Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ગુજરાતની ચૂંટણીમાં Congress નો રકાસ, નેતાગીરીની મનમાની અને 'પેરાશૂટ' ઉમેદવારો નડ્યા

ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસના રકાસ પાછળ માત્ર વિરોધીઓની તાકાત જ નહીં, પરંતુ પક્ષના પોતાના જ 'મોટા માથાઓ' ની મનમાની જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ટિકિટ વહેંચણીથી લઈ મેન્ડેટ પહોંચાડવા સુધીની ગોબાચારીએ કાર્યકરોનું મનોબળ તોડી નાખ્યું. જમીની સ્તરના કામને બદલે જે આભાસી દુનિયામાં નેતાગીરી રાચતી હતી
ગુજરાતની ચૂંટણીમાં congress નો રકાસ  નેતાગીરીની મનમાની અને  પેરાશૂટ  ઉમેદવારો નડ્યા
Advertisement
  • પ્રદેશ નેતાગીરીની મનમાનીમાં Congress નો ફરી રકાસ
  • ટિકિટ વહેંચણીમાં નબળી સાબિત થઈ નેતાગીરી
  • નારાજગી દૂર કરવાના ડેમેજ કંટ્રોલમાં જોવા મળી બેદરકારી
  • મેન્ડેટની ગરબડને લીધે બિનહરીફ બેઠકોમાં થયો વધારો
  • સોશિયલ મીડિયાના આભાસી જોર વચ્ચે જમીની કામગીરી શૂન્ય

ગુજરાતના તાજેતરના ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસ (Gujarat Congress) નો ફરી એકવાર રકાસ થયો છે. આ હારના મૂળમાં પ્રદેશ નેતાગીરીની અણઆવડત અને આયોજનનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. પ્રદેશ નેતાગીરી જનતાને રિઝવવામાં ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ છે, જેના કારણે પક્ષના પાયાના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Congress ની હારનું સૌથી મોટું કારણ ટિકિટોની વહેંચણી

હારનું સૌથી મોટું કારણ ટિકિટોની વહેંચણી (Ticket Distribution) માનવામાં આવે છે. મોટા નેતાઓએ પોતાની મનમાની ચલાવીને જીતી શકે તેવા લોકપ્રિય ઉમેદવારોને બદલે 'પેરાશૂટ' ઉમેદવારો (Parachute Candidates) ને મેદાનમાં ઉતાર્યા હતા. ટિકિટ વહેંચણી બાદ સર્જાયેલી નારાજગી દૂર કરવામાં પણ નેતાગીરીએ કોઈ રસ દાખવ્યો નહોતો. ડેમેજ કંટ્રોલ (Damage Control) કરવાની બેદરકારીને કારણે પક્ષની અંદરનો જૂથવાદ રસ્તા પર આવી ગયો હતો, છતાં નેતાઓએ તેને શાંત કરવાના કોઈ પ્રયાસો કર્યા નહીં.

Advertisement

Congress_gujarat_first

Advertisement

માત્ર સોશિયલ મીડિયામાં પ્રચાર

બીજી તરફ, સ્ટાર પ્રચારકો (Star Campaigners) પ્રચારના મેદાનમાં ક્યાંય દેખાયા નહોતા. પ્રદેશના મોટા ગજાના નેતાઓ માત્ર પોતાના ગઢ બચાવવામાં મશગૂલ રહ્યા અને પોતાના વિસ્તારની બહાર નીકળી જનતા સુધી પહોંચવાની તસ્દી સુદ્ધાં ન લીધી. મેન્ડેટ પહોંચાડવામાં થયેલી ગરબડને કારણે ઘણી બેઠકો બિનહરીફ (Unopposed Seats) જાહેર થઈ, જે કોંગ્રેસ માટે શરમજનક સ્થિતિ હતી. જમીન પર કામ કરવાને બદલે પક્ષ માત્ર સોશિયલ મીડિયા (Social Media Strategy) ના ભરોસે રહ્યો. વાસ્તવિકતાથી દૂર રહીને ડિજિટલ પ્લેટફોર્મ પરના આક્રોશને જ જનસમર્થન માની લેવાની ભૂલ કોંગ્રેસને ભારે પડી છે.

આ પણ વાંચો: Heatwave સામે શ્રમિકોને રક્ષણ આપવા સરકારનો મોટો નિર્ણય, બપોરે 1 થી 4 કામ કરવા પર પ્રતિબંધ

Tags :
Advertisement

.

×