Rath Yatra Security: રથયાત્રાને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન, પોલીસ જવાનોની 10 થી 17 જુલાઈ સુધીની રજાઓ રદ
આગામી રથયાત્રાના સુરક્ષિત અને શાંતિપૂર્ણ આયોજન માટે રાજ્યના પોલીસ વિભાગે કડક સુરક્ષા પ્રોટોકોલ લાગુ કર્યો છે. તારીખ 10 જુલાઈથી 17 જુલાઈ સુધીના સમયગાળામાં તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થાને કોઈ પણ ભોગે જાળવી રાખવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Advertisement
Rath Yatra Security: ગાંધીનગર (Gandhinagar) ખાતેથી મળતી માહિતી મુજબ, આગામી રથયાત્રાના (Rath Yatra) પવિત્ર મહોત્સવને અનુલક્ષીને રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે.

