Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

ગુજરાત લેન્ડ રેવન્યુ કોડમાં સરળતા લાવવા Gondal સમાજની રજૂઆત : સમિતિને ભલામણની વિનંતી

Gondal તાલુકા શહેર રાજપૂત સમાજ દ્વારા ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની જોગવાઈઓમાં સરળતા લાવવા અને સમિતિની રચના કરવા માટે નાયબ કલેક્ટર, ગોંડલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં ખેડૂતોની સમસ્યાઓ, વીડ જમીન વેચાણની મંજૂરીમાં ઝડપ લાવવા અને કેટલીક જોગવાઈઓ રદ કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ મહેસુલ મંત્રી સંજયસિંહજી મહિડાને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે.
ગુજરાત લેન્ડ રેવન્યુ કોડમાં સરળતા લાવવા gondal સમાજની રજૂઆત   સમિતિને ભલામણની વિનંતી
Advertisement
  • Gondal રાજપૂત સમાજે મહેસુલ ધારામાં સુધારા માટે આવેદનપત્ર આપ્યું : વીડ જમીન વેચાણમાં સરળતાની માંગ
  • વીડ જમીન અને ટુકડા ધારા સમસ્યાઓ: ગોંડલ રાજપૂત સમાજે કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર
  • મહેસુલ મંત્રીને ગોંડલ સમાજની રજૂઆત: જમીન કાયદાઓમાં સુધારા અને સમિતિની રચના માટે માંગ
  • ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ માટે ગોંડલ રાજપૂત સમાજનું આવેદનપત્ર: રેવન્યુ રેકર્ડમાં સુધારાની જરૂર

Gondal : ગોંડલ તાલુકા (Gondal) શહેર રાજપૂત સમાજ દ્વારા ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની જોગવાઈઓમાં સરળતા લાવવા અને સમિતિની રચના કરવા માટે નાયબ કલેક્ટર, ગોંડલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં ખેડૂતોની સમસ્યાઓ, વીડ જમીન વેચાણની મંજૂરીમાં ઝડપ લાવવા અને કેટલીક જોગવાઈઓ રદ કરવાની માંગ કરવામાં આવી છે. તેમજ મહેસુલ મંત્રી સંજયસિંહજી મહિડાને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

Advertisement

Gondal  : બે સમિતિઓની કરાઈ રચના

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં મહેસુલ કાયદામાં સુધારા માટે સમિતિની રચના કરવામાં આવી છે. ગુજરાત સરકાર મહેસુલી નિયમોમાં મોટા પાયે સુધારા કરી રહી છે, જેમાં જમીન મહેસુલના 16 કાયદાઓને બદલીને નવો એક કાયદો ઘડવામાં આવશે. આમાં લેન્ડ ગ્રેબિંગ, નોધણી, અશાંતધારો, સ્ટેમ્પ એક્ટ અને લેન્ડ રેવન્યુ કોડ સહિતના કાયદાઓને સરળ બનાવવામાં આવશે. નવા ગુજરાત જમીન વહીવટ કાયદાના અમલીકરણથી મહેસુલી વિવાદોને રોકવા માટેની આ યોજના છે. સમિતિમાં પૂર્વ આઈએએસ અધિકારી સી.એલ. મીણા અને જે.કે. આસ્તિકની નિમણૂક કરવામાં આવી છે, જેમના નેતૃત્વમાં બે અલગ સમિતિઓ ગઠિત કરાઈ છે.

  ખેડૂતોની સમસ્યાઓ દૂર કરવા સુધારા જરૂરી છે

આવેદનપત્રમાં જણાવાયું છે કે મહેસુલી ધારા અમલમાં આવ્યાને લાંબો સમય વીતી ગયો છે. ભારત સરકારે ફોજદારી અધિનિયમ જેવા જૂના કાયદાઓમાં સુધારા કર્યા છે અને તેના સકારાત્મક પરિણામો મળ્યા છે. મહેસુલ ધારાની કેટલીક કલમો વિકસિત ભારતમાં અપ્રસ્તુત બની છે. ખેડૂતો અને જમીનધારકોની સમસ્યાઓ હળવી કરવા સુધારા આવશ્યક છે. ટુકડા ધારાની જોગવાઈઓમાં ખાતેદારોની વધતી સંખ્યા સામે મુશ્કેલીઓ છે, તબદીલી અને વેચાણમાં સમસ્યાઓ આવે છે. પારિવારિક વિભાજનમાં સંબંધોમાં તિરાડ પડે છે, તેથી આમાં સુગમતા લાવવી જરૂરી છે.

