ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ખેડૂતો માટે ગુડ ન્યૂઝ, શણ પર MSPમાં 6 ટકા વધારાનો કેબિનેટનો નિર્ણય

સરકારી કર્મચારીઓ બાદ હવે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રની કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. કાચા શણ પર MSP વધારવામાં આવ્યો છે.
03:50 PM Jan 22, 2025 IST | PIYUSHSINH SOLANKI
સરકારી કર્મચારીઓ બાદ હવે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રની કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. કાચા શણ પર MSP વધારવામાં આવ્યો છે.

સરકારી કર્મચારીઓ બાદ હવે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રની કેબિનેટે ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. કાચા શણ પર MSP વધારવામાં આવ્યો છે.

મોદી સરકારે સૌપ્રથમ સરકારી કર્મચારીઓને આઠમાં પગાર પંચની ભેટ આપી હતી. હવે સરકારે ખેડૂતોને પણ મોટી ભેટ આપી છે. આ સમાચારથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બુધવારે મોદી કેબિનેટે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આજે PM મોદીના નેતૃત્વમાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતો અંગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે કાચા શણના MSPમાં લગભગ 6% વધારો કરવાનો નિર્ણય લીધો છે.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કેબિનેટ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, ‘વર્ષ 2025-26 માટે કાચા શણના MSPમાં લગભગ 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષની કિંમતમાં 315 રૂપિયા વધુ છે. 2025 થી 2026 ના સત્ર માટે કાચા શણનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 5650 રૂપિયા રહેશે. તેમણે કહ્યું કે, મોદી સરકારે શણના વપરાશ માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આનાથી ખેડૂતોને ફાયદો થશે.

મોદી કેબિનેટના અન્ય નિર્ણયો

ગયા અઠવાડિયે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ મળી

ગુરુવારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કર્મચારીઓના પગાર અને પેન્શનરોના ભથ્થામાં સુધારો કરવા માટે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપી હતી. આ પગલાથી લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, સાતમા પગાર પંચની રચના 2014 માં કરવામાં આવી હતી. તેની ભલામણો 1 જાન્યુઆરી, 2016 થી લાગુ કરવામાં આવી હતી. તેનો કાર્યકાળ 2026 માં સમાપ્ત થઈ રહ્યો છે.

MSPનો અર્થ શું છે

MSP એટલે મીનીમમ સપોર્ટ પ્રાઈસ અથવા ન્યૂનતમ સમર્થન ભાવ. MSP એ દર છે જેના પર સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. આ ખેડૂતોના ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછું દોઢ ગણું વધારે છે. કેન્દ્ર સરકાર પાક માટે લઘુત્તમ ભાવ (પાક દર) નક્કી કરે છે.

આ પણ વાંચો: રાજકારણ ગરમાયું! કેબિનેટ મંત્રીનું મોટું નિવેદન, કહ્યું ‘મારે કેબિનેટ છોડવું પડશે’

Tags :
6 percentCabinet decidesCentral governmentGood news for farmersincrease MSPIndiaModi CabinetMSP
Next Article