Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Geniben Thakor : એક રૂપિયો ન આપ્યો હોય તે હિસાબ માગવા આવે છે : સાંસદ ગેનીબેન ઠાકોર

સિંધવાઈમાતા મંદિર પરિસરમાં પાટણ જિલ્લાનાં ઠાકોર સમાજનું સંમેલન યોજાયું, જેમાં ઠાકોર સમાજનાં સંત સદારામ બાપાનાં નામે સદારામ સેવા સમિતિ દ્વારા ઉ. ગુજરાતની ઠાકોર સમાજની દીકરીઓ માટે સદારામ કન્યા હોસ્ટેલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજમાં દાન ન આપનાર લોકોને લુખ્ખા ગણાવ્યા હતા. સાથે જ સમાજના નામે ટિકિટ માગનારાને સાંસદ ગેનીબેને ટોણો પણ માર્યો હતો.
geniben thakor   એક રૂપિયો ન આપ્યો હોય તે હિસાબ માગવા આવે છે   સાંસદ ગેનીબેન ઠાકોર
Advertisement
  1. પાટણમાં ઠાકોર સમાજનાં સંમેલનમાં Geniben Thakor નાં આકરા પ્રહાર!
  2. સમાજમાં દાન ન આપનાર લોકોને સાંસદ ગેનીબેને ગણાવ્યા 'લુખ્ખા'!
  3. એક રૂપિયો ન આપ્યો હોય તે હિસાબ માગવા આવે છે : ગેનીબેન ઠાકોર
  4. 'આવા લુખ્ખાને આમંત્રણ નહીં આપો તો ખોટું નહી લાગે'
  5. સમાજનાં નામે ટિકિટ માગનારાને સાંસદ ગેનીબેન ઠાકોરે માર્યો ટોણો

Patan : આજે સિંધવાઈમાતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાનાં ઠાકોર સમાજનું (Thakor Samaj) સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં પાટણ ખાતે ઠાકોર સમાજનાં સંત સદારામ બાપાનાં નામે સદારામ સેવા સમિતિ ગુજરાત (Sadaram Seva Samiti Gujarat) દ્વારા ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજની દીકરીઓ માટે સદારામ કન્યા હોસ્ટેલનું (Sadaram Kanya Hostel) ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં સામાજિક અગ્રણીઓ, ભાજપ, કોંગ્રેસ સહિતની રાજકીય પાર્ટીઓનાં નેતાઓ અને ઉદ્યોગપતિઓ સહિત મોટી સંખ્યામાં સમાજનાં લોકોએ હાજરી આપી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાનાં સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor) પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Kutch : લખપત ગુરૂદ્વારામાં DyCM હર્ષભાઈ સંઘવીએ શીશ નમાવ્યું, શીખ સમાજે ઉમળકાભેર સ્વાગત કર્યું

Advertisement

Advertisement

સમાજમાં દાન ન આપનાર લોકોને સાંસદ ગેનીબેને ગણાવ્યા લુખ્ખા!

બનાસકાંઠાનાં સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજનાં શિક્ષણકામ તેમ જ સામાજિક કામમાં કોઈપણ જાતની આર્થિક કે અન્ય પ્રકારની મદદ ના કરનારા લોકોને 'લુખ્ખાઓ' કહ્યા હતા અને આવા લોકોને સામાજિક કાર્યોમાં જેમ દાનવો હવનમાં હાડકા નાખતા હોય છે તેમ કહીને સંબોધ્યા હતા. સાથે-સાથે ઠાકોર સમાજમાં મંદિરમાં ધાર્મિક દાન આપતાં લોકોને પણ સમાજની દીકરીઓનાં ભણતર માટે દાન આપીને પહેલા સરસ્વતીનું મન્દિર બનાવો અને ત્યારબાદ જે દેવી-દેવતાઓને માનતા હોય તેમના મંદિરોનું નિર્માણ કરે તેવી ટકોર પણ કરી હતી.

આ પણ વાંચો - Vadodara : SSG હોસ્પિટલમાં અંધારપટ! 16 બેડનાં નવા AC વોર્ડમાં અચાનક વીજળી ગુલ થતાં હાલાકી!

એક રૂપિયો ન આપ્યો હોય તે હિસાબ માગવા આવે છે: Geniben Thakor

માહિતી અનુસાર, ગેનીબેને જાહેર મંચ પરથી કહ્યું હતું કે, એક રૂપિયો ન આપ્યો હોય તે હિસાબ માગવા પહેલા આવે છે. આવા લુખ્ખાને આમંત્રણ નહીં આપો તો ખોટું નહીં લાગે. આ સાથે સમાજનાં (Thakor Samaj) નામે ટિકિટ માગનારાને પણ સાંસદ ગેનીબેન ઠાકોરે ટોણો માર્યો હતો અને કહ્યું હતું કે, 5 વર્ષ શું કર્યું ? તે હિસાબ માગવાનો સમય આવી ગયો છે. સમાજ માટે શું કર્યું ? જવાબ માંગવાનો સમય આવી ગયો છે.

આ પણ વાંચો - Gondal : અમેરિકાની કંપનીનાં CEO ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાતે, વેપારી-ખેડૂતોને મળ્યા

Tags :
Advertisement

.

×