજાનારી આ શિબિરમાં સમગ્ર કેબિનેટ ઉપરાંત રાજ્યના 241 જેટલા વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે.
05:44 PM Nov 25, 2025 IST | Mujahid Tunvar
Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં આગામી ત્રણ દિવસની રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ચિંતન શિબિર અંગે વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ 12મી ચિંતન શિબિર 27, 28 અને 29 નવેમ્બરે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે યોજાશે.“સામુહિક ચિંતનથી સામુહિક વિકાસ ગુજરાત” થીમ હેઠળ યોજાનારી આ શિબિરમાં સમગ્ર કેબિનેટ ઉપરાંત રાજ્યના 241 જેટલા વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે.

Gandhinagar : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટ બેઠકમાં આગામી ત્રણ દિવસની રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ચિંતન શિબિર અંગે વિગતવાર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. આ 12મી ચિંતન શિબિર 27, 28 અને 29 નવેમ્બરે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે યોજાશે.

“સામુહિક ચિંતનથી સામુહિક વિકાસ ગુજરાત” થીમ હેઠળ યોજાનારી આ શિબિરમાં સમગ્ર કેબિનેટ ઉપરાંત રાજ્યના 241 જેટલા વરિષ્ઠ અધિકારીઓ ભાગ લેશે. શિબિરનો મુખ્ય હેતુ રાજ્યના વિકાસને વેગ આપવા માટે નીતિગત મુદ્દાઓ, યોજનાઓની અમલવારી તથા નવા વિઝન પર ખુલ્લા મને ચર્ચા-વિચારણા કરવાનો છે.

આ પણ વાંચો- Saurabh Murder Case: પતિને મોતને ઘાટ ઉતારી દેનાર મુસ્કાને પુત્રીને જન્મ આપ્યો, પરિવારે DNA ટેસ્ટની માંગ કેમ કરી?

શિબિરની ખાસ વાત એ છે કે કોઈપણ મંત્રી કે અધિકારી પોતાની સાથે સુરક્ષા કર્મી (PSO), ગનમેન કે અંગત સહાયકને લઈ જઈ શકશે નહીં. તમામે ધરમપુર જવા અને પરત ફરવા માટે ટ્રેનનો જ ઉપયોગ કરવાનો રહેશે. આનાથી સાદગી તથા સમાનતાનો સંદેશ આપવાનો સરકારનો હેતુ છે.

માહિતી અને પ્રસારણ મંત્રી તથા સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, “આ ચિંતન શિબિર ગુજરાતને વધુ સશક્ત, સમૃદ્ધ અને સ્માર્ટ બનાવવાના નવા વિચારોનું કેન્દ્ર બનશે. ત્રણ દિવસ સુધી ચાલનારા મંથનથી 2047 સુધી વિકસિત ગુજરાતનું રોડમેપ વધુ મજબૂત બનશે.”

આ પહેલાં યોજાયેલી 11 ચિંતન શિબિરોએ રાજ્યની અનેક મોટી યોજનાઓ અને નીતિઓને આકાર આપ્યો છે. આ વખતે પણ ખેડૂત કલ્યાણ, ઔદ્યોગિક વિકાસ, પર્યટન, ડિજિટલ ગુજરાત તથા ગ્રીન એનર્જી જેવા મુદ્દાઓ પર ગંભીર ચર્ચા થવાની શક્યતા છે.

આ પણ વાંચો- Amit Chavda : “હપ્તા બંધ થઇ જવાનો ડર છે, બુટલેગરો જેલમાં જશે એવી બીક છે”

Tags :
2047 Vikasit GujaratBhupendra PatelChintan ShibirCollective ThinkingDharmpurGujarat GovernmentGujarat NewsJitu VaghaniVikas Gujarat
Next Article