Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Gondal : બાલાશ્રમની દીકરીનાં લગ્ન શાહી ઠાઠમાઠથી કરાયા સંપન્ન, આંખો થઈ ભીની

Gondal : ગોંડલ નગરપાલિકા સંચાલિત ભગવતસિંહ બાલાશ્રમમાં ઉછરેલી એક અનાથ દીકરી શ્રધ્ધાનો લગ્નોત્સવ ખરેખર રાજસી ઠાઠમાઠ સાથે યોજાયો હતો. આ પ્રસંગે સંત-મહંતો, ધારાસભ્ય, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને શહેરના તમામ આગેવાનો ઉપસ્થિત રહી દીકરીને આશીર્વાદની વર્ષા કરી હતી. શ્રધ્ધાનાં લગ્ન રાજકોટ નિવાસી કિશોરકુમાર સાથે ધામધૂમપૂર્વક સંપન્ન થયાં. સવારે વરરાજાની જાનનું ઢોલ-નગારાં અને સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
gondal   બાલાશ્રમની દીકરીનાં લગ્ન શાહી ઠાઠમાઠથી કરાયા સંપન્ન  આંખો થઈ ભીની
Advertisement
  • Gondal : બાલાશ્રમની દીકરી શ્રધ્ધાનો રાજસી લગ્નોત્સવ, વિદાય વેળાએ આંખો ભીની
  • ઘરની દીકરીની જેમ પરણી ગઈ બાલાશ્રમની શ્રધ્ધા, ગોંડલમાં લાગણીસભર દૃશ્ય
  • કન્યાદાનથી વિદાય સુધી ભીની આંખો : ગોંડલ બાલાશ્રમનો અનોખો લગ્નોત્સવ
  • અનાથ નહીં, સમાજની દીકરી : શ્રધ્ધાનાં લગ્નમાં ગોંડલે વરસાવ્યા આશીર્વાદ
  • બાલાશ્રમથી ભર્યા મંડપ લગ્નના : શ્રધ્ધાનો શાહી ઠાઠમાઠ સાથે વિવાહ

Gondal : ગોંડલ નગરપાલિકા સંચાલિત ભગવતસિંહ બાલાશ્રમમાં ઉછરેલી એક અનાથ દીકરી શ્રધ્ધાનો લગ્નોત્સવ ખરેખર રાજસી ઠાઠમાઠ સાથે યોજાયો હતો. આ પ્રસંગે સંત-મહંતો, ધારાસભ્ય, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને શહેરના તમામ આગેવાનો ઉપસ્થિત રહી દીકરીને આશીર્વાદની વર્ષા કરી હતી.

શ્રધ્ધાનાં લગ્ન રાજકોટ નિવાસી કિશોરકુમાર સાથે ધામધૂમપૂર્વક સંપન્ન થયાં. સવારે વરરાજાની જાનનું ઢોલ-નગારાં અને સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાલાશ્રમને ફૂલો અને લાઈટોથી અનેરો શણગારવામાં આવ્યું હતું. સંગીતની મહેફિલ વચ્ચે લગ્નગીતોની રમઝટ બોલી ઊઠી અને વર-વધૂએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતા.

Advertisement

Advertisement

દીકરીનું કન્યાદાન ગોંડલ નગરપાલિકા પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણીએ કર્યું. યુવાન વરને ઘરવખરીમાં 200થી વધુ ચીજવસ્તુઓ ઉપરાંત ₹3 લાખની ફિક્સ ડિપોઝિટ પણ અર્પણ કરવામાં આવી છે.

આ પ્રસંગે ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ઉદ્યોગપતિ લક્ષ્મણભાઈ પટેલ, રસિકભાઈ મારકણા, મનસુખભાઈ ગજેરા, નાગરિક બેંક ચેરમેન કિશોરભાઈ કાલરીયા, નરશીભાઈ બાલધા, લાલભાઈ તળાવીયા, ધીરુભાઈ સોરઠીયા, ગોપાલભાઈ ટોળીયા સહિત અનેક વેપારી અગ્રણીઓ હાજર રહ્યા. સંતવર્ય પૂ. સિતારામ બાપુ (વડવાળી જગ્યા), પૂ. ચંદુબાપુ (મામાદેવ), પૂ. રામદાસબાપુ, પૂ. રમેશાનંદબાપુ, મહામંડલેશ્વર પૂ. ભરતદાસબાપુ (મોવીયા) જેવા મહંતોએ પણ દીકરીને આશીર્વાદ આપ્યા.

લગ્નનું આયોજન અશોકભાઈ પીપળીયા, મનસુખભાઈ સખીયા, નગરપાલિકા ઉપપ્રમુખ પરીતાબેન ગણાત્રા, કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા તથા શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ કોટડીયા સહિત તમામ સભ્યોએ અથાગ મહેનત કરી સફળ બનાવ્યું.

વિદાય વેળાએ બાલાશ્રમના આયોજકોની આંખો ભીની થઈ ગઈ. જાણે ઘરની દીકરી પરણીને સાસરે જઈ રહી હોય તેવું લાગણીસભર વાતાવરણ સર્જાયું. આ લગ્નોએ એ સંદેશો આપ્યો કે સમાજની દીકરીઓ ક્યારેય અનાથ નથી હોતી.

આ પણ વાંચો- Dahod : ભીખ માંગવાના બહાને ₹5 લાખની ચોરી, રિક્ષા ચાલકે આપ્યો એક ક્લૂ’ને…

Tags :
Advertisement

.

×