ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

TARABH : વાળીનાથ મંદિર ખાતે 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

TARABH : તરભ વાળીનાથ મંદિર (Valinath Temple) રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજમાં કુરિવાજ, વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દૂર કરવા બ્રહ્મલીન બળદેવગિરી બાપુ એ અથાગ...
12:28 PM Feb 12, 2024 IST | Vipul Pandya
TARABH : તરભ વાળીનાથ મંદિર (Valinath Temple) રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજમાં કુરિવાજ, વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દૂર કરવા બ્રહ્મલીન બળદેવગિરી બાપુ એ અથાગ...
tarabh valinath mandir

TARABH : તરભ વાળીનાથ મંદિર (Valinath Temple) રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક હિન્દુ સમાજ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. રબારી સમાજમાં કુરિવાજ, વ્યસન સમાજમાંથી દૂર કરવા સાથે સમાજમાં શિક્ષણનું પ્રમાણ દૂર કરવા બ્રહ્મલીન બળદેવગિરી બાપુ એ અથાગ પ્રયાસ કર્યા હતા. તરભ વાળીનાથ મંદિર ખાતે 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે.

પૂજ્ય બાપુના જે સ્વપ્ન અધૂરા રહ્યા છે તે બહુ જ ઝડપી પુરા કરવા પ્રયાસ

તેમણે તેમના શિષ્ય અને હાલના મહંત જયરામગીરી બાપુને વિધાભ્યાસ માટે કાશી ગુરૂકુળ પાઠશાળામાં મુકવામાં આવ્યા હતા. આ સ્મરણો હાલના મહંત જયરામગીરી બાપુ વાગોળતા જોવા મળ્યા. જયરામગીરી બાપુ એ જણાવ્યું કે બ્રહ્મલીન બળદેવ ગિરી બાપુ સમાજ સુધારણા માટે સતત ચિંતા કરતા રહ્યા હતા. પૂજ્ય બાપુના જે સ્વપ્ન અધૂરા રહ્યા છે તે બહુ જ ઝડપી પુરા કરવા પ્રયાસ હાથ ધરાશે. બાપુ નું જે સ્વપ્ન હતું તે પ્રમાણે નવીન મંદિરનું કામ પૂર્ણ થઈ રહ્યું છે. બાપુ એ ગુરૂકુળ પાઠશાળાનું પણ જે સ્વપ્ન જોયું હતું તે પણ પૂર્ણ થવા જઈ રહ્યા છીએ. સમાજ કુરિવાજ, વ્યસનથી દુર રહે અને સમાજમાં કન્યા કેળવણી તેમજ શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તે આ સંસ્થા નો ઉદેશ્ય રહેશે.

16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

તરભ વાળીનાથ મંદિર રબારી સમાજની ગુરૂગાદી છે. રબારી સમાજ સાથે તમામ સમાજના લોકો માટે તરભ વાળીનાથ મંદિર અસ્થાનું કેન્દ્ર છે. આગામી 16 થી 22 ફેબ્રુઆરી દરમિયાન ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ગુજરાત સહિત ભારતભરમાંથી લોકો આ પ્રસંગે પધારશે.

વાળીનાથ મંદિર ખાતે આધુનિક પાઠશાળા બની રહી છે

તરભ વાળીનાથ મંદિર ખાતે આધુનિક પાઠશાળા બની રહી છે. દેવલીન મહંતશ્રી બળદેવગીરી બાપુ એ શિક્ષણ અને વ્યસન મુક્તિ માટે અથાગ પ્રયાસ કર્યા હતા. રબારી સમાજ સહિત અન્ય સમાજમાં કુરિવાજ દૂર કરવા તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા. તેમના બાદ હાલના ગાદીપતિ જયરામગીરી બાપુ પણ તેમના પંથે ચાલી રહ્યા છે. દેવલીન બળદેવગીરી બાપુ એ સમાજ માટે જે સ્વપ્ન સેવ્યા હતા તેને આગળ ધપાવવા સતત પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો---MEHSANA: વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન, જાણો સંપૂર્ણ વિગત…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GujaratGujarat FirstGurugadi of Rabari Rabari CommunityMehsanaPran Pratishtha MohotsavValinath Temple
Next Article