Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gandhinagar: એન્જિનિયરિંગના 21 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ગાંધીનગરના સેક્ટર 15ની એક હોસ્ટેલના બંધ રૂમમાંથી જ્યારે એન્જિનિયરિંગના વિદ્યાર્થીની લાશ મળી, ત્યારે શૈક્ષણિક જગતમાં સોંપો પડી ગયો હતો. અમરેલીથી સપનાઓ લઈને આવેલા 21 વર્ષીય રાજને આખરે કયા એવા અગમ્ય કારણોસર મોતનો માર્ગ પસંદ કર્યો?
gandhinagar  એન્જિનિયરિંગના 21 વર્ષીય વિદ્યાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Advertisement
  • Gandhinagar સેક્ટર 15 આંબેડકર હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત
  • એન્જિનિયરિંગના 21 વર્ષીય રાજન ધાંધલે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું
  • મૃતક યુવક અમરેલીના કુકાવાવનો વતની અને ગાંધીનગરમાં રહી કરતો હતો અભ્યાસ
  • હોસ્ટેલમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તંત્ર દોડતું થયું
  • ગાંધીનગર સિવિલ હોસ્પિટલના તબીબોએ યુવકને મૃત જાહેર કરતા શોકની લાગણી
  • પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આપઘાતના કારણો જાણવા તપાસ તેજ કરી

Gandhinagar: ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવન પર માનસિક ભાર કે અગમ્ય કારણો હાવી થઈ રહ્યા હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના સેક્ટર 15 (Sector 15) વિસ્તારમાં આવેલી આંબેડકર હોસ્ટેલ (Ambedkar Hostel) માં રહેતા એન્જિનિયરિંગના એક આશાસ્પદ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે.

Gandhinagar_APGHAT_GUJARAT_FIRST

Advertisement

વિદ્યાર્થી મૂળ અમરેલીનો રહેવાસી

મળતી વિગતો મુજબ, મૃતક યુવકની ઓળખ 21 વર્ષીય રાજન ધાંધલ તરીકે થઈ છે. રાજન મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવ (Kukavav, Amreli) પંથકનો વતની હતો અને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે ગાંધીનગરમાં રહીને એન્જિનિયરિંગ (Engineering) નો અભ્યાસ કરી રહ્યો હતો. ગતરોજ હોસ્ટેલના રૂમમાં તેણે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે આ અંગે અન્ય વિદ્યાર્થીઓ અને હોસ્ટેલ સંચાલકોને જાણ થઈ ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.

Advertisement

Gandhinagar_APGHAT_GUJARAT_FIRST

Gandhinagar: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ઘટનાને પગલે યુવકને તુરંત જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ (Gandhinagar Civil Hospital) ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના આપઘાત (Suicide) ના સમાચાર અમરેલીમાં રહેતા તેના પરિવારને મળતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં ગાંધીનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, યુવકે કયા સંજોગોમાં અને કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ સુસાઈડ નોટ મળી આવી છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આ પણ વાંચો: "પાર્ટીની પોલિસી તમામને લાગુ પડે છે": પુત્રીની ટિકિટ મુદ્દે Bharuch સાંસદ Mansukh Vasava નો મોટો ખુલાસો

Tags :
Advertisement

.

×