Gondal  : જમીન આપવાનો સરકારનો ઉમદા ઉદ્દેશ્ય

લાગુ જમીન આપવાનો સરકારનો ઉમદા ઉદ્દેશ છે, પરંતુ તે મળતી નથી. લાગુ બિનખેડવાણ જમીનને ખેડીને અન્ન ઉત્પાદન વધારી શકાય છે, જે ખેડૂત અને સરકાર બંનેને લાભકારી છે. લાગુ જમીન 2 એકર સુધી પ્રાપ્ત કરવાની જોગવાઈને સરળ અને ઝડપી બનાવવી જોઈએ. રેવન્યુ રેકર્ડ જાહેર છે અને ઓનલાઈન ઉપલબ્ધ છે, પરંતુ તેના નમુનાઓને સંકલિત કરી ઘટાડવા જોઈએ.

ખેડવાણ જમીનના વિવિધ પ્રકારના માલિકો છે, જેમાં ગિરાસદારોના કેસ પડતર છે. ટોચ મર્યાદા ધારા ૧૯૬૦ અને તેના સુધારા ૧૯૭૬માં અમલમાં છે, જેમાં અપરણિત દીકરીને લાભ મળે છે. આ કાયદાને ચાલુ કરી ગિરાસદારોના કેસનો વહેલો નિકાલ કરવો જોઈએ, જેથી અદાલતોમાં સમય અને ખર્ચ બચે. ગણોત ધારા અને ઘર-ખેડ કેસોમાં પણ વહેલો નિકાલ જરૂરી છે.

ગુજરાતમાં ગોંડલ અને વડોદરા સ્ટેટનું રેવન્યુ રેકર્ડ આદર્શ હતું. આઝાદી સમયે આ રેકર્ડ સરકારને મળ્યું. 1950માં પ્રમોલગેશનથી નમુના ૬માં નોંધ થઈ. DLR ઓથોરીટીએ નકશા મુજબ ક્ષેત્રફળ અને વર્ગીકરણ કર્યું. જુનું ગામતળ, નવું ગામતળ, ઉડાફા ગામતળ વગેરેના નિયમો છે. પોતની માપણી મુજબ રેકર્ડ મળવું જોઈએ. 2004થી ડિજિટલ રેકર્ડમાં ક્ષતિઓ છે, જે સુધારવી જોઈએ. 2015માં રીસર્વેમાં ભૂલો છે, જેનો નવો કાયદો દ્વારા ઉકેલ આવે.

જમીન વેચવાની પ્રક્રિયામાં સરળતા લાવવી જોઈએ

વીડ/વીડી/બીડ જમીનના વેચાણમાં જટિલતા છે. કલેક્ટર હસ્તક મંજૂરીઓમાં વિલંબ થાય છે. વીડ જમીન ખેતીલક્ષી થઈ છે, પરંતુ વેચાણ માટે ગાંધીનગર સુધી જવું પડે છે. આમાં સરળતા લાવવી અને જોગવાઈ રદ કરવી જોઈએ. વીડ જમીન ટોચ મર્યાદામાં આવતી નથી, પરંતુ ખેતીલક્ષી થયા બાદ તેમાં ગણાય છે, જે અપ્રસ્તુત છે.

સરકારી વીડ જમીન સહકારી મંડળીઓને આપવામાં આવે છે, પરંતુ ખાનગી માલિકોને વેચાણ અધિકાર આપવો જોઈએ. પશ્ચાતવર્તી મંજૂરીઓમાં સરળતા લાવવી જરૂરી છે. આવેદનપત્રમાં સમિતિને જાહેર હિતમાં સકારાત્મક ઉકેલ લાવવા ભલામણ કરવાની માંગ છે.આ રજૂઆતથી ખેડૂતોની સમસ્યાઓના ઉકેલમાં મદદ મળશે અને મહેસુલી વ્યવસ્થા વધુ સુગમ બનશે.

આ પણ વાંચો- Chhota Udepur : શાળાની ગુણવત્તાહીન કામગીરી પર વાલીઓનો ઉગ્ર વિરોધ-અધિકારીઓના વિરોધાભાસી નિવેદનો

અહેવાલ- વિશ્વાસ ભોજાણી,રાજકોટ

Tags :
Advertisement

.

×