Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gondal: અમિત ખૂંટના આપઘાત પર જીગીશા પટેલનું નિવેદન, ગોવિંદ સગપરીયાએ પણ કર્યા આક્ષેપો

રીબડામાં પાટીદાર યુવકનાં આપઘાત બાદ પાટીદાર અગ્રણી જીગીશા પટેલનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે અનિરૂદ્ધસિંહ પર આક્ષેપ કર્યા હતા.
gondal  અમિત ખૂંટના આપઘાત પર જીગીશા પટેલનું નિવેદન  ગોવિંદ સગપરીયાએ પણ કર્યા આક્ષેપો
Advertisement
  • જીગીશા પટેલનું અમિત ખૂંટના આપઘાત પર નિવેદન
  • જયરાજ હોય કે અનિરૂદ્ધ હોય એક સિક્કાની બે બાજુ
  • મૃતકનો ફોટો લઈ આ બંને રાજકારણ ન કરે તો સારૂ

ગોંડલ રિબડાના અમિત ખૂંટે આપઘાત કરી લેતા ગોંડલનું રાજકારણ ફરી ગરમાયું છે. આ મામલે જીગીશા પટેલે જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહ પર આક્ષેપ કર્યા હતા.  જીગીષા પટેલે જણાવ્યું હતું કે, આત્મહત્યા એ વિકલ્પ નથી. અમિત ખૂંટ માટે ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના છે. અમિત ખૂટ દોષિત હતો કે નિર્દોષ હતો તેનો નિર્ણય ન્યાયતંત્ર કરશે. પરંતું તેની પર જે આરોપ લાગ્યા અને ત્યાર બાદ તેણે આત્મહત્યા કરી લેવી પડે. માધ્યમો દ્વારા જાણવા મળ્યું કે તેમાં અનિરૂદ્ધ અને તેના દીકરાનો હાથ છે. હું તો તમને પહેલેથી જ કહેતી આવું છું કે જયરાજ હોય કે અનિરૂદ્ધ હોય એક સિક્કાની બે બાજુ છે. આજે એ બે ના ડખામાં મર્યું કોણ? અને આ બે ના ડખામાં મરે છે કોણ? આજે એવું કહેવાય છે કે અમિત ખૂંટ એ જયરાજ જૂથનો માણસ છે. એટલા માટે જ અનિરૂદ્ધસિંહના માણસોએ તેને ફસાવી તેની પર રેપ કેસ કરાવ્યો. અને તેણે પોતાનું જીવન પણ ટૂંકાવી નાંખ્યું